હવે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેને કારણે અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ધડાકા સાથે ગાજવીજ વરસાદ વરસ્યો છે. અને હવે આવનારા ત્રણ દિવસો હજુ પણ અતિ ભારે વરસાદ વરસશે. તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી દીધી છે.
તેઓએ જણાવ્યું કે નવસારી અને વલસાડમાં ભારે થી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી છે. જ્યારે 11 અને 12 તારીખના રોજ સમગ્ર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ વરસશે. આ સાથે સાથે કેટલાક તાલુકાઓમાં 10 ઇંચ તો કેટલાક તાલુકાઓમાં 15 સુધીનો વરસાદ પણ વરસવા લાગશે.
જ્યારે સૌરાષ્ટ્રને કચ્છમાં 12 તારીખના રોજ વીજળીના કડાકા સાથે તેમજ તોફાની પવનની એન્ટ્રી સાથે અતિશય ભારે વરસાદ વરસવાની આગાહી આપી દીધી છે. 10 તારીખે સુરત, નવસારી, વલસાડમાં આઠ ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસવાની આગાહી આપી દેવામાં આવી છે. જેમાં લોકોને ભારે હાલાકીનો ભોગ બનવું પડશે તેમજ નીચાણ વાળા વિસ્તારોને માટે ખૂબ મોટું સંકટ આવવી પડશે…
તેમજ સુરત, તાપી, ડાંગ, જુનાગઢ, ગીર સોમનાથમાં 4 ઇંચ થી લઇ 8 ઈંચ સુધીનો વરસાદ વરસશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે 11 તારીખના રોજ જુનાગઢ, ડાંગ, વલસાડ અને નવસારીમાં 8 ઇંચ કરતાં વધારે વરસાદ જ્યારે ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપીમાં 5 ઇંચ થી 7 ઇંચ સુધીનો વરસાદ તેમજ 12 તારીખે જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારીમાં 8 ઇંચ કરતાં વધારે વરસાદ…
અને પોરબંદર, ભાવનગર, ભરૂચ, ડાંગમાં 11 ઇંચ કરતા વધારે વરસાદ વરસે તેવી આગાહીઓ આપવામાં આવી છે. એટલે કે આવનાર ત્રણ દિવસ ગુજરાત ઉપર ખૂબ જ ભારે રહેશે તેવી આશકાઓ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વ્યક્ત કરી દીધી છે. આ સાથે જ તેઓએ જણાવ્યું છે કે, હાલ ગુજરાતના મોટાભાગના ભાગોમાં સારો વરસાદ વરસી રહ્યો છે..
જ્યારે કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. પરંતુ બંગાળના ઉપસાગરમાં વિશિષ્ટ સ્થિતિ સર્જાવાને કારણે અરબ સાગરમાં લો પ્રેશર સર્જાયું છે. અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં અતિશય ભારે વરસાદ વરસવા જઈ રહ્યો છે. જેને પગલે 10 તારીખથી લઈ 15 તારીખ વચ્ચે માછીમારો અને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે..
આ ઉપરાંત અતિ ભારે વરસાદને કારણે તમામ નદીઓ ગાંડીતુર બનશે, જ્યારે ચેક ડેમો પણ ઓવરફ્લો થઈ જવાના બનાવ સામે આવશે આ ઉપરાંત તેઓએ જણાવ્યું છે કે, આગામી દિવસમાં એટલો સારો વરસાદ વરસવાનો છે કે, જે ભાગોમાં વાવણી લાયક વરસાદ વરસ્યો નથી તે તમામ ભાગોને મેઘરાજા પાણીથી તરબોળ કરી દેશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]