અત્યારે માત્ર 19 વર્ષના અનિલ સાથે એવી ઘટના બની ગઈ છે કે, પરિવારની સાથે સમગ્ર ગામ શોકના માહોલમાં ડૂબી ગયું છે, આ મામલો મધ્યપ્રદેશના વિદિશાનો છે. અહીં લોદી ગામની અંદર 19 વર્ષનો અનિલ તેના પરિવાર સાથે રહે છે. અનિલ તેના અન્ય ચાર મિત્રોની સાથે અમરનાથની યાત્રા કરવા માટે પોતાના ઘરેથી નીકળવાનો હતો..
તેણે તેના માતા પિતાને પણ જણાવ્યું હતું કે, તે વરકોટડા વિસ્તારમાં રહેતા તેના અન્ય મિત્રોની સાથે અમરનાથની યાત્રા કરવા માટે જઈ રહ્યો છે, તેના માતા પિતાની મંજૂરી લીધા બાદ તે અમરનાથની યાત્રા કરવા માટે નીકળી ગયો હતો. ત્યાં નીચે બેઝ કેમ્પથી શરૂઆત કરીને તેઓએ ચાલવાનું શરૂ કર્યું હતું..
તેઓ ચાલતા ચાલતા જ આ પર્વતની ચડાઈ કરવા લાગ્યા હતા, જ્યારે રસ્તામાં તેમને ખૂબ જ થાક લાગ્યો ત્યારે રાત્રિના સમયે તેઓ ત્યાં જ સૂઈ ગયા હતા. સવારે જ્યારે અનીલ જાગ્યો ત્યારે તેની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી, તેની સાથે રહેલા તેના અન્ય ચાર મિત્રોએ પણ આ વાતની જાણકારી ત્યાં નજીકમાં રહેલા કેમ્પમાં આપી હતી કે, અનીલ ખૂબ જ બીમાર થઈ ગયો છે..
અને હવે તે ઉપર ચડી શકે તેવી હાલતમાં નથી, ત્યાં કેમ્પ ની અંદર તેની સારવાર કરવામાં આવી હતી. પરંતુ તેની તબિયતમાં કોઈ પણ પ્રકારનો સુધારો ન આવવાને કારણે તેને મોટી હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે લઈ જવો પડશે તેવું જણાવ્યું હતું. પરંતુ એ સમયે ત્યાં ખૂબ જ વધારે પડતો બરફ પડી જવાને કારણે પગપાળા ચાલવાના રસ્તા પણ બંધ થઈ ગયા હતા..
તેમજ હેલિકોપ્ટરની સેવા પણ બંધ થઈ ચૂકી હતી, એટલા માટે અનિલની સાથે સાથે એક દિવસ વધારે આ કેમ્પની અંદર રોકાવું પડ્યું હતું. જ્યારે બીજા દિવસે બરફ પડવાનું બંધ થઈ ગયું ત્યારે હેલિકોપ્ટરની મદદથી બાટલા વિસ્તારમાં આવેલી હોસ્પિટલની અંદર તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો..
ત્યાં પણ લાંબી સારવાર લીધી છતાં પણ તેને હાલતમાં કોઈ પણ સુધારો ન થતા તેને શ્રીનગરની હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો હતો, જ્યાં તેને ત્રણ દિવસ સુધી સારવાર લીધી પરંતુ ડોક્ટર તેને બચાવી શક્યા નહીં અને તેનું ત્યાં મૃત્યુ થઈ ગયું હતું. અનિલા ચારે મિત્રોએ તેના પરિવારજનોને સમાચાર આપ્યા કે, અનીલ આ દુનિયાની અંદર રહ્યો નથી..
અમરનાથની યાત્રા કરવા માટે તેઓ પગપાળા ચાલવાનું શરૂ કર્યું હતું, પરંતુ અડધે રસ્તે જ તેની તબિયત બગડી ગઈ અને હવે તેનું મૃત્યુ થઈ ગયું છે, ડોક્ટરોએ ઘણી મહેનત કરી પરંતુ તેને બચાવી શકાય એવું નથી. અનિલનો મોટો ભાઈ કેશવ તરત જ ત્યાં પહોંચ્યો હતો અને એક ફ્લાઇટની મદદથી અનિલને ભોપાલ લઈ જવામાં આવ્યો હતો..
ત્યાંથી એમ્બ્યુલન્સના માધ્યમથી તેના ગામ સુધી અનિલની લાશને લઈ આવવામાં આવી હતી, અનિલના માતા પિતા તેના મૃત્યુના બનાવને લઈને ખૂબ જ દુઃખી હતા, ગામના દરેક લોકોએ અંતિમ સંસ્કારની વિધિઓ પણ શરૂ કરી દીધી હતી. સૌ કોઈ લોકોએ અશ્રુભીની આંખે તેને અંતિમ વિદાય આપી હતી..
પરિવાર ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યો ગયો છે, અનિલ અમરનાથની યાત્રા દર્શન કરવા માટે નીકળ્યો હતો. પરંતુ એ જ દીકરો મરેલી હાલતમાં ઘરે પરત આવ્યો હતો, આ દુઃખની ઘડીને કોઈપણ વ્યક્તિ સહેલાઈથી સહન કરી શકતું નથી. અનિલનો મોટો ભાઈ પણ ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યો ગયો હતો..
અનિલની બહેનનું પણ કેવું છે કે, અને ઘણા સમયથી અમરનાથની યાત્રા કરવા માટે જવાનું કહેતો હતો. પરંતુ આ વર્ષે તેને ઘરેથી મંજૂરી મળતા તે તેના મિત્રો સાથે યાત્રા કરવા માટે નીકળ્યો હતો. પરિવારને એવી તો શી ખબર કે, તેનો દીકરો યાત્રા કરવા માટે તો જઈ રહ્યો છે. પરંતુ ઘરે જીવતે આ હાલતમાં પરત નહીં આવી શકે..
જો થોડી ઘણી પણ શંકા હોત તો ફરીવાર ક્યારેય પણ અનિલને ઘરની બહાર નીકળવા દેત નહીં, અને મોટી બહેનનું કહેવું છે કે, ભગવાને જે કાઈ ઈચ્છ્યું છે તે થઈને જ રહેવાનું છે. અનિલને ભગવાનના શરણે ચાલ્યો ગયો છે, થોડા દિવસ સુધી દરેક વ્યક્તિને આ દુઃખની ઘડી ખૂબ જ સતાવતી રહેશે પરંતુ ત્યારબાદ બધું જ બરાબર થઈ જશે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]