અત્યારના નવ જુવાનીયાવો જુદી-જુદી ચીજ વસ્તુઓના બહેકાવામાં આવી જઈને ન કરવાના કારનામાઓ કરવા લાગી જાય છે. જેનાથી તેમના માતા-પિતા માથે આફત આવી પડતી હોય છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં આવેલા ઈન્દ્રનગરમાં કંઈક એવી જ એક ઘટના બની ગઈ છે. અહીં 20 વર્ષનો રાહુલ તેના માતા પિતા સાથે રહે છે..
તેના પિતા રાજેશભાઈને શંકા હતી કે, તેનો દીકરો રાહુલ નશા અને વ્યસનમાં સપડાઈ ગયો છે. તેને ઘણી બધી વાર તેના દીકરાને જણાવ્યું હતું કે, તું ખરાબ સંગત છોડી દેજે. અને ક્યારે પણ વ્યસન જેવી ચીજ વસ્તુઓને હાથ લાગવો જોઈએ નહીં. પરંતુ તેમનો દીકરો સમજયો નહીં અને તેમના પડોશમાં રહેતો ચેતન નામનો એ યુવક નશાની ચીજ વસ્તુઓ લાવી આપતો હતો..
આ વસ્તુઓ લાવવા માટે ચેતને પૈસા ખર્ચ કર્યા હતા અને એ ખર્ચના રૂપિયા ચેતન રાહુલ પાસે માંગવા માટે આવ્યો હતો. પરંતુ રાહુલ પાસે પૈસા ન હોવાને કારણે તેને પરિવાર પાસેથી હજાર રૂપિયાની માંગણી કરી હતી. પરિવારજનોએ રૂપિયા આપવાની મનાઈ કરી દેતા લડાઈ ઝઘડો થઈ ગયો હતો..
અને આ ઘટનાથી રાહુલ ખૂબ જ નારાજ હતો, તેણે તેના મિત્રને રૂપિયા આપવા માટે ઘરેથી ચોરી કરવાનો પણ વિચાર કરી લીધો પરંતુ તેના પિતા રાજેશે રાહુલને ઘર ઉપર જ પકડી લીધો હતો અને જે તમને તેના ઘરે બોલાવીને સમજાવી દીધું હતું કે, તે ક્યારેય પણ તેના દીકરાને મળશે નહીં..
બસ આ ઘટનાથી વ્યસને ચડી ગયેલા દીકરા રાહુલનું મગજ ફરી ગયું હતું અને તેણે એવું પગલુ ભરી લીધું હતું કે, એને જોઈને તેને માતા-પિતાના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી. આ કિસ્સો દરેક માતા પિતા માટે ખૂબ જ લાલબત્તી સમાન સાબિત થયો છે. રાહુલને રૂમની અંદર આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું હતું..
જ્યારે બીજે દિવસે સવારે તેના માતા પિતા રૂમનો દરવાજો ખોલ્યો હતો. બસ આ દ્રશ્ય જોઈને તેવો હચમચી ઊઠ્યા હતા. રાહુલને તરત જ હોસ્પિટલ પણ લઈ ગયા. પરંતુ ત્યાં ડોક્ટરે જણાવ્યું કે, રાહુલનું મૃત્યુ થઈ ગયું છે. આ ઘટનાથી પરિવારમાં મોતનો માતમ ફેલાઈ ગયો હતો. રાહુલના પિતાએ સંદેશ આપતા જણાવ્યું કે, અત્યારના ઘણા બધા યુવક યુવતીઓ વ્યસનના રવાડે ચડી જાય છે..
અને આવા અવળા રવાડેથી તેમની બરબાદી શરૂ થઈ જતી હોય છે. એટલા માટે તેમને હંમેશા શિખામણ આપવી જોઈએ અને તેમની ઉપર સતત દેખરેખ પણ રાખવી પડે છે. જો સહેજ અમથી ચૂક થઈ જાય તો કોઈ વખત ખરાબ સંગતને કારણે તેમના દીકરાની દીકરી હાથમાથી નીકળી પડતા હોય છે…
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]