દિવસેને દિવસે નાના બાળકો સાથે બનતા ચોકનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. બાળકના માતા-પિતાનું ધ્યાન ન રહેતા બાળકો પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. આવી જ એક કરુણઘટના હાલના સામે આવી હતી. આ ઘટના બાલાપુરમાં આવેલા બજનામઠમાં રહેતા પરિવારના દીકરા સાથે બની હતી.
પરિવારમાં માતા-પિતા અને તેમના બે બાળકો રહે છે. પિતાનું નામ શિશુપાલ છે અને તેમની પત્નીનું નામ સોનાલી છે. શિશુપાલ ખાનગી નોકરી કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે. સોનાલી ઘરનું કામ કરીને પોતાના બાળકોને સાચવતી હતી. સોનાલીને એક દીકરો અઢી વર્ષનો તેમનું નામ રેહાન હતું.
અને બીજા દીકરાનું નામ સુશાંત હતું. તેમની ઉંમર 7 વર્ષની હતી. એક દિવસ બંને ભાઈઓ ટેરેસ ઉપર રમી રહ્યા હતા. બંને ભાઈઓએ પોતાની માતાને તેઓ ટેરેસ ઉપર રમી રહ્યા છે તેમ કહ્યું હતું અને તેમના પિતા સવારનો સમયેથી નોકરી કરવા માટે ગયા અને માતા રસોઈ બનાવી રહી હતી. બંને દીકરા ટેરેસ પર દરરોજ રમવા માટે જતા હતા.
દરરોજની જેમ મોટો દીકરો તેના નાના દીકરાને રમાડી રહ્યો હતો. મોટો ભાઈ સુશાંતની ઉંમર 7 વર્ષની છે જેના કારણે તે તેના નાના ભાઈને ખુબ જ સારી રીતે રમાડતો હતો પરંતુ સુશાંત રેહાનને એકલો મૂકીને દુકાને બિસ્કીટ લેવા માટે ગયો હતો. સુશાંત દુકાનેથી બિસ્કીટ લઈને ઘરે પરત આવ્યો હતો. ત્યારે તે ફરી ટેરેસ પર ગયો હતો.
ત્યાં જોયું તો તેનો નાનોભાઈ રેહાન દેખાઈ રહ્યો ન હતો. જેના કારણે નીચે આવીને રેહાન ક્યાં ગયો છે, તે માતાને પૂછ્યું હતું. ત્યારે માતા રસોઈમાં કામમાં હોવાને કારણે તે ટેરેસ પર છે તેમ જણાવી દીધું હતું. જેના કારણે સુશાંત ફરીથી ટેરેસ પર ગયો અને તેણે તેનો નાનો ભાઈ રેહાનને જોયો નહીં જેના કારણે ફરી માતાને જણાવ્યું કે રેહાન અગાસી પર નથી.
માતા તરત જ દોડીને ટેરેસ પર ગઈ હતી અને રેહાનને શોધ્યો હતો પરંતુ મળ્યો નહીં ત્યારે ટેરેસ પર ફક્ત ટાંકીઓ જોવાને કારણે ટાંકીમાં માતાએ નજર કરી હતી. નજર કરતા જ એક મોટી ટાંકીમાં રહેન ડૂબી રહ્યો હતો. સોનાલી ખૂબ જ ગભરાઈ ગઈ અને તરત રેહાનને ટાંકીમાંથી બહાર કાઢ્યો અને આસપાસના પાડોશીના લોકોને આ વાત જણાવી હતી.
તરત જ તેના પતિને પણ ફોન કરીને ઘરે બોલાવ્યા ત્યારબાદ રેહાન શ્વાસ લઇ રહ્યો હતો, જેના કારણે પાડોશીઓની મદદથી તેમને મેડિકલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, અને તે દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ થોડા સમય બાદ રેહાનનું મૃત્યુ થઈ ગયું હતું. રેહાનનું મૃત્યુ થઈ જતા પરિવારના લોકો ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા.
રેહાનની માતા સોનાલી પોતાનું ભાન ભુલાવી બેઠી તેમના બે દીકરામાંથી એક દીકરાનું આવું કરુણ મૃત્યુ થઈ જતા તે આઘાત સહન કરી શકી નહીં અને તેનું ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો હતો કે તેણે જરા પણ પોતાના દીકરાનું ધ્યાન રાખ્યું નહીં, નાની એવી ભૂલને કારણે તેના દીકરાએ જીવ ગુમાવી દીધો હતો. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે. માતા-પિતાનું જરા પણ ધ્યાન ખસે કે બાળકો સાથે આવા કિસ્સાઓ બની રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]