Breaking News

અંબાલાલ પટેલે આપી મહત્વપૂર્ણ આગાહી, આ વિસ્તારમાં ઠંડા વરસાદ સાથે તોફાની વાવાઝોડાની આગાહી..! વાંચો..!

અંબાલાલ દામોદર પટેલે ખુબ મોટી આગાહી આપી છે. આ આગાહીના સમાચાર મળતા જ મોટું સંકટ પેદા થયું છે. અંબાલાલ પટેલે તારીખ 22 અને 23 એ ભારે વરસાદની આગાહી કરી હતી એ બાદ ફરી એક નવી આગાહી આપતા લોકોને ચોંકાવી દીધા છે.

અંબાલાલ પટેલના મતે જાન્યુઆરી મહિનાના અંત અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં અતિભારે તોફાની માવઠાની સાથે સાથે નાના નાના વાવાઝોડા આવવાની શક્યતાઓ રહેલી છે. આ આગાહી મળતા જ ખેડૂત મિત્રો ચિંતામાં મુકાઈ ગયા છે. કારણ કે આ વર્ષે માવઠા અને વાવાઝોડાને કારણે જ ખેતીમાં ખુબ મોટું નુકસાન સહન કરવું પડ્યું છે.

અને ફરી પાછું વાવાઝોડું આવશે તો હજી પણ વધારે નુકસાન સહન કરવાનો વારો આવશે. હાલ ગુજરાતમાં આગાહી મુજબ જ વાદળો ઘેરાઈ ગયા છે. અને અમુક અમુક વિસ્તારોમાં વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. અંબાલાલે જણાવ્યું હતું કે 22 અને 23 તારીખે કમોસમી વરસાદ પડશે…

આ વરસાદની મોટી અસર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં દેખાશે. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે આ વરસાદની આગાહી હતી. અંબાલાલે વાવાઝોડાની આગાહી આપતા જણાવ્યું છે કે આ વાવોઝોડું વિકરાળ નહી હોઈ પરતું સામાન્ય હશે. પરતું તેના લીધે પવન ભારે સુસવાટા બ્લાવશે જેના પગલે ખેતરમાં પાક આડા પડી જવાની સંભાવના રહેલી છે.

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ગ્રહોને આધારે હજુ પણ દેશના ઉત્તરીય પ્રવતીય પ્રદેશોમાં ભારે બરફવર્ષા, ભારે કરા તેમજ કમોસમી વરસાદ પડવાની શક્યતા રહેલી છે. તેથી ગુજરાતમાં ઠંડીનું વાતાવરણ જામેલું રહેશે. સવાર સવારમાં ધુમ્મસ પણ વધારે માત્રામાં જોવા મળે છે.

હજુ પણ આગામી 23 જાન્યુઆરી સુધીમાં રાજ્યના ભાગોમાં કમોસમી વરસાદ બાદ રાજ્યના કેટલાક ભાગોમાં સખત ઠંડીનું મોજું ફરી વળવાની શક્યતા રહેશે. તેમજ વહેલી સવારે ઝાંકળ પણ પડી શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુતમ તાપમાનનો પારો ગગડી 7 ડિગ્રી સુધી જઈ શકે છે.

ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠાના ભાગો, રાધનપુર, પાલનપુર, સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના કેટલાક વિસ્તારોમાં ગાત્રો થીજવતી ઠંડી પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ લઘુતમ તાપમાન આઠ ડિગ્રીથી નીચે જવાની શક્યતા રહેશે.

દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જીલ્લામા પણ ઠંડીનું મોજુ ફરી વળશે. ઉત્તર સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં પણ કાતિલ ઠંડીની શક્યતા રહે. દરિયા કિનારાના ભાગોમાં વાદળો ઘેરાશે. માસના અંત સુધીમાં રાજ્યના ભાગમાં ઝાંકળ પડવાની શક્યતા રહે. 29 જાન્યુઆરીમાં પણ હવામાનમાં પલટો આવે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *