Breaking News

અમેરિકાથી આવીને અમદાવાદમાં રહેતા વૃદ્ધ પતિ-પત્નીએ વહેલી સવારે પોતાની સાથે કરી નાખ્યું એવું કે, જોતા જ સૌ લોકોના કાળજા ધ્રુજી ગયા..!!

અત્યારના સમયમાં લોકો પોતાની મુશ્કેલીઓથી દૂર ભાગી રહ્યા છે. જેના કારણે ક્યારેય કોઈએ વિચારી ન હોય તેવી ઘટનાઓ બની રહી છે. એકસાથે એક જ પરિવારના લોકો માનસિક તણાવ અને આર્થિક મુશ્કેલીઓમાં પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. આવી એક ઘટના હાલમાં સામે આવી છે.

આ ઘટના અમદાવાદના મકરબામાં કોર્પોરેટ રોડ નજીક આવેલા અર્ચીડ એક્ઝોટીકા નામના ફ્લેટમાં સાતમા માળે રહેતા પરિવાર સાથે બની હતી. પરિવારમાં પતિ-પત્ની જ રહેતા હતા. જેમાં પતિ કિરણ ભાઉ તેમની ઉંમર 73 વર્ષની છે અને તેમની પત્ની ઉષા ભાઉ તેમની ઉંમર 69 વર્ષની હતી. બંને એકબીજાની સાથે હળી મળીને રહેતા હતા.

તેઓ એક વર્ષ પહેલાં જ અમેરિકાથી અમદાવાદ રહેવા આવ્યા હતા. આ વૃદ્ધ દંપતી અમેરિકાથી અમદાવાદ આવ્યા ત્યારે તેઓ પ્રહલાદ નગરમાં રહેતા હતા. ત્યારબાદ છેલ્લા ચાર મહિનાથી જ તેઓ અર્ચીડ એક્ઝોટીકા નામના ફ્લેટમાં રહેવા આવ્યા હતા. તેઓ ફ્લેટના સાતમાં માળે એકલા જ રહેતા હતા. વૃદ્ધ દંપતીને કોઈ સંતાન ન હતું.

જેના કારણે તેઓ પોતાની એકલવાઈ જિંદગી જીવતા હતા. બંને પોતાની જિંદગીમાં ખૂબ જ ખુશ હતા. તેમના ભત્રીજા અને પરિવારના સગા સંબંધીઓ સાથે તેઓ અવારનવાર મળતા અને ગમે તે કામ હોય ત્યારે તેમના ભત્રીજાને તેઓ બોલાવતા હતા. ઉષાબેન તેમના પતિ કિરણભાઈ સાથે દરરોજ સવારના સમયે હાલવા માટે જતા હતા.

બંને વૃદ્ધ દંપત્તિ નિવૃત્ત હોવાથી બંને જ્યાં પણ જાય ત્યાં સાથે જતા હતા પરંતુ એક દિવસ બંને જણાએ વહેલી સવારે ઊઠીને તેમના ભત્રીજાને અને પારિવારિક ડોક્ટરોને વોટ્સએપમાં મેસેજ કર્યા હતા. આ મેસેજ જોતા જ તેમનો ભત્રીજો તરત જ કિરણભાઈના ઘરે પહોંચી ગયો હતો અને ઘરે આવીને તેમણે તેમના કાકાના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો.

પરંતુ કિરણભાઈએ દરવાજો ખોલ્યો નહીં અને ઘરમાંથી પણ કોઈ અવાજ આવતો ન હોવાને કારણે ભત્રીજો ખૂબ જ ગભરાઈ ગયો હતો. તેણે તરત જ સરખેજ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસને ઘટનાની જાણ થતા તરત જ તે ઘટના સ્થળે પહોંચી હતી અને ફ્લેટના સાતમા માળે જઈને તેઓએ કિરણભાઈના ઘરનો દરવાજો તોડી નાખ્યો હતો.

દરવાજો તોડીને અંદર જતા જ ભત્રીજાએ અને પોલીસે એવું જોયું કે, જોતા જ તેઓ ચોકી ગયા હતા અને ભત્રીજો આઘાતમાં ઢળી પડ્યો હતો. દરેક લોકોએ જોયું તો કિરણભાઈ અને ઉષાબેન લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા તેઓને તરત જ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

બંનેની સારવાર ચાલુ કરાઈ હતી પરંતુ સારવાર દરમિયાન ઉષાબેનનું મૃત્યુ થઈ ગયું હતું અને કિરણભાઈની ગંભીર હાલત હોવાથી તેમની સારવાર ચાલી રહી હતી. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે બંને જણાએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તે બંનેના હાથ અને ગળામાં ચાકુના ઘા ના નિશાન જોવા મળ્યા હતા.

બંને જણાએ સાથે આપઘાત કરી લેવાનું વિચાર્યું હતું પરંતુ ભત્રીજો સમયસર પહોંચી જતા કિરણભાઈનો જીવ બચી ગયો હતો અને તેમની પત્નીનું અવસાન થઈ ગયું હતું. ત્યારબાદ પોલીસ આગળની તપાસ કરી રહી હતી. આ વૃદ્ધ દંપતીએ શા માટે આવું પગલું ભર્યું તેની પોલીસ તપાસ કરી રહી હતી…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *