ઘણા બધા પરિવારમાં જોડિયા બાળકો જોવા મળે છે. આ બાળકો દેખાવે જ સરખા નથી હોતા તે બાળકો હંમેશા ગમે તે કામ અને તેમની સાથે કોઈ ઘટના બને તો બંને સાથે સરખી થતી હોય છે તેવું કહેવામાં આવે છે. હાલમાં એક પરિવારમાં આવી જ કાંઈક ઘટના બની છે. આ ઘટના એટલી ગંભીર બની ગઈ કે ગામના લોકો પણ હીબકે ચડી ગયા હતા.
આ ઘટના સારણના તાલાના રહેવાસી પરિવારના બે દીકરા સાથે બની હતી. પરિવારમાં રહેતા બાબુસિંહને 4 દીકરા છે જેમાંથી બે દીકરા સોહનસિંહ અને સુમેરસિંહ જુડવા દીકરા હતા. સોહનસિંહની ઉંમર 28 વર્ષની હતી અને તેમનો ભાઈ સુમેરસિંહની ઉંમર 28 વર્ષની હતી. સુમેરસિંહ ભણવામાં નબળો હતો.
અને સોહનસિંહ ભણવામાં ખૂબ જ હોશિયાર હોવાને કારણે તે જયપુરમાં ગ્રેડ II શિક્ષકની ભરતીની પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યો હતો. સુમેરસિંહને ભણવું ન હતું જેના કારણે સોહનસિંહને કહ્યું કે, ‘તમે ભણીને અને લખીને કંઈક બનો. હું મહેનત કરીને ખર્ચ ચૂકવીશ’. જેથી બાબુસિહે સુમેરસિંહને સુરતમાં નોકરી કરવા મોકલ્યો હતો.
તે સુરતમાં નોકરી કરીને તેમના પિતાને આર્થિક મદદ કરતો હતો અને તેમના બીજા બે ભાઈઓ પિતા સાથે ગામમાં જ રહેતા હતા. સુમેર સિંહ સુરતમાં ભાડાનુ મકાન રાખીને રહેતો હતો. તે પોતાના ઘરે દરરોજ સાંજે નોકરીએથી આવીને ટેરેસ પર પોતાનો ફોન લઈને જતો હતો. દરરોજની જેમ તે એક દિવસ ટેરેસ પર પોતાનો ફોન લઈને સાંજના સમયે ચડ્યો હતો.
તેને કોઈ બીજા મિત્રનો ફોન આવતા તે ફોન પર વાત કરી રહ્યો હતો અને ટેરેસ પર ચાલતો ચાલતો વાત કરતો હતો. તે સમયે અચાનક જ તેનું વાતમાં ધ્યાન હોવાને કારણે તેનો પગ ટેરેસ પરથી લપસી જતા તે ફ્લેટના કેમ્પસમાં પડ્યો હતો. સુમેર સિંહ ટેરેસ પરથી પડી જતા તે લોહી લુહાણ થઈ ગયો હતો. માથામાંથી ખૂબ જ લોહી વળી વહી રહ્યું હતું.
સુમીરસિંહના નીચે પડવાનો અવાજ આવતા જ ફ્લેટના દરેક લોકો ભેગા થઈ ગયા હતા અને સુમેરસિંહને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમની હોસ્પિટલમાં સારવાર ચાલુ કરવામાં આવી હતી. ત્યારબાદ સ્થાનિક લોકોએ તેમના પરિવારના લોકોને આ ઘટનાની જાણ કરી હતી. પરિવારને જાણ થતા જ પરિવારના લોકો સુમેર સિંહને હોસ્પિટલ મળવા માટે સુરત પહોંચ્યા હતા.
પરંતુ સારવાર દરમિયાન સુમેરસિંહનું મૃત્યુ થઈ ગયું હતું. જેના કારણે પરિવારના લોકો સુમીરસિંહના મૃતદેહને લઈને ગામડે પરત આવ્યા હતા. ત્યારબાદ તેમનો મોટોભાઈ સોહનસિંહ જયપુરમાં પરીક્ષાની તૈયારી કરતો હોવાને કારણે સોહનસિંહને તેમના પિતાની તબિયત ખરાબ થઈ ગઈ છે તેમ જણાવીને ગામડે બોલાવવામાં આવ્યો હતો.
ત્યારબાદ સોહનસિંહના આવ્યા બાદ જ તેમને પોતાના ભાઈના મૃત્યુની જાણ કરવામાં આવી હતી. સોહનસિંહ ઘરે આવ્યા બાદ ઘરથી 100 કિલોમીટર દૂર રહેલા ટાંકામાં પાણી લેવા માટે ગયો હતો. તે સમયે તે ટાંકામાં અચાનક જ તેમના પગનું સંતુલન ન રહેતા જતો રહ્યો હતો અને ટાંકામાંથી તે બહાર નીકળી શક્યો નહીં.
તેને બહાર કાઢવા માટે પણ આસપાસથી કોઈ પસાર થઈ રહ્યું ન હતું. જેના કારણે સોહનસિંહનું મૃત્યુ થઈ ગયું હતું. ત્યારબાદ ઘણો સમય થઈ જતા પરિવારના લોકોએ જોયું તો સોહનસિંહ પરત આવ્યો નહીં. જેના કારણે પરિવારના લોકોને સંબંધીના લોકોએ સોહનસિંહને શોધવાનું ચાલુ કર્યું હતું. પણ તે ગામમાં કોઈ પણ જગ્યાએથી મળ્યો નહીં.
ત્યારબાદ આ ટાંકા પાસે સંબંધીઓ તપાસ કરતાં કરતાં પહોંચ્યા ત્યારે તેમણે જોયું તો ઢાંકામાં એક મૃતદેહ તરતો દેખાયો હતો. મૃતદેહને બહાર કાઢતા જોયું તો સોહનસિંહનું મૃત્યુ થઈ ગયું હતું. એકસાથે એક જ પરિવારના બે દીકરાનું આવું કરુણ મૃત્યુ થઈ જતા પરિવારના લોકો આઘાતમાં આવી ગયા હતા અને ખૂબ જ રડી રહ્યા હતા.
સાથે-સાથે ગામના લોકો પણ રડી રહ્યા હતા. પરિવારના દરેક લોકો હિબકે ચડ્યા હતા અને માતા-પિતા ખૂબ જ રડી રહ્યા હતા. તેમના જોડયા બે બાળકોએ એક સાથે પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ ગામના લોકોએ શાંત કરીને બંને ભાઈઓની અર્થિ તૈયાર કરવામાં આવી હતી. એક જ પરિવારમાંથી બે સગા ભાઈઓની અર્થી એકસાથે ઉઠતા પરિવાર પોતાનું ભાન ભૂલી ગયો હતો. અને એક જ ચિંતા પર બંને ભાઈઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ જોતા જ ગામના લોકોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો…
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]