આજની યુવાન પેઢી નાની-નાની વાતમાં કંટાળીને પોતાના જીવનની જોખમમાં મૂકી રહ્યા છે જેને કારણે તેમના પરિવારજનોને મુશ્કેલી થઈ રહી છે. પરિવારમાં એક વ્યક્તિનું મૃત્યુ થતા પરિવાર વેરવિખેર થઇ જાય છે. આવી જ એક આપઘાતની ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના ઉદયપુરના નવા ભૂપાલપૂરા વિસ્તારમાં બની હતી.
આ વિસ્તારમાં આવેલા નેમિનાથ કોમ્પ્લેક્સમાં એક પરિવાર રહેતું હતું. પરિવારમાં પતિ-પત્ની અને તેમના બાળકો તેમજ યુવકના માતા-પિતા રહેતા હતા. યુવકનું નામ સચિન જૈન હતું. સચિનની ઉંમર 35 વર્ષની હતી અને સચિનને પરિવારમાં તેમની પત્ની અને એક બાળક હતું. સચિન ઇમિટેશન જ્વેલરીનું કામ કરતો હતો.
પરંતુ થોડા સમયથી આ ધંધો બંધ રહ્યો હતો જેના કારણે એ ખૂબ જ માનસિક તણાવમાં રહેતો જેના કારણે તેમના પરિવારનું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલી ભર્યું બની ગયું હતું સચિનની પત્ની તેમના બાળક સાથે ચાર દિવસ પહેલા જ પીયર રહેવા ગઈ હતી અને એક દિવસ સચીને તેમના પિતા સાથે જમીને વાત કરી હતી.
અને ત્યારબાદ પોતાના રૂમમાં સુવા ગયો હતો. ઘરના દરેક સભ્યો સુઈ ગયા હતા. સવારના સમયે તેમના કોમ્પલેક્ષમાં કામ કરવા આવેલા સફાઈ કામદારોએ એવું જોયું કે તેઓ આઘાતમાં આવી ગયા હતા અને આખાતમાં તેઓ ભાગવા લાગ્યા જેને કારણે એપારમેન્ટના તમામ લોકો ઘરની બહાર નીકળ્યા હતા. તે સમયે એપાર્ટમેન્ટના છઠા માળે જોયું,..
તો સચિન દાદરની ગ્રીલ સાથે લટકતી હાલતમાં જોવા મળ્યો તરત જ પરિવારને જાણ કરવામાં આવી હતી. પરિવાર સચિન પાસે પહોંચ્યું અને સચિનને નીચે ઉતારીને એમબી હોસ્પિટલમાં પરિવાર લઈ ગયો હતો પરંતુ ડોક્ટરે સચિનને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ સચિન ની પત્નીને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.
તેમની પત્નીને મૃત્યુની જાણ થતા જ તે આઘાતમાં આવી ગઈ હતી. સચિને પોતાના બાળકને અનાથ કરી નાખ્યો હતો. તેમણે બીજા કોઈની આ વાત જણાવ્યા વગર પોતાનો જીવ ગુમાવી દીધો હતો. પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી અને તમામ પૂછપરછ કર્યા બાદ સચિનના મૃત્યુની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]