ગુજરાતમાં આ વર્ષે ત્રણેય ઋતુઓ ખુબ જ અનિયમિત રહી છે. ચોમાસામાં અતિશય વરસાદ ની સાથે સાથે કમોસમી માવઠાની ઉપાધી.. અને હવે શિયાળામાં ભારે ઠંડીની સાથે કોલ્ડવેવની પરિસ્થિતિ ઉભી થવાનો ડર… હાલ ગુજરાતમાં ઠંડીને રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. અતિશય ઠંડીના લીધે લોકો ઘરમાં પુરાઈ રેહવા માટે મજબુર બન્યા છે..
ગયા અઠવાડિયા સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીનો પારો 10 ડીગ્રી આસપાસ પહોચ્યો હતો. તો આ અઠવાડિયામાં પારો ગગડીને ખુબ જ નીચો આવ્યો છે. અમદાવાદ, નલીયા, ડીસા અને પાટણમાં પણ ઠંડીને ભારે ઝડપ પકડી છે. હાડથીજાવે તેવી ઠંડીની વચ્ચે ફરી એકવાર હવામાન વિભાગે આગાહી આપી દીધી છે.
ગુજરાતના હવામાન વિભાગે તેમજ જાણીતા હવામાન શાસ્ત્રીઓએ આગાહી કરતા જણાવ્યું છે કે, 21 અને 22 જાન્યુઆરી કમોસમી વરસાદી માવઠાઓ ત્રાટ.કવાની પૂરે પૂરી શક્યતા રહેલી છે. આ માવઠાઓ ખુબ જ ભારે તબાહી મચાવી દેશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
માવઠાઓની આ આગાહી દરમિયાન રાજ્યના માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપી દેવામાં આવી છે. કારણ કે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે દરિયામાં હાલ હરે કરંટ જોવા મળ્યો છે. ખુબ ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. આવા સમયે માછીમારી કરવાથી જીવને જોખમ રહે છે.. તેથી તેઓને કડક મનાઈ ફરમાવી દેવામાં આવી છે…
માવઠાની આ ભારે આગાહીને પગલે રાજ્યના ખેડૂતો ખુબ જ ચિંતિત બન્યા છે. ગુજરાતમાં શિયાળાની ઋતુ આવતા જ કુલ ચોથીવાર માવઠુ કહેર મચાવવા જઈ રહ્યુ છે. જે ખુબ મોટા સંકટના ભણકારા રૂપે ગાજી રહ્યા છે. એક પછી એક માવઠા અને વાવાઝોડાને કારણે ખેતરમાં નાના છોકરાની જેમ ઉછેર કરેલો પાક બગડી જવાની શક્યતા રહેલી છે.
આ માવઠાની મોટી અસર કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં થવાની શક્યતાઓ રહેલી છે. તેથી આ વિસ્તારના ખેડૂતોને આપતી મેનેજમેન્ટએ લેખિતમાં જાણ કરીને જણાવી દીધું છે કે, APMCમાં તેમજ બીજા ખેડૂતો પણ પાકને સુરક્ષિત જગ્યાએ ખસેડી દે તેવી સૂચના આપી દેવામા આવી છે.
હવામાનમાં નોંધાયેલા અચાનક પલટાને લીધે ગુજરાતના માછીમારો માટે પણ એલર્ટ જાહેર કરાયુ છે. પગલે માછીમારોએ પણ દરિયા કાંઠે પોતાની બોટ લાંગરી દીધી છે. અરબ સાગરના દરિયામાં પવનની ગતિ ખુબ જ વધી જવાની પણ ભીતિ રહેલી છે. શરૂઆતમાં જ 40 થી 50 કિમિ પ્રતિ કલાકની પવનની ગતિ રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 20 અને 21 જાન્યુઆરીના રોજ દરિયો તોફાની બનવાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતા અરબી સમુદ્રમાં માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. આ સાથે જ સાગર ખેડૂઓને કાંઠા વિસ્તાર છોડીને અન્ય સુરક્ષિત સ્થળે જવાની સૂચના આપવામાં આવી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]