અમુક વખત એવી દેખા દેખીઓ સામે આવતી હોય છે કે, જો સામે રહેતા પડોશીનો દીકરો 99% લાવીને પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે, તો મારો દીકરો પણ ભણવામાં હોશિયાર હોવો જ જોઈએ. અત્યારે એવી ઘણા બધા મા-બાપની કામગીરીઓ સામે આવે છે કે, જેમાં બાળકોને ભણવાની બાબતોને લઈને વધારે પડતું ટેન્શન આપવાને કારણે અંતે તેઓ એવું પગલું ભરી લેતા હોય છે કે મા બાપના મોઢા હંમેશા માટે ફાટી જતા હોય છે..
તો અમુક પોતાના બાળકોની ક્ષમતા સમજીને તેમની ઈચ્છા અનુસાર ભણતર આપે છે. અને તેમની ક્ષમતા અનુસાર જ દરેક કામકાજમાં તેમને સંપૂર્ણ શ્રેષ્ઠ બનાવવાની કામગીરીઓ કરતા હોય છે. આજકાલના સમયમાં વિદ્યાર્થી વયની ઉંમરમાં ઘણા બધા લોકો આપઘાત કરીને જીવન ટૂંકાવી દેવાના કિસ્સા છાશવારે સામે આવવા લાગ્યા છે..
જે દરેક લોકો માટે ખૂબ જ ચોંકાવનારી બાબત છે. અત્યારે 22 વર્ષની પ્રજ્ઞા નામની એક દીકરીએ આપઘાત કરીને જીવન ટૂંકાવી દેતા તેના માતા પિતા અને પરિવારના અન્ય સભ્યો માટે દુઃખની આ ઘડી સહન કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. આ ઘટના મધ્યપ્રદેશના હરદાની છે. અહીં વોર્ડ નંબર 24ની અંદર સુરેશભાઈ તેમના પરિવાર સાથે રહે છે..
સુરેશભાઈ મિસ્ત્રીના કામકાજ સાથે જોડાયેલા છે. જ્યારે તેમની પત્ની ઘરેલુ કામકાજ કરીને જીવન ગુજારે છે. સંતાનમાં તેમને ત્રણ દીકરી છે. જેમાંથી બે દીકરીઓના લગ્ન થઈ ચૂક્યા છે. જ્યારે સૌથી નાની અને લાડકી દીકરી 22 વર્ષની પ્રજ્ઞા પીજીડીસીએની પરીક્ષાની તૈયારી કરતી હતી. અત્યારે પરીક્ષા નજીક આવતાની સાથે જ તેને ધીમે ધીમે ટેન્શન આવવા લાગ્યું હતું..
જ્યારે તેનું પ્રથમ પેપર પૂર્ણ થયું ત્યારે તેણે ઘરે આવીને તેની માતાને કહ્યું હતું કે, તેનું પેપર ખૂબ જ ખરાબ ગયું છે. જેને લઈને તે ખૂબ જ ચિંતિત છે. પરંતુ તેની માતાએ તેને સમજાવી કે, જીવનમાં ઉતાર ચઢાવતો આવતાં રહેવાના છે. આ તમામ અવતાર ચઢાવોને નજર અંદાજ કરીને આપણે આપણી રીતે જીવન જીવવું જોઈએ..
કદાચ એક પેપર ખરાબ જાય તો તેનાથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી, આવનારા પેપર ઉપર ધ્યાન આપીને વાંચવામાં ધ્યાન આપવું જોઈએ. માતાના શબ્દોમાં સાંભળીને તરત જ પ્રજ્ઞા અગાસી ઉપર બનાવેલી રૂમની અંદર વાંચવા માટે ચાલી ગઈ હતી. તે મોટાભાગે રાત્રિને સમયે વાંચન કરતી હતી..
સવારના સમયે પ્રજ્ઞાની માતા પ્રજ્ઞા માટે ચા લઈને અગાસી ઉપરની રૂમમાં આવી હતી. વારંવાર દરવાજો ખટખટાવતા પણ પ્રજ્ઞાએ દરવાજો ખોલ્યો નહીં, ત્યારે પ્રજ્ઞાની માતાએ રૂમની પાછળની બાજુએ રહેલા દરવાજાથી પ્રવેશ કરવાની કોશિશ કરી હતી. ચા લઈને પ્રજ્ઞાની માતા જેવી આ રૂપની અંદર પ્રવેશ કર્યો અને જોયું તો તેમના હોશ ઉડી ગયા હતા..
અને તેઓ ચક્કર ખાઈને ત્યારે ત્યાં નીચે ઢળી પડ્યા હતા, કારણકે તેમની 22 વર્ષની લાડકી દીકરી પ્રજ્ઞાએ લડકીને આપઘાત કરી લીધો હતો. તેને મૃત હાલતમાં જોવી તેમના માટે ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું. તેમના મોઢામાંથી જે ચીખ નીકળી તે સાંભળીને પરિવારના અન્ય સભ્યો નીચેના માળેથી અગાસી ઉપર બનાવેલી રૂમની અંદર આવી પહોંચી હતા..
જ્યાં પ્રજ્ઞાને મૃત હાલતમાં જોઈ તાત્કાલિક ધોરણે તેમણે પોલીસને જાણકારી આપી હતી કે, તેમની લાડકી દીકરી આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધો છે. જ્યારે પ્રાથમિક તપાસમાં પરિવારના સભ્યોનો નિવેદનને નોંધવામાં આવ્યા ત્યારે ખબર પડી કે, પ્રજ્ઞા ભણવાની બાબતને લઈને ખૂબ જ ચિંતિત રહેતી હતી અને તેની પરીક્ષાનું પ્રથમ પેપર ખૂબ જ ખરાબ ગયું હોવાને કારણે તેને ચિંતા હતી..
કે શું તેનો પરિવાર હવે તેને આગળનું ભણતર ભણાવશે કે નહીં.? આ ચિંતા તેને આટલી બધી સત્તાવાર લાગી કે, અંતે તેણે જીવન ટૂંકાવી દીધું છે. ઘટનાના આ માઠા સમાચાર તેમના પરિવારના અન્ય સભ્યો સુધી પણ પહોંચાડી દેવામાં આવ્યા હતા. સૌ કોઈ લોકો અશ્રુભીની આંખે પ્રજ્ઞાને અંતિમ વિદાય આપી હતી.
અભ્યાસ કરનાર બાળકોને હંમેશા તેમના માતા-પિતાની સાત સંગાથમાં રહેવું જોઈએ, અને હંમેશા તેમના જીવનની અંદર થતા બનાવો વિશે પોતાના મા બાપને વાતચીત કરવી જોઈએ કે, તેમને આ બાબતની અંદર મુશ્કેલી આવી પડી છે. જો બાળકો પોતાના મા બાપ સાથે સુખ દુઃખની વાતો નહીં કરે તો અંતે મનોમન મૂંઝાઈ જઈને તેઓ શું કરી બેસે તેનું નક્કી હોતું નથી..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]