શહેરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ હવે મુસાફરી કરવી પણ સહેલી રહી નથી. જો મુસાફરી કરતી વખતે સહેજ અમતી પણ નજરચૂક થઈ જાય છે. તો ખૂબ મોટી છેતરપિંડીનો ભોગ બનવું પડે છે. અત્યારે નજર ચૂકવીને ધ્યાન બેહરા કરી છેતરપિંડી કરનાર એક ટોળકીનો પડદા પાસ થઈ ગયો છે.
સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી લોકો મુસાફરી કરતી વખતે ખૂબ જ ચેતવા લાગ્યા છે. કારણકે કેટલાક લોકો રીક્ષામાં બેસાડીને પેસેન્જર પાસેથી છેતરપીંડી કરી રૂપિયા સેરવી લેતા હોય છે. અને પેસેન્જરને ખબર પણ રહેતી નથી. આવી ઘણી બધી ઘટનાઓ અવારનવાર સામે આવી હતી..
સુરતના રેલ્વે સ્ટેશન વિસ્તારની આસપાસ કેટલાક લોકો પરીક્ષામાં પહેલેથી જ બેઠેલા હોય તો ત્યારબાદ અન્ય કોઈ મુસાફરોને બેસાડવામાં આવે છે. આ મુસાફરની વચ્ચેના ભાગે બેસાડી દેતા હતા કે અમને રિક્ષામાં બેસવામાં આગળ અગવડતા પડે છે. એમ કહીને થોડું આઘો પાછો થવાનું કહી, મુસાફરની નજર ચૂકવી લેતા હતા..
અને ત્યારબાદ તેને ગોળ ગોળ વાતોમાં ફેરવી તેમના ખિસ્સામાંથી રૂપિયા અને કિંમતી ચીજ વસ્તુ જેવા કે મોબાઈલ પણ પચાવી પાડતા હતા. અત્યારે સ્ટેશન વિસ્તારની આસપાસ પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ મોહનભાઈ તેમજ વિરેન્દ્રસિંહ ને બાતમી મળી હતી કે કેટલાક લોકો પરીક્ષાની અંદર મુસાફરો પાસેથી કિંમતી ચીજ વસ્તુઓ પડાવી લે છે..
આ બાતમી મળતાની સાથે જ મોહનભાઈ અને વિરેન્દ્રસિંહની સાથે સાથે અન્ય કર્મીઓ પણ ખૂબ જ સતર્ક થઈ ગયા હતા. અને આજે તેમની બહાદુરી, ઈમાનદારી અને કર્મનિષ્ઠાને કારણે સમીર શેખ, આમિર ખાન પઠાણ અને અકરમખાન પઠાણ નામના ત્રણ આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે..
અને તેમની પાસે રહેલી રોકડ રકમ મોબાઈલ તેમજ ઓટોરિક્ષા સહિતના મુદ્દા માલ ને જપ્ત પણ કરી લેવામાં આવ્યા છે. અને અત્યારે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેઓ સ્ટેશન વિસ્તારના આસપાસથી ચક્કર મારતા હતા અને મુસાફરોને રીક્ષામા બેસાડી અમને બેસવામાં આગવડતા પડે છે..
તેમ કહી જુદી-જુદી વાતોમાં ફેરવતા અને ત્યારબાદ તેમની પાસે રહેલા કીમતી ચીજવસ્તુને ફેરવી લેતા હતા થોડી પણ નજરચૂક થાય કે મુસાફરો ને પોતાની કીમતી ચીજ વસ્તુ ખોવાઈ દેવાનો વારો આવતો હતો. હવે આ ટોળકી સફળતાપૂર્વક પકડાઈ ગઈ છે. પોલીસની આ સહાય કામગીરીને લાખ લાખ વંદન છે.
જુદા-જુદા નાટકો કરીને તેઓ મુસાફરોને પરીક્ષામાં બેસાડી લેતા હોય છે. અને ત્યારબાદ તેમની સાથે ચોરી કરી થોડી આગળ જતા ની સાથે જ તેને નીચે ઉતારી દેવામાં આવે છે આવી ઘટનાઓને લઈ હંમેશા દરેક લોકોએ ચેતવું જોઈએ અને જાહેર જગ્યાએ મુસાફરી કરતી વખતે પોતાના જીવની સાથે સાથે રહેલી કિંમતી ચીજ વસ્તુઓનું પણ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ.
આ અગાઉ પણ સુરતમાં એક બનાવ બન્યો હતો. જેમાં ફળ વેપારી સ્ટેશન વિસ્તાર પાસે રિક્ષામાં બેસીને કશેક જતા હતા. એવામાં તેમને પાન મસાલો ખાવાની ઓફર કરનાર અન્ય મુસાફરે પાન મસાલાની અંદર ઘેની ટીકડા ભેળવી દીધા હતા અને ત્યારબાદ ફળના વેપારીને ચક્કર આવી ગયા..
અને તેઓ રિક્ષામાં જ સુવા લાગ્યા હતા. ત્યારબાદ તેમની પાસે રહેલી થેલીની અંદર રહેલા બે લાખ રૂપિયા સેરવીને તેઓ ત્યાંથી જતા રહ્યા હતા. મુસાફરી વખતે અન્ય વ્યક્તિઓએ આપેલા ખાવા પીવાના સામાન્ય પણ ખૂબ જ સાવચેતીપૂર્વક થવું જોઈએ અથવા તો ખાવાનું ટાળવું જોઈએ.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]