Breaking News

અગિયારસે સાબુદાણાની ખીચડી ખાતી વખતે જ થયું એવું કે, વેપારી 2 સેકન્ડમાં જ કાળનો કોળીયો બની ગયો, પરિવાર ચીખો ફાડી ગયો..!

હાલના સમયમાં હવે રહસ્યમય કિસ્સાઓ બનવાનો પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. દિન પ્રતિ દિન એવી ઘણી બધી રહસ્યમય ઘટનાઓ આપણી નજર સામેથી પસાર થતી હોય છે. અત્યારે તો કેટલાક વ્યક્તિને મૃત્યુ પણ એવી રહસ્યમય રીતે થવા લાગ્યા છે કે, તેને જાણીને પરિવારજનો પણ ચક્કર ખાઈ પડે છે..

અત્યારે એક વ્યક્તિનું આવી જ રહસ્યમય રીતે મૃત્યુ થયું છે. આ બનાવો નાથુંપર સોસાયટી પાસે આવેલી કંચન નગર વિસ્તારનો છે. અહીં શેરી નંબર પાંચમાં આવેલા 37 નંબરના મકાનમાં નિલેશભાઈ નામના વેપારી તેના પરિવાર સાથે રહે છે.  નીલેશભાઈ ખુબ જ શાંત સ્વભાવના હતા..

તેઓ હમેશા સોસાયટીના લોકોની મદદે પહોચી જતા હતા, પરતું એક દિવસ તેમની સાથે એવી ઘટના બની કે તેમનું કમકમાટી ભર્યું મોત થઈ ગયું હતું. તેઓ હમેશા વાર તહેવાર તેમજ એકાદશી ઉપર ઉપવાસ કરતા હતા. અગિયારસના દિવસે તેઓએ ઉપવાસ કરવાનું નક્કી કર્યું અને બપોરે ફરાળમાં તેઓએ સાબુદાણાની ખીચડી ખાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી..

તેમની પત્ની અભિલાષીબેન નીલેશભાઈ માટે સાબુદાણાની ખીચડી બનાવતા હતા, બિચારા અભિલાષી બહેનને એવી તો શું ખબર કે તેમના પતિ હવે થોડો જ સમય તેમની સાથે રેહવાના છે. જ્યારે નિલેશભાઈ સાબુદાણાની ખીચડી ખાઈ રહ્યા હતા ત્યારે તેમના માથે આફત ત્રાટકી પડી હતી.

તેમને સાબુદાણાની ખીચડી ખુબ જ ભાવતી હોવાથી તેઓ ઉતાવળ રાખીને લબોલબ મોઢામાં કોળીયો મુકવા લાગ્યા હતા. ખુબ જ વધારે ઉતાવળથી ખાવાને કારણે તેમને ઉઘરસ પણ આવવા લાગી હતી. અભિલાષી બહેન તરત જ રસોડામાંથી પાણી લઈને આવ્યા અને જોયું તો નીલેશભાઈને પરસેવો વળવા લાગ્યો અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોઈ તેવું લાગતું હતું..

અભિલાષી બહેનને લાગ્યું કે નીલેશભાઈ ખુબ જ ઉતાવળમાં સાબુદાણાની ખીચડી ખાતા હતા એટલે ગળે ફસાઈ ગઈ હશે એટલા માટે તેઓને ઉઘરસ આવે છે અને પરસેવો પણ નીકળવા લાગ્યો છે. પરતું હકીકત કૈક જુદી જ હતી. આ ખીચડી ખાતા ખાતા નીલેશ ભાઈ ત્યાં ઢળી પડ્યા હતા..

પોતાના પતિને આ હાલતમાં જોઈને અભિલાષીબેન મુંજાઈ ગયા અને શું કરવું તેની પણ તેઓને ખબર રહી નહી, તેઓએ તરત જ નજીકના પાડોશીઓને તેમના ઘરે બોલાવ્યા અને કહ્યું કે નીલેશભાઈની તબિયત બગડી ગઈ હોઈ એવું લાગે છે. માત્ર 2 મિનીટ પહેલા બિલકુલ સ્વસ્થ હતા પરતું સાબુદાણાની ખીચડી ગળે ફસાઈ જવાને કારણે તેમની તબિયત બગડી હોઈ એવું લાગે છે..

પડોશીઓની મદદથી તેમને હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યા હતા. કાર લઈને હોસ્પિટલએ પહોંચે એ પહેલા જ નિલેશભાઈ રસ્તામાં જીવ ગુમાવી દીધો હતો. આ કિસ્સામાં ચારે કોરે એવી વાત ફેલાઈ ગઈ હતી કે, નિલેશભાઈનું સાબુદાણાની ખીચડી ખાવાને કારણે મૃત્યુ થઈ ગયું છે. કારણ કે તેઓ સાબુદાણાની ખીચડી ખાવાની શરૂઆત કરી એ પહેલા બિલકુલ સ્વસ્થ હતા..

પરંતુ કોળિયો મોઢામાં મુકતાની માત્ર 5 મિનિટની અંદર જ તેઓની તબિયત બગડી ગઈ હતી. હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે રસ્તામાં તેમનું મૃત્યુ થઈ ગયું છે. હોસ્પિટલે ડોક્ટરે તેની તપાસ શરૂ કરી અને તેઓએ જણાવ્યું કે, આ યુવકનું મૃત્યુ સાબુદાણાની ખીચડી ફસાઈ જવાને કારણે નહીં પરંતુ બીજા કોઈ કારણોસર થયું છે..

જ્યારે નિલેશભાઈના પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવે ત્યારે ખબર પડી કે, જ્યારે તેઓ સાબુદાણાની ખીચડી ખાતા હતા. ત્યારે તેમને હૃદય રોગનો હમલો આવ્યો હતો અને અચાનક જ તેઓ નીચે ઢળી પડયા તેમજ તેમનો શ્વાસ બંધાઈ ગયો અને ત્યારબાદ તેમનું મૃત્યુ થઈ ગયું હતું. અત્યારે હૃદય રોગના હમલાને કારણે દિન પ્રતિદિન હજારોની સંખ્યામાં લોકોના મૃત્યુ થઈ રહ્યા છે..

શરીરના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં સહેજ પણ ચૂક થઈ જાય કે, વ્યક્તિને ખૂબ જ મોટી મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવી જતો હોય છે. તેમના પરિવારજનોનું કહેવું છે કે, નિલેશભાઈ જેના ઘણા દિવસથી છાતીમાં દુખાવો થતો હોય તેવી ફરિયાદ કરતા હતા. પરંતુ પરિવારજનોએ તેને એસિડિટીનું સ્વરૂપ આપીને ઘરેલુ ઉપચાર કરી આ દુખાવાને રાહત આપી દેતા હતા.

પરંતુ હકીકતમાં તેમને કોઈ એસિડિટીનો દુખાવો નહીં પરંતુ અન્ય કોઈ ચીજ વસ્તુનો દુખાવો હતો. જે હૃદય રોગના હુમલામાં પરિવર્તન પામ્યો છે. અને અત્યારે તેમનું મૃત્યુ થઈ ગયું છે. આ ઘટના સામે આવ્યા બાદના સૌ કોઈ લોકો સાવચેત થઈ ગયા છે. નિલેશભાઈના પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો છે.

દરેક લોકો કહી રહ્યા છે કે, હજારો કામ બાજુ પર મૂકીને પહેલા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ નહીં તો ક્યારે મોત આપણા માથા ઉપર આવીને બેસી જાય તેનું નક્કી રહેતું નથી. આ ઘટનાને લઈને નીલેશભાઈનો પરિવાર ખુબ જ ઊંડા આઘાતમાં ચાલ્યો ગયો છે. દુખની આ ઘડી કોઇપણ વ્યક્તિથી સહન થઈ શકી નથી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *