ક્યારે કોની સાથે શું બની થઈ તે કહી શકાતું નથી. અવારનવાર દરેક વિસ્તારમાંથી એવા ચોકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં ઘણા બધા વ્યક્તિઓ પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આવી જ એક ઘટના અમદાવાદ શહેરમાં બની હતી, અમદાવાદના નારાયણપુરા વિસ્તારમાં જય મંગલ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે આવેલા મોદી આઈ કેર હોસ્પિટલમાં દર્દનાક ઘટના બની હતી.
હોસ્પિટલમાં ઘણા સમયથી દરેક દર્દીઓની સારવાર થઈ રહી હતી. મોદી આઈ કેર સેન્ટર નામની હોસ્પિટલમાં ડૉ. ધવલ મોદી ઘણા સમયથી દર્દીઓની સારવાર કરીને તેમને સાજા કરી રહ્યા હતા. હોસ્પિટલ દિવસ દરમિયાન ચાલુ રાખવામાં આવતી હતી. હોસ્પિટલ માત્ર ડે કેર હોસ્પિટલ છે, રાત્રે કોઈ પણ દર્દીને દાખલ કરવામાં આવતા નહોતા.
અને દિવસ દરમિયાન સારવાર કરવામાં આવતી હતી. જેના કારણે રાતના સમયે હોસ્પિટલ બંધ રહેતી હતી. તેઓ સિક્યુરિટી ગાર્ડ તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા હતા. તેઓ છેલ્લા એક વર્ષથી હોસ્પિટલમાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા. આ યુવકનું નામ નરેશભાઈ પારઘી હતું. તેમની ઉંમર 25 વર્ષની હતી.
તેમની પત્ની હર્ષાબેન પારઘી તેમની ઉંમર 26 વર્ષની હતી. તે બંને હોસ્પિટલમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે પોતાની ફરજ બજાવતા હતા. રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં ધરિયાવાદ ગામમાં રહેતા હતા. પરંતુ તેઓ નોકરી ધંધા માટે અમદાવાદ શહેરમાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ આ હોસ્પિટલમાં કામ કરીને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
એક દિવાલ અચાનક હોસ્પિટલમાં આગ લાગી હતી. સિક્યુરિટી ગાર્ડ તરીકે નરેશભાઈ તેમની પત્ની પોતાની ફરજ બજાવી રહ્યા હતા. તે સમયે હોસ્પિટલનો સ્ટાફ હોસ્પિટલમાં ન હતો. હોસ્પિટલ બંધ હતી પરંતુ અચાનક જ આગ લાગી હતી. તે સમયે નરેશભાઈ તેમની પત્ની હોસ્પિટલમાં ચેકિંગ કરવા માટે ગયા હતા. આગ ક્યાંથી લાગી છે તેમ તેઓ જોઈ રહ્યા હતા.
ત્યારબાદ હોસ્પિટલમાં આગ લાગેલી જોઇને આસપાસના લોકો તરત જ હોસ્પિટલના માલિક ડોક્ટર ધવલને પોતાની હોસ્પિટલમાં આગ લાગ્યાની જાણ કરી હતી. જેના કારણે ધવલભાઇએ સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા નરેશભાઈને ફોન કર્યો હતો પરંતુ નરેશભાઈ ફોન ઉપાડ્યો નહી જેના કારણે હોસ્પિટલ કર્મચારીઓનો સ્ટાફ આવીને તપાસ કરી રહ્યો હતો.
તે સમયે તેમણે એવું કંઈક જોયું કે જેના કારણે સ્ટાફ ગભરાઈ ગયો હતો. નરેશભાઈ અને તેમની પત્ની એવી હાલતમાં જોવા મળ્યા હતા કે જેના કારણે હોસ્પિટલમાં દુઃખનો માહોલ છવાઈ ગયો હતો. નારાયણપુરા વિસ્તારમાં આગ લાગવાથી લોકો હોસ્પિટલ પહોંચી ગયા હતા અને દરેક લોકોએ જોયું તો નરેશભાઈ અને તેમની પત્ની દાદર પર મૃત જોવા મળ્યા હતા.
તરત જ પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી અને ફાયર બીગેડ પણ બોલાવવામાં આવી હતી. ત્યારબાદ બંનેના મૃતદેહની પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા હતા. નરેશભાઈ અને તેમની પત્નીનું મૃત્યુ આગમાં ગૂંગળામણને કારણે થયું છે. નરેશભાઈના પરિવારને પત્ની-પતિના મૃત્યુની જાણ થતાં પરિવાર આઘાતમાં આવી ગયું હતું…
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]