ગઈકાલે રાત્રિ દરમિયાન બનેલા અકસ્માત અંદાજે નવ વ્યક્તિઓના મૃત્યુ થયા હોવાનો સામે આવ્યો છે, આ અકસ્માત એટલો બધો ભયંકર હતો કે જેને નજરે જોનારા લોકો તો ચીખો ફાડી બેઠા હતા, અકસ્માત રાતના એક વાગ્યે આસપાસ બન્યો હતો, આ અકસ્માત સર્જાતાની સાથે જ બ્રિજ ઉપર અંદાજે 200 કિલોમીટર સુધી લાશોનો પથારો પથરાઈ ગયો હતો..
મૃતક વ્યક્તિઓના પરિવારજનો તેમજ અકસ્માતમાં જાગ્રસ્ત થયેલા લોકોનો પરિવારજનો પણ આવી પહોંચ્યા હતા, ઈજાગ્રસ્ત લોકોને શહેરની જુદી-જુદી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે મૃતક વ્યક્તિઓને શબવાહિની મારફતે અહીંથી લઈ જવામાં આવ્યા હતા..
ઈજાગ્રસ્ત વ્યક્તિઓમાંથી મોટાભાગના લોકોને સોલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં એક પિતા ડોક્ટરને પોતાના મૃત દીકરા અંગે એવી આજીજી કરતા નજરે ચડાયા હતા, જે જોઈને દરેક લોકોના આંખમાંથી આંસુ નીચે સરી પડ્યા હતા. આ પિતા તેના બાળકને ડોક્ટર પાસે બતાવવા લાગ્યા અને કહેવા લાગ્યા કે તેના દીકરાને થોડું પંપિંગ કરશો તો તેનામાં પાછો જીવ આવી જશે..
તેમજ તેને વેન્ટિલેટર ઉપર રાખોને કારણ કે મારો દીકરો હમને જીવતો થઈ જશે, ડોક્ટર સાહેબ મારા દીકરાઓમાં હજી પણ જીવ છે. તમે વેન્ટિલેટર ઉપર રાખોને, આ શબ્દો હજી પણ દરેક લોકોના કાનમાં ગુંજી રહ્યા છે. કારણ કે આ વ્યક્તિનો દીકરો મૃત્યુ પામી ગયો હતો. પરંતુ તેના પિતાને હજુ પણ આશા હતી કે તેનો દીકરો હજુ પણ જીવતો થશે..
આ દ્રશ્ય એટલું બધું હતું કે, દરેક લોકોના રુંવાટા બેઠા થઈ ગયા હતા, એકબીજાને તેના દીકરાને ગુમાવ્યો હતો. જેનું હૈયા ફાટ રુદન સામે આવ્યું હતું. મોટાભાગના યુવકો સુરેન્દ્રનગર તેમજ બોટાદના રહેવાસી હતા. તેમના પરિવારજનો જ્યારે હોસ્પિટલે પહોંચ્યા ત્યારે હોસ્પિટલના દ્રશ્યો સર્જાયા હતા અને મોતનો માતમ છવાઈ ગયો હતો..
સોલા સિવિલ હોસ્પિટલમાં અંદાજે રાત્રિના બે વાગ્યાથી માંડીને વહેલી સવાર સુધી ખૂબ જ કરુણ માહોલ જોવા મળ્યો હતો, એક પછી એક મૃતદેહોને જોઈને પરિવારેને રડતા જોવા કોઈ વ્યક્તિ માટે સહેલું હોતું નથી, આ અકસ્માતમાં નવ જેટલા વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે. જેમાંથી મોટાભાગના વ્યક્તિઓ પોતાની કારકિર્દી ઘડવા માટે તેમજ અભ્યાસ માટે અમદાવાદમાં બીજીમાં રહીને જીવન ગુજારતા હતા..
તેમના પણ કરુણ મૃત્યુ થઈ ગયા હતા, કોઈએ પોતાના ભાઈને ગુમાવ્યા છે. તો કોઈએ પોતાના એકના એક લાડકવાયા દીકરાને ગુમાવ્યો છે, જ્યાં જુઓ ત્યાં મોતનો માતમ થવાયેલો હતો. આ ગોઝારા અકસ્માતની અંદર ધર્મેન્દ્રસિંહ નામના પોલીસ કોન્સ્ટેબલ, નિલેશભાઈ નામના હોમગાર્ડ, 25 વર્ષનો યમન, 23 વર્ષનો કૃણાલ, 21 વર્ષનો અરમાન, ૨૩ વર્ષનો રોનક, 22 વર્ષનો નીરવ અને 21 વર્ષના અક્ષરનો સમાવેશ થાય છે..
આમાંથી મોટાભાગના વ્યક્તિઓ બોટાદ તેમજ સુરેન્દ્રનગરના રહેવાસી છે. અકસ્માતને પગલે તાત્કાલિક ધોરણે બ્રિજને બંધ કરાવી દેવામાં આવ્યો હતો અને અત્યારે અકસ્માતમાં બનેલા વ્યક્તિઓ અમને લઈ શોકની લહેર છવાઈ ગઈ છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]