ગુજરાતમાં જ્યારથી શિયાળાની શરૂઆત થઈ છે, ત્યારથી વાતાવરણમાં ચોક્કસ ઠંડીનો માહોલ જોવા મળતો નથી, કારણ કે ચોમાસામાં અનિયમિત રીતે વરસાદ વરસ્યા બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વિક્ષેપની અસરોના કારણે હવામાન ખૂબ જ અનિયમિત બનતા અવાર નવાર માવઠાઓ તેમજ વાવાઝોડાઓ કહેર મચાવવા માટે પહોંચી ગયા હતા…
જેના પગલે શિયાળાની ઠંડી કંઈક છુપાઈને બેસી ગયો હોય તેવું લાગે છે. અતિશય માવઠાઓ અને વાવાઝોડાને સહન કર્યા બાદ હવે સૌ કોઈ લોકો એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે હવે માવઠા ન વરસે તો સારું…. કારણકે ચોમાસામાં અનિયમિત વરસાદને કારણે મોટાભાગના પાકોમાં નુકસાન થયું હતું…
ત્યારબાદ જે બચેલો ભાગ હતો તે પણ માવઠા અને વાવાઝોડાના કારણે નષ્ટ થયો હતો. હજુ પણ જો માવઠાઓ આવશે તો જે વિસ્તારો અસરગ્રસ્ત નથી બન્યા તે વિસ્તારોમાં પણ મોટા પાયે નુકસાન થવાનો ભય રહેલો છે. આ માહોલની વચ્ચે ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી તેમજ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વખત આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં 19 તારીખથી લઇને 22 તારીખ સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે કમોસમી માવઠાઓ વરસવા માટે પહોંચી જશે…
આગાહી વાંચતા જ ખેડૂતોમાં ચિંતા નો માહોલ પ્રસરી ગયો છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 19 અને 20 તારીખ ના રોજ તાપમાનમાં અચાનક પલટો આવશે. તેમજ વાદળો ખેંચાઈ આવવાનુ શરૂ થઈ જશે. ત્યારબાદ 21 અને 22 તારીખના રોજ ગુજરાતના અલગ અલગ જગ્યા ઉપર કમોસમી વરસાદ વરસવાના સંજોગો દેખાઈ રહ્યા છે..
આમાંથી સૌથી વધુ અસર ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, પાલનપુર તેમજ કચ્છનું નાનું રણ અને મોટા રણમાં બાગાયતી પાકો ખરાબ થવાની મોટાભાગની શક્યતાઓ રહેલી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ માવઠાઓ વરસવાની શક્યતા રહેલી છે..
અતિ ભારે આગાહીના પગલે ગુજરાતમાં બે દિવસ ઠંડીનો માહોલ ઓછો થઈ જશે. જ્યારે માવઠાઓ વિરામ લેશે ત્યાર બાદ ઠંડી ફરિવાર માથું ઊચકશે. હાલ માવઠાની અસર ના કારણે તાપમાનમાં ચાર ડિગ્રી લઈને પાંચ ડિગ્રી સુધીનો વધારો થયો છે. તેથી ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે.
આ માવઠાની આગાહી આવતા જ ખેડુતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. કારણ કે ખૂબ મહેનત બાદ પોતાના નાના છોકરાની જેમ જ પાક ને સાચવીને ઉભો કર્યો હોય અને અચાનક જ એક માવઠું સમગ્ર પાક ને તબાહ કરીને ચાલ્યું જાય એ બાબત કોઈ કારણે સહન ન થઈ શકે. અગાઉ પણ કમોસમી વરસાદના કારણે મોટાભાગના ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.
આપણે આશા રાખીએ છીએ કે કમોસમી માવઠાએ અને વાવાઝોડા આવો વિરામ લે અને દેશના ખેડૂત ભાઈઓ કોઈપણ સંકટમાં મુકાયેલા વગર મબલક પ્રમાણમાં પાકનું ઉત્પાદન કરી શકે. અગાઉ પણ અંબાલાલ પટેલે 4 જાન્યુઆરીથી લઈને 7 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદ તેમજ માવઠાની આગાહી આપી હતી…
એ મુજબ ગુજરાતના ઘણા વિસ્તારોમાં છુટા છવાયા વરસ્યા હતા હવે અંબાલાલ પટેલે 21 તારીખ અને 22 તારીખની અતિભારે વરસાદની આગાહી આપી છે. તો આ વખતે પણ કમોસમી વરસાદ થવાની પૂરે પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]