આજકાલ લોકો તાંત્રિક બાબાઓ પર વધુ વિશ્વાસ મૂકતા હોય છે. લોકોનો તાંત્રિક બાબાઓ પર મુકેલો આ વિશ્વાસ ઘણીવાર તેમને જ ભારે પડતો હોય છે. આવો એક બનાવો બિહાર રાજ્યના બકસર જિલ્લામાં સામે આવ્યો છે. બિહાર રાજ્યના બકસર જિલ્લાના ચોશા ગામમાં કમલા યાદવ અને તેનો પરિવાર રહેતો હતો.
તેના પરિવારમાં તેની 15 વર્ષે પુત્રી નિશા કુમારી અને એક પુત્ર પણ હતો. કમલા યાદવ નો પતિ કોરોના વખતે જ મૃત્યુ પામ્યો હતો. જેથી કમલા પોતાના બંને બાળકોનું પાલનપોષણ કરતી હતી. પરંતુ અચાનક જ તેને પુત્રીને સાપ કરડતા તેના સુખી પરિવાર માં શોક નો માહોલ છવાઇ ગયો છે.
15 વર્ષની નિશા કુમારી મેટ્રીક્સની પરીક્ષાની તૈયારી કરી રહી હતી. જેથી તે મોડી રાત સુધી પોતાનું વાંચન કાર્ય કરતી હતી. ગઈકાલે રાત્રે વાંચન કરતી વખતે જ્યારે તે કબાટમાંથી પોતાની પુસ્તકો લેવા માટે ગઈ ત્યારે ત્યાં છુપાઈને બેઠેલો સાપ અચાનક જ તેના હાથ પર કરડી ગયો હતો.
તેમના પરિવારજનો દ્વારા નિશા કુમારીને સૌ પ્રથમ હોસ્પિટલે લઇ જવાના બદલે તાંત્રિક બાબા પાસે લઈ જવામાં આવી હતી. તેમને પોતાની આ ભૂલ નો અંદાજો એ વખતે ન હતો. પરંતુ તાંત્રિક બાબા નિશાકુમારીના ઈલાજમાં નિષ્ફળ રહેતા તેને તાત્કાલિક જ નજીકના સરદ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
શરદ હોસ્પિટલના ડોક્ટર દ્વારા નિશાકુમારીની પ્રાથમિક સારવાર બાદ જ તેને મૃત જાહેર કરવામાં આવી હતી. કમલા યાદવ ના પતિનું કોરોનાકાળ વખતે જ મૃત્યુ થઈ ગયું હોવાને કારણે તે પોતાનું જીવન પોતાના બંને બાળકો પર ગુજારી રહી હતી. પરંતુ હવે નિશાની પણ અચાનક મૃત્યુ થઈ જતા તેની હાલત ખૂબ જે ખરાબ થઈ ગઈ છે.
નીશાકુમારી ના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં માં આવ્યો છે. ત્યારબાદ આ મૃતદેહને તેના પરિવારજનો ને સોંપવામાં આવશે. નિશાકુમારીના પરિવારજનો નિશાને હોસ્પિટલ એ લઈ જતા પેહલા તાંત્રિક બાબા પાસે લઈ જવા માટે અફસોસ કરી રહ્યા છે. પરંતુ હવે ખૂબ જ મોડું થઈ ગયું હતું.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]