જે ઘરમાં લગ્ન પ્રસંગ આવી પહોચ્યો હોય તે ઘરની ખુશી કંઈક જુદી જ હોય છે. એમાં પણ જો દીકરીનો લગ્ન પ્રસંગ હોય તો સૌ કોઈ લોકો મન મૂકીને આ લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પ્રસંગની શોભા વધારે છે. પરંતુ જ્યારે ઘરધણીના ઘરે લગ્ન પ્રસંગ આવી પહોંચે ત્યારે શુભ ઘડીની સાથે સાથે દુઃખની ઘડી પણ બનવાના યોગ ખૂબ જ વધારે માત્રામાં વધી જતા હોય છે..
અત્યારે એક લગ્ન પ્રસંગ સુખ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયા બાદ સૌ કોઈ લોકોને રોવાનો વારો આવી ગયો હતો. આ ઘટના રાજસ્થાન અલવરની છે. અહીં ડીગરોડ પાસે રહેતો વિષ્ણુ જાગીડ નામનો 22 વર્ષનો એક યુવક તેના મામાની દીકરીના લગ્નમાં જયપુર આવ્યો હતો. અહીં સૂઘનાબાઈ ધર્મશાળાની અંદર વિષ્ણુ જાગીડની મામાની દીકરી દિપ્તીના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા..
અહીં ખાનાગાજી સેબારામ નજીકથી જાન પણ આવી પહોંચી હતી. સાંજના સમયે વિષ્ણુએ તેની બહેન દીપ્તિ સાથે ડાન્સ પણ કર્યો હતો. અને જ્યારે સવારના સમયે તેને વિદાય આપવાનો સમય આવ્યો ત્યારે પરિવારના સૌ સભ્યોએ ભીની આંખે દીપ્તિને વિદાય પણ આપી દીધી હતી. આ લગ્ન પ્રસંગ પૂર્ણ થઈ ગયા બાદ વિષ્ણુ જાંગીડ બાઈક લઈને પોતાને ઘરે જવા માટે નીકળી ગયો હતો..
પરિવારજનોને એવી તો શું ખબર કે હસતા મોઢે મોકલેલો આ વિષ્ણુ નામનો દીકરો તેના ઘરે સમયસર પહોંચી જશે કે નહી. તે પોતાને ઘરે પહોંચે એ પહેલા જ રસ્તામાં તેને એક કાળમુખો અકસ્માત નડી ગયો હતો, જેમાં તેનો જીવ જતો રહ્યો છે. વિશ્ણુની સાથે તેનો દોસ્ત ઉમંગ તેમજ તેનો ભાઈ અમિત પણ સાથે હતા..
આ ત્રણેય વ્યક્તિ એક બાઈક ઉપર સવાર થઈ આંબેડકર સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક કાળમુખા ડમ્પર વિષ્ણુની બાઇકને પાછળથી ટક્કર મારી દીધી હતી. જેનાથી વિષ્ણુની બાયક ડિવાઈડર સાથે અથડાઈ ગઈ પરિણામે વિષ્ણુ, ઉમંગ તેમજ અમિત આ ત્રણેય વ્યક્તિઓ ઉછળીને નીચે પટકાયા હતા..
જેમાં વિષ્ણુનું મૃત્યુ થઈ ગયું છે. જ્યારે બાકીના બે વ્યક્તિ નું હાલ હોસ્પિટલની અંદર સારવાર ચાલી રહી છે, આ ત્રણેય વ્યક્તિને એક રીક્ષા ની અંદર નાખીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં વિષ્ણુનું મૃત્યુ થઈ ગયું છે. જ્યારે મૃત્યુના સમાચાર તેના પરિવારજનો સુધી પહોંચે ત્યારે તમામની આંખો આંસુથી છલકાઈ ગઈ હતી..
પોતાની બહેનના લગ્નમાં આવેલા ભાઈનું મૃત્યુ થતાં ચારેકોર મોતનો માતમ છવાઈ ગયો હતો. વિષ્ણુના પિતા ફર્નિચરનું કામકાજ કરે છે, તે બે દિવસ પહેલા જ પોતાનું ભણતર મૂકીને બહેનના લગ્નમાં હાજરી આપવા માટે આવી પહોંચ્યો હતો. લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને તે પોતાને ઘરે પહોંચે એ પહેલા જ તેનું મૃત્યુ થઈ જતા તેના માતા પિતા માટે પણ દુઃખની આ ઘડી સહન થઈ શકી નથી…
દીન પ્રતિ દિન અકસ્માતના ઘણા બધા બનાવો ખૂબ જ વધારે માત્રામાં બની રહ્યા છે. જે દરેક લોકો માટે ખૂબ જ ચોંકાવનારી બાબત છે. આવા અકસ્માતના બનાવવામાં ઘણા બધા વ્યક્તિના જીવ પણ જતા રહે છે. તો ઘણા બધા વ્યક્તિ હર હંમેશા માટે ઈજાગ્રસ્ત પણ થઈ જતા હોય છે. ડગલેને પગલે વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું પડે છે. જો સહેજ અમથી પણ ચૂક થઈ જાય તો કોઈ વ્યક્તિનો જીવ જતા વાર લાગતી નથી..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]