Breaking News

અંબાલાલ પટેલની ‘જવાદ’ વાવાઝોડા અંગે મોટી આગાહી, આ તારીખે ગુજરાત પર મોટા સંકટના વાદળો ઘેરાશે..

ગુજરાતમાં હાલ ઠંડા શિયાળાની વચ્ચે અતિભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કારણકે થાઈલેન્ડમાં ઉત્પન્ન થયેલા હવાના હળવા દબાણના કારણે જવાદ વાવાઝોડું પેદા થયું છે. જે અંદમાન નિકોબાર ટાપુ પાસે પહોંચી ગયું છે. અને 4 તારીખના રોજ ઓરિસ્સા તેમજ આંધ્રપ્રદેશમાં દરિયાકિનારે ટકરાશે અને ત્યારબાદ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ની વચ્ચે થી ગુજરાતમાં પ્રવેશવા જઈ રહ્યું છે.

વાવાઝોડાના પગલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આપી છે. તેમજ ગુજરાતના હવામાન વિભાગે પણ આ વાવાઝોડાને પગલે કુદરતી આફતોના રેસ્ક્યુ માટે NDRF કોને SDRFની ટીમો તૈનાત કરી દીધી છે.

ભારતના હવામાન વિભાગે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે ભારતમાં એક મોટું વાવાઝોડું પ્રવેશવા જઈ રહ્યું છે. જેના કારણે કેટલાય રાજ્યો તબાહીનો ભોગ બની જશે. તેમજ મોટા પ્રમાણમાં નુકસાનનો પણ સામનો કરવો પડશે.

આ વર્ષે ગુજરાતમાં વરસાદ ખૂબ જ નુકસાનકારક નીવડયો છે. કારણ કે જે વિસ્તારોમાં વરસાદ પડ્યો છે ત્યાં ભુક્કા કાઢી નાખ્યા છે. અને જ્યાં નથી પડ્યો ત્યાં સાવ ઓછો પડ્યો છે. જેના લીધે ખેતીમાં અસમતાનો દેખાવ સામે આવ્યો છે. તેમજ ખેતરમાં ઉભા પાક બળી ગયા છે.

તો વરસાદી પાણી ઘરમાં ઘૂસી જતાં કેટલાય લોકોના ઘર પણ ડૂબી ગયા છે. વાવાઝોડા તો વારંવાર આવે છે અને જતા પણ રહે છે. પરંતુ તેના કારણે અસરગ્રસ્ત લોકો બેહાલ બની જતા હોય છે. ગુજરાતમાં થોડા સમય પહેલા તાઉતે અને ગુલાબ વાવાઝોડું ત્રાટક્યું હતું. જેના પગલે અમરેલી, સુરેન્દ્રનગર તેમજ જામનગરના ઘણા વિસ્તારોમાં લોકોના ઘર પડી ગયા હતા.

તેમજ ખેતરો પણ ધોવાઈ ગયા હતા. તો કેટલાય લોકોના પશુઓ પાણીમાં તણાઈ ચૂક્યા હતા. હવામાન નિષ્ણાત અશોકભાઈ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 2 તારીખ અને 3 તારીખ ના રોજ સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગર માં હળવાથી ભારે વરસાદની આગાહી રહેલી છે.

તેમજ ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, તેમજ સાબરકાંઠા અને પંચમહાલના અમુક અમુક ભાગોમાં નહિવત વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વડોદરા, ભરૂચ, ડાંગ, વલસાડ તેમજ નર્મદા અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેલી છે.

આ વરસાદ અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે આવેલો છે. પરંતુ જ્યારે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પૂર્ણ થશે. ત્યાં તો જવાદ વાવાઝોડું ત્રાટકી ચુક્યું જશે. એટલા માટે ગુજરાતમાં એક અઠવાડિયા સુધી વરસાદી માહોલ જોવા મળશે. આના પગલે સમગ્ર રાજ્યમાં તાપમાનમાં પણ ભારે માત્રામાં ઘટાડો જોવા મળશે અને કડકડતી ઠંડીનો સામનો કરવા સૌ કોઈને તૈયાર રહેવું પડશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *