નાના બાળકો આજકાલ પોતાની જરૂરિયાતો મુજબનું ની વસ્તુઓ ન મળતા તેઓ પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આજની પેઢી ખૂબ જ ખરાબ રસ્તે દોરાઈ રહી છે, તેઓ નાની નાની વાતમાં કંટાળીને પોતાના પરિવારજનોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. આવી જ એક ઘટના સામે આવી હતી. આ ઘટના એક માસુમ દિકરી સાથે બની હતી.
દીકરી પોતાના પરિવાર સાથે કોતરાનાં પ્રગતિનગરમાં રહેતી હતી. દીકરીના પિતાનું નામ રાહુલ શર્મા છે. રાહુલ શર્મા મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે પોતાની ફરજ બજાવે છે અને દીકરીના પરિવારમાં માતા-પિતા અને તેમનો ભાઈ રહેતા હતા. માતાનું નામ પાર્વતી અને તેના નાના ભાઈનું નામ મુકુલ છે. દીકરીનું નામ પારુલ શર્મા હતું.
પારુલ અજમેરની એમ પી એસ સ્કૂલ માં અભ્યાસ કરવા માટે જતી હતી. પારુલ ધોરણ 11માં ભણતી અને તે ખૂબ જ હોશિયાર વિદ્યાર્થીની હોવાને કારણે તેને ધોરણ 10માં 92% આવ્યા હતા. પારુલ ભણવામાં હોશિયાર હોવાને કારણે તેના માતા પિતા તેને ખૂબ જ સારું એવો અભ્યાસ કરાવીને તેમનું સારું ભવિષ્ય બનાવવા માગતા હતા.
પારુલને તેને તેના પિતાએ મોબાઈલ ફોન લઈ આપ્યો હતો. જેના કારણે તે થોડા દિવસથી પોતાના ફોનમાં ખૂબ જ રહેતી અને તેને ભણવામાંથી ધ્યાન ઓછું થવા લાગ્યું હતું. જેના કારણે તેના પિતાએ વધું મોબાઈલ ફોન વાપરવાને કારણે ગુસ્સે થઈને એક દિવસ પારુલ પાસેથી ફોન લઈ લીધો જેના કારણે પારુલને ખૂબ જ ખોટું લાગ્યું અને પારુલ ચિંતામાં રહેતી હતી.
તેણે પોતાની માતાને પણ ઘણીવાર પિતા પાસેથી મોબાઇલ ફોન લઈ આવવાનું કહ્યું હતું. પારુલે પોતાના પિતાને પણ ઘણીવાર ફોન પાછો આપી દેવા માટે કહ્યું પરંતુ પિતા તેને અભ્યાસમાં ધ્યાન આપવાનું કહેતા હતા. એક દિવસ પારુલ પોતાના ઘરે નીચેના રૂમમાં ગઈ અને તેની માતા અને નાનો ભાઈ ઉપરના રૂમમાં હતા.
પારુલ ના પિતા તેમના કોઈ કામ માટે ભીલવાડા ગયા હતા અને તેઓ મોડી રાતે પરત આવવાના હતા જેના કારણે માતા અને તેનો નાનો ભાઈ પિતાની રાહ જોઈ રહ્યા હતા. તે સમયે બીજા ઘરે પરત આવતા તેણે પોતાની દીકરીને મળવા માટે રૂમમાં દરવાજો ખડખડાવ્યો હતો પરંતુ પારુલના દરવાજો ખોલ્યો નહી જેના કારણે પિતાએ દરવાજો તોડીને તેઓ અંદર ગયા,
ત્યારે તેમણે એવું જોયું કે જોતા જ તેઓ ત્યાંને ત્યાં ઢળી પડ્યા અને તેઓ આઘાતમાં બૂમો પાડવા લાગ્યા જેના કારણે તેની માતા અને નાનો ભાઈ નીચે આવ્યા હતા. અને તેમણે પણ એવું દ્રશ્ય જોયું હતું કે જોઈને પરિવાર રડવા લાગ્યો હતો અને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. લોકોએ જોયું તો પારુલ પોતાને રૂમમાં લટકતી હાલતમાં જોવા મળી હતી.
પારુલે આપઘાત કર્યો હતો જેના કારણે તેના પિતાએ તરત જ દોડીને પારુલને નીચે ઉતારીને હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ત્યાં લઈ જતા ડોક્ટરે પારુલ નું મૃત્યુ થઈ ગયાનું જણાવ્યું હતું ત્યારબાદ પિતા ખૂબ જ ચિંતામાં આવી ગયા હતા. પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી જેને કારણે પોલીસ પારુલના ઘરે પહોંચી હતી.
અને તેમની રૂમમાં તપાસ કરતા તેને કોઈ અંતિમ નોટ મળી ન હતી ત્યારબાદ પરિવારજનોની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેમની દીકરી પાસેથી મોબાઇલ ફોન લઈ લીધો હતો જેના કારણે મોબાઇલ ફોન પાછો ન મળવાને કારણે ચિંતામાં આવીને તેને આપઘાત કરી લીધો હતો. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી. આજકાલ નાના બાળકોને મોબાઈલ ફોનની ખુબ જ લત લાગી ગઈ છે અને તેઓ મોબાઇલ ફોન ન મળતા આવા ગંભીર પગલાઓ ભરી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]