આસપાસના વિસ્તારમાં કયા વ્યક્તિ રહે છે, તેની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. કારણ કે સુખ દુઃખનો સમય આવી પડીએ સૌપ્રથમ આપણો પાડોશી આપણી સાથે આવીને ઉભો રહે છે. જો આસપાસમાં રહેતા લોકો સારા હોય તો જે તે જગ્યા ઉપર રહેવાની ખૂબ જ વધારે મજા આવે છે..
પરંતુ જો પાડોશીનો સ્વભાવ ખૂબ જ રકચક વાળો હોય તો સવાર તેમની સાથે લડાઈ ઝઘડો થઈ જતો હોય છે. અત્યારે એક પડોશીએ તેમના મકાનની બાજુનું ગોડાઉનનું તાળું ખોલી નાખતા જ ચકચાર મચી જવા પામ્યો છે. ક્રિષ્ના પાર્કની અંદર સૌથી છેલ્લા મકાનની બાજુમાં એક ખૂબ મોટું ગોડાઉન આવેલું છે..
જીતેન્દ્ર નામના વ્યક્તિ ના બંગલાની બાજુમાં આવેલા ગોડાઉનમાં એક દિવસ અચાનક જ વાસ આવવા લાગી હતી. ત્યારે તેઓએ તેમના પાડોશીને પૂછ્યા વગર જ આ તાળું ખોલી નાખ્યું હતું, કારણ કે જીતેન્દ્રભાઈના પડોશમાં રહેતા કૌશિકભાઇ છેલ્લા એક અઠવાડિયાથી બહારગામ ગયા હતા..
તેમને કોઈ પણ પ્રકારની જાણકારી આપ્યા વગર જ્યારે જીતેન્દ્રભાઈએ તાળું ખોલી નાખ્યું અને અંદરથી જે ચીજ વસ્તુઓ મળી છે તે જોઈને સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા છે. એ તો સોસાયટીના અન્ય લોકો તો ઉભા રોડે દોડતા થયા હતા અને તાત્કાલિક પોલીસને પણ બોલાવી લેવામાં આવી હતી..
જ્યારે જીતેન્દ્રભાઈ તાળું ખોલી નાખ્યું અને અંદર પ્રવેશ કરતા ની સાથે જ તેમને અતિશય દુર્ગંધ આવા લાગી હતી. જેમ-જેમ તેઓ આગળ વધતા ગયા તેમ તેમ દુર્ગંધ વધારે માત્રામાં આવવા લાગતા, તેઓએ ટોર્ચ વડે જોવાની કોશિશ કરી ત્યારે ત્યાં અંદર એક વ્યક્તિની લાશ મળી આવી હતી…
જેના શરીર ઉપર ખૂબ જ ઊંડા ઘા પણ દેખાઈ આવતા હતા. આ ચીજ વસ્તુ જોતાની સાથે તેઓ તરત જ ગોડાઉનની બહાર નીકળી ગયા હતા. વારાફરતી લોકો ગોડાઉનની અંદર જઈને આ લાશને જોવાની કોશિશ કરતા હતા કે શું આ વ્યક્તિ કોઈ ઓળખીતો છે કે નહીં..? આ ઉપરાંત આ ગોડાઉનની અંદર કોણે આ વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધો હશે..
અને શા માટે આ ગોડાઉનને બંધ કરીને કૌશિકભાઈ છેલ્લા છ દિવસથી બહારગામ ચાલ્યા ગયા છે. વગેરે જેવા પ્રશ્નો તેમને ઉદ્ભવા લાગ્યા હતા. તાત્કાલિક ધોરણે સોસાયટીના રહીશોએ નજીકના પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની જાણકારી પહોંચાડી દીધી હતી. પોલીસ નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને જરૂરી કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી..
જેમાં આ લાશને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી હતી. કૌશિકભાઈને વારંવાર ફોન લગાવવામાં આવી રહ્યા છે. પરંતુ કૌશિકભાઈનું કોઈ પણ જગ્યાએથી અતો પતો ન મળતા અંતે અંગત સૂત્રો અનુસાર તેમને પકડવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે..
સોસાયટીના રહીશોને કૌશિકભાઈ ઉપર શંકા જવા લાગી છે, કારણ કે તે અવારનવાર ની અંદર ઝડપાઈ ગયેલા છે. થોડા સમય પહેલા તેઓ જુગાર રમતા પકડાયા હતા. તો એ પહેલા તેમની ફેક્ટરીની અંદર દારૂનો નશો કરીને અહીંયા થી કરતા ઝડપાયા હતા. એટલા માટે કદાચ આ વ્યક્તિને તેમણે જ મોતને ઘાટ ઉતારી દીધો હશે તેવું તેમને લાગી રહ્યું છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]