Breaking News

બહેનને સાસરે મુકવા જતા એકના એક ભાઈનું માર્ગ અકસ્માતમાં થયું મોત દર્દનાક મોત, પરિવાર રડી રડીને થયો બેહાલ..!

ક્યારેક કોની સાથે શું બની જાય છે તે કહી શકાતું નથી. પરિવારના સભ્યોની રાજી ખુશીની જિંદગી ક્યારે દુઃખમાં પલટી જાય તે જાણી શકાતું નથી. અવારનવાર લોકો સાથે આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે, જેને કારણે પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. આજકાલ વાહનો વધતા અકસ્માતો પણ ખૂબ જ વધ્યા છે.

આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના ઝાંસી નજીક આવેલા મધ્યપ્રદેશના પૃથ્વીપુરના ગોપાલપુરા ગામમાં બની હતી. આ ગામમાં એક પરિવાર ખૂબ જ રાજી ખુશીથી રહીને ખેતી કામ કરતો હતો. પરિવારના યુવકનું નામ સીયારામ યાદવ હતું. તેને પરિવારમાં એક દીકરો અને બે દીકરીઓ હતી. બંને દીકરીઓ મોટી હતી.

અને દીકરો નાનો હતો. મોટી બંને દીકરીઓના નામ પ્રિયંકા અને નીતુ હતું અને દીકરા નું નામ સંદીપ હતું. સંદીપની ઉંમર 22 વર્ષની હતી. સંદીપ બંને બહેનો કરતા નાનો હોવાને કારણે તેના લગ્ન થોડા દિવસો પહેલા જ્યોતિ સાથે થયા હતા અને બંને બહેનોના લગ્ન ઘણા વર્ષો પહેલા થઈ ગયા હતા. સંદીપ પોતાની પત્ની જ્યોતિ સાથે ખૂબ જ રાજી ખુશીથી રહેતો હતો.

તેની નાની બહેન નીતુ પોતાના પિયરીએ રહેવા આવી હતી જેના કારણે એક દિવસ તે સંદીપ નીતુ ને બાઈક પર બેસાડી સાસરે મુકવા જતો હતો. નીતુનો સાસરીયુ મુદ્રા ગામમાં હતું, જેના કારણે તે પોતાના બાઈક પર બેસાડીને બહેનને સાસરીયે મુકવા જતા રસ્તામાં આવતા અસ્થારી ગામ પાસે પહોંચ્યો, તે સમયે સામેની બાજુથી એક બાઈક ખૂબ જ ઝડપી સ્પીડમાં આવી રહી હતી.

અને આ બાઈક ચાલકે સંદીપની બાઇકને ટક્કર મારી દીધી હતી. ટક્કર મારતા જ બંને ભાઈ બહેન ફગોળાયા હતા. જમીન પર સંદીપનું માથું ભટકાયું હતું. જેના કારણે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. અકસ્માત નો અવાજ ખૂબ જ જોરથી આવ્યો હતો જેના કારણે આસપાસના લોકો તરત જ પહોંચી ગયા હતા.

એમ્બ્યુલન્સને પણ ફોન કરી દેવામાં આવ્યો હતો. નીતુ અને સંદીપને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન સંદીપનું મૃત્યુ થઈ ગયું હતું અને તેમની બહેન નીતુ ની સારવાર ચાલી રહી છે. પરિવારના લોકોને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પરિવારના લોકોને સંદીપના મૃત્યુની જાણ થતા જ પરિવાર આઘાતમાં આવી ગયું હતું.

સંદીપની પત્ની જ્યોતિ આઘાત સહન કરી શકી નહીં જેના કારણે તે બેહોશ થઈ ગઈ, 9 મહિના પહેલા જ બંનેના ખૂબ જ ધામધૂમથી લગ્ન થયા હતા અને આ પરણીત મહિલાએ પોતાના પતિને ગુમાવ્યા હતા, જેના કારણે તે આઘાત સહન કરી શકી નહીં અને માતા-પિતાના એકના એક દીકરાએ તેમનો જીવ ગુમાવ્યો હતો.

જેના કારણે રડતા રડતા માતા પિતા સંદિપની પત્ની અને તેમની બહેનો ઢળી પડ્યા હતા એક દીકરા સાથે આવી કરુણ ઘટના બની જતા પરિવાર આઘાતમાં આવી ગયું હતું અને ગામમાં પણ શોખનો માહોલ છવાઈ ગયો હતો. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે જેને કારણે દરેક લોકોએ પોતાના વાહનો ચલાવતા સમયે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *