Breaking News

અંબાલાલ પટેલે આપી અષાઢી બીજથી તોફાની પવન અને વીજળીના કડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી, આ વિસ્તારો માથે મોટું સંકટ ત્રાટકતા જ ખેદાન મેદાન થઇ જશે..!

જ્યારથી ગુજરાતમાં મેઘરાજાનું આગમન થયું છે. ત્યારથી જુદા-જુદા તાલુકાઓમાં હળવાથી મધ્યમ ઝાપટા વરસવા લાગ્યા છે. તેમજ અમુક અમુક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. જેના કારણે ઠેર-ઠેર પાણી ભરાવાના અને જનજીવન ખોરવાઈ જવાના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા. અને હવે ગુજરાત રાજ્યના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી આપતા જણાવ્યું છે કે..

અષાઢી બીજના દિવસથી રાજ્યમાં તોફાની પવન અને વીજળીનાં કડાકા સાથે મેઘરાજા ધડાધડી બોલવા જઈ રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં ખેડૂતો કાગડોળે સારા વરસાદની રાહ જોઇને બેઠા હતા. પરંતુ હવે તેઓને લાંબો સમય વરસાદની રાહ જોવી પડશે નહીં કારણકે અષાઢી બીજના દિવસથી ગુજરાત ઉપર ભારે વરસાદના વાદળો ખેંચાઈ આવ્યા છે.

જેના પગલે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા અને ભરૂચમાં વાવાઝોડા સાથે વરસાદ ત્રાટકવાની આગાહી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, પંચમહાલ, નડિયાદ, અમદાવાદ, સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે તેમજ નદી-નાળામાં પણ વહેવા લાગશે..

આ ઉપરાંત ખેડૂતો રાજીના રેડ થઈ જાય તેવા વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે. આ સાથે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓ જેવા કે ભાવનગર જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, અમરેલી, જુનાગઢ તેમજ કચ્છ-ભુજમાં અતિભારે થી વિનાશક પૂર સર્જે તેવો વરસાદ વરસવાની આગાહી હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલે આપી છે.

ગુજરાતમાં આ વર્ષની સિઝનનો સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. સમગ્ર ચોમાસા દરમિયાન સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં નોંધાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે સાથે તેઓએ જણાવ્યું છે કે, રાજ્યમાં કુલ ૧૦૫ ટકા કરતાં પણ વધારે વરસાદ વરસવા જઈ રહ્યો છે..

આ સમાચાર સામે આવતા જ ખેડૂતોમાં આનદનો માહોલ છવાઇ ગયો હતો. બીજી બાજુ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાતમાં પણ આગાહી આપતા જણાવ્યું છે કે, અષાઢી બીજના બીજા દિવસથી મહેસાણા, પાટણ, પાલનપુર, સાબરકાંઠા, બનાસકાંઠા, ડીસા, હિંમતનગર અને ગાંધીનગર તેમજ કલોલમાં અતિશય ભારે વરસાદ વરસવાની આગાહી આપી છે..

આ તમામ જિલ્લામાં અંદાજે ૪ ઇંચથી લઇને સુધીનો વરસાદ નોંધાયો છે. એવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આ સાથે સાથે રાજ્યના તમામ નદી નાળા અને ડેમોમાં પાણીની આવક વધવાની સાથે જળ સ્તર ઊંચા આવશે. આદ્રા નક્ષત્ર બેસતાની સાથે જ મેઘરાજાએ ધડબડાટી બોલાવી દેતા નદીઓમાં રેલ આવી ગઈ હતી અને હવે આદ્રા નક્ષત્રમાં વરસાદની ગતિ તેજ બનવા જઈ રહી છે..

જેના પગલે અષાઢી બીજના દિવસથી તો અમુક વિસ્તારોમાં અષાઢીબીજના બીજા દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી રાજ્યના હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ ની આગાહી આપી છે. આ સાથે સાથે જે વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે એટલે કે અનુમાને 5 થી લઈને 8 ઈંચ સુધીનો વરસાદ વરસશે. તે વિસ્તારમાં વિનાશક પૂર આવવાની પણ સંભાવના રહેલી છે..

તેમજ નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ભારે હાલાકીનો ભોગ પણ બનવું પડશે જે વિસ્તારોમાં વરસાદી વાદળો ખૂબ જ તેજ બની રહ્યા છે. તે વિસ્તાર ઉપર વાવાઝોડા સાથે વરસાદ ત્રાટકવા જઈ રહ્યો છે. જેના કારણે મોટું સંકટ પણ ઉભું થઈ શકે છે. અને એ વિસ્તારના ખેડૂતોને પણ નુકસાની વેઠવાનો વારો આવી શકે તેમ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *