અત્યારે બાગેશ્વર ધામના ખૂબ જ મશહુર કથા વાચક પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયા છે. તેમની ચર્ચા આજે દેશના દરેક ખૂણે થઈ રહી છે. અને આ ચર્ચાના જોરની વચ્ચે કેટલીક એવી અફવાઓ પણ આવી ચૂકી છે કે, મશહૂર મોટીવેશનલ સ્પીકર જયા કિશોરી અને બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી બંને એકબીજા સાથે લગ્ન જીવનમાં બંધાવવા જઈ રહ્યા છે..
જોકે આ બાબતને લઈને નિર્ણય સ્પષ્ટ થઈ ચૂક્યો છે કે, આ વાક્ય એકદમ અફવારૂપ સાબિત થયું છે. પરંતુ આજે અમે તમને આ બંને મશહૂર નામ વચ્ચેની કેટલીક સમાનતાઓ દેખાડવા જઈ રહ્યા છીએ, બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો આશ્રમ છતરપુર મધ્યપ્રદેશમાં આવેલો છે..
તેઓ નાની ઉંમરમાં જ ખૂબ જ મોટી સફળતા અને એવું આગવું નામ પ્રાપ્ત કરી લીધું છે કે, જે નામ પડતાં જ લોકો તેમના શરણે આવી પહોંચે છે. પરંતુ કેટલાક લોકોએ ધીરેન્દ્ર શાસ્ત્રી ઉપર તંત્ર મંત્રનો જાદુ તેમજ અંધવિશ્વાસ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે અને તેની સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.
અને ત્યારબાદ ધીરેન્દ્ર શાસ્ત્રી ખૂબ જ ચર્ચામાં આવી ગયા છે. તો બીજી બાજુ મોટીવેશનલ સ્પીકર જયા કિશોરી પણ તેમના એક આગવા અંદાજથી સમગ્ર ભારતમાં ખૂબ જ મોટું નામ ધરાવે છે. તેઓ તેમના યુટ્યુબ ચેનલની મદદથી તેમની દરેક વાતો અને મંતવ્યો લોકો સમક્ષ રજૂ કરે છે. ધીરેન્દ્ર સાસરીને જયા કિશોરી આ બંને વ્યક્તિ અપરણીત છે..
ધીરેન્દ્ર શાસ્ત્રીનો જન્મ 4 જુલાઈ 1996 ના મધ્યપ્રદેશના છતરપુરમાં આવેલા ગઢા ગામની અંદર થયો હતો. તો જયા કિશોરીનો જન્મ પણ જુલાઈ મહિનામાં જ થયો છે. આ બંને વચ્ચેની સમાનતા છે કે, તેમના જન્મદિવસમાં માત્ર એક વર્ષનું જ અંતર છે. અને બંને વ્યક્તિ ધાર્મિક બાબતોને લઈને ખૂબ જ આગવું નામ ધરાવે છે..
આ બંને વ્યક્તિને તેમના લગ્ન જીવનને લઈને ઘણા બધા સવાલ પૂછવામાં આવ્યા હતા. પરંતુ બંને વ્યક્તિએ આવા સવાલોને જવાબ આપવાનું ટાળ્યું છે. ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના દરબારની અંદર લોકોના મનની વાતો જાણીને તેમને સલાહ સુચન આપે છે. તેમના આગવા ટેલેન્ટને લઈ તેઓ હંમેશા છવાયેલા રહે છે..
ધીરેન્દ્ર શાસ્ત્રી અને મોટીવેશનલ સ્પીકર જયા કિશોરી બંને સોશિયલ મીડિયાની અંદર લાખોની સંખ્યામાં ફોલોવર ધરાવે છે. તેમની લોકપ્રિયતાનો કોઈ વ્યક્તિને અંદાજો પણ નહીં હોય. અત્યારે ચર્ચાનો વિષય બનેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થન માં કેટલા રાજકીય નેતાઓ તેમજ ધાર્મિક સંગઠનો સાથે જોડાયેલા લોકો પણ આગળ આવ્યા છે. તો બીજી બાજુ કેટલાક લોકો આ તમામ બાબતોનો વિરોધ દર્શાવી રહ્યા છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]