ગુજરાતમાં હાલ ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ ઘટવા લાગ્યું છે, એક બાજુ હળવા હળવા વાદળો બંધાઈ રહ્યા છે તેમજ વાદળ છાયું વાતાવરણ બની રહ્યું છે. તેવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં ફરીએક વાર વરસાદી માવઠા તેમજ વાવાઝોડા ત્રાટકવા જઈ રહ્યા છે..
પશ્ચિમી વિક્ષેપો તેમજ બંગાળની ખાડીમાં ઉત્પન થયેલા લો પ્રેસરને કારણે ગુજરાત પર એક તોફાની વરસાદી ખેંચી લાવે તેવી સીસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. જેના પગલે ઘણા વિસ્તારોમાં હલકું ફૂલકું વાવાઝોડું આવશે અને કમોસમી વરસાદ કહેર મચાવવા પહોચી જશે. આ આગાહી સાંભળતા જ ખેડૂત મિત્રો ગહેરી ચિંતામાં મુકાઈ ગયા છે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હાલ થોડાક દિવસો એટલે કે ૩ તારીખથી લઇને ૭ તારીખ સુધી ઠંડી પડવાની કોઈ શક્યતા રહેલી નથી. પરંતુ એ પછીના દિવસોમાં તોફાની કમોસમી વરસાદ પડશે તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે. ઠંડી ઓછી થતા ગુજરાતના મોટા ભાગના શહેરોના લઘુતમ તાપમાન ખુબ જ ઉંચકાયા છે.
જેમાં ગાંધીનગરમાં તાપમાનનો પારો ૫ ડીગ્રી ઊંચક્યો છે તો નલીયામાં ૭ ડીગ્રી.. નલીયામાં હાલનું તાપમાન ૧૫ ડીગ્રીની આસપાસ નોંધાયું છે. અમદાવાદમાં ૧૫ ડીગ્રી તો ડીસામાં ૧૬ ડીગ્રી તાપમાન નોંધાયું છે.. દક્ષીણ ગુજરાતમાંથી તો ઠંડી ક્યાંક લપાઈને બેસી ગઈ હોઈ તેવું લાગી રહ્યું છે.
હાલ મોટાભાગઅ શહેરમાં તાપમાનમાં વધારો થતા એવું લાગી રહ્યું છે કે હવે ઠંડી ખુબ જલ્દી જ વિદાય લઇ લેશે. ધીમે ધીમે હવે ઉનાળા જેવો અહેસાસ થવા પણ લાગ્યો છે. જોકે, હાલ માં જ ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થઇ છે તેથી ગુજરાતમાં હજી એક છેલ્લી ઠંડીની લહેર આવશે ત્યાર બાદ શિયાળો વિદાય લેશે તેવું લાગે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]