અત્યારે મધ્યપ્રદેશના છતરપુર પાસે આવેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયા છે. અત્યારે દેશ-વિદેશોમાં તેમની ચર્ચાઓ થઈ રહી છે, તેઓ જણાવે છે કે તેઓ ભારતને એવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા માંગે છે કે જેને જોઈને સમગ્ર વિશ્વને ભારત ઉપર ગર્વ થાય..
બાગેશ્વર ધામમાં ધીરેન્દ્ર શાસ્ત્રી દરેક લોકોની પીડાનું નિરાકરણ લાવે છે અને તેમને રહેલા દુઃખોને તે પહેલેથી જ ઓળખી બતાવે છે અને કહે છે કે તને આ દુઃખ રહેલું છે અને આવી રીતે તેનું નિરાકરણ પણ આવી જશે. તેમના દરબારની અંદર હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. દરેક લોકો પોતાની સમસ્યા લઈને આવે છે..
પરંતુ ધીરેન્દ્ર શાસ્ત્રી લોકોને તેમની સમસ્યા તેમના મોઢેથી પૂછતા નથી, તેમનો ચહેરો અને તેમનું મન જોઈને જ તેઓ સમજી જાય છે કે, આ વ્યક્તિને શું સમસ્યા રહેલી છે. અહીં રાજસ્થાનના જયપુરથી 30 વર્ષની નીલુસિંહ નામની એક મહિલા બાગેશ્વર ધામમાં આવી પહોંચી હતી. તે છેલ્લા ઘણા વર્ષોથી બીમાર રહેતી હતી..
એટલા માટે તે બાગેશ્વર ધામમાં પોતાની દુઃખદાયી ઘટનાનું નિરાકરણ મેળવવા માટે બાગેશ્વર ધામમાં આવી પહોંચી હતી. પરંતુ બાગેશ્વરધામના પંડાલમાં જ એવું બની ગયું છે કે, તેનું મૃત્યુ થઈ ગયું છે. 30 વર્ષની નિલુસિંહના પતિ દેવેન્દ્રસિંહનું કહેવું છે કે, તેની પત્ની બીમારીનું નિરાકરણ મેળવવા માટે આવી હતી..
જેથી તેની તબિયતમાં સુધારો આવી શકે તે સવારે ખાવાનું ખાઈને ઘરેથી નીકળી હતી અને ત્યારબાદ તે અહીં પંડાલમાં પોતાની સમસ્યાનો નિરાકરણ લાવવા માટે લાઈનમાં ઊભી હતી. ત્યારે અચાનક જ તે નીચે ઢળી પડી અને તેનું મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે આ ઘટના સામે આવી ત્યારે આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
સૌ કોઈ લોકો કહેવા લાગ્યા કે, આખરે આ વ્યક્તિને શું થયું છે કે તે ચક્કર ખાઈને નીચે ઢળી પડી છે. અને તેનું મૃત્યુ પણ થઈ ગયું છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના એવા ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રી માત્ર માણસને જોતા ની સાથે જ તેનું મન પરખી બતાવે છે..
થોડા સમય પહેલા આ ઘટનાને લઈને વાત વિવાદ સર્જાયો હતો. છતરપુરના બાગેશ્વર ધામના તમામ ભક્તો અને શ્રદ્ધાળુ ધીરેન્દ્ર શાસ્ત્રીને સાથ અને સમર્થન આપી રહ્યા છે. અત્યારે બાગેશ્વર ધામના પંડાલની અંદર આ મહિલાનું મૃત્યુ થઈ જતા ભારે ચકચાર મચી ગયો છે. આસપાસના લોકોએ સૌ પ્રથમ તો આ મહિલાને હોશ લાવવાની કોશિશ કરી હતી..
પરંતુ મામલો તેમના હાથમાંથી સરકી પડતા અંતે તેઓએ નજીકના હોસ્પિટલમાં પણ જાણકારી આપી હતી કે, અહીં એક મહિલા ચકકર ખાઈને નીચે ઢળી પડી છે. અને તેનું મૃત્યુ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે, આ ઘટનાને લઈને તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ તેમજ પોલીસ સહિતનો કાફલો પણ દોડતો થયો હતો..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]