ક્યારે આપણી સાથે શું બની જાય તેનું નક્કી હોતું નથી, ડગલેને પગલે આપણે સાવચેત રહીએ છીએ તેમજ આપણા જીવને જોખમ થાય તેવી બાબતોથી હંમેશા આપણે દૂર રહેતા હોઈએ છીએ, પરંતુ ઘણી બધી વાર આપણી સામે અજાણતા જ એવી પરિસ્થિતિ ઊભી થઈ જતી હોય છે કે એ પરિસ્થિતિની અંદર આપણો જીવ પણ જોખમમાં મુકાઈ જાય છે..
અત્યારે અડધી રાત્રે એક એવી ઘટના બની હતી કે, જેની વિશે ખબર પડતાની સાથે જ સમગ્ર ગામ અને સીમ વિસ્તારમાં માહોલ સર્જાઈ ગયો હતો, આ ચોંકાવી દેતી ઘટના રંગનાથ ગામમાંથી સામે આવી છે. આ ગામની અંદર છેવાડાના વિસ્તારમાં માલાભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે..
માલાભાઈ ગામ પૂરું થયા બાદ શરૂ થતા ખેતરોમાં પોતાનું મકાન બનાવીને વસવાટ કરતા હતા, તેમનું કાચું મકાન ખેતરના વિસ્તારમાં જ બનાવવામાં આવ્યું હતું અને ત્યાં તેઓ ખેતરમાં ખેતી કામકાજ કરીને જીવન ગુજારતા હતા, પરિવારમાં માલાભાઈની પત્ની રેણુકાબેન માલાભાઈનો મોટો દીકરો વિમલ અને નાની જુવાન દીકરી પ્રેમીલાનો સમાવેશ થતો હતો..
પરિવાર ખૂબ જ રાજી ખુશીથી જીવન જીવતો પ્રેમિલાના લગ્નની ઉંમર થતાની સાથે જ માલાભાઈ તેમની દીકરી માટે સારો મુરતિયો શોધવા લાગ્યા હતા, સમગ્ર પરિવાર આખો દિવસ ખેતરમાં મજૂરી કામકાજ કરતો અને સાંજના સમયે સાથે ભોજન લઈને તેઓ ખેતરમાં બનાવેલા જ પોતાના કાચા મકાનની અંદર સૂઈ જતા હતા..
પરંતુ એક દિવસ અડધી રાત્રે એવી ઘટના બની ચૂકી કે, દરેક લોકોના મોઢામાંથી બૂમ બરડા નીકળી ગયા હતા. સમગ્ર પરિવાર રાત્રીના સમયે ભોજન લઈને સાથે સુઈ ગયો હતો અને અડધી રાત્રે પેશાબ કરવાની સ્થિતિ ઊભી થતા પ્રેમીલા નામની આજુબાજુ દીકરી તેના કાચા મકાનમાંથી બહાર નીકળીને ખેતર તરફ આગળ વધવા લાગી હતી..
અને જ્યારે તે પેશાબ કરવા માટે આગળ જતી હતી, ત્યારે અચાનક જ તેની સાથે એવી ઘટના બની ગઈ હતી કે તેના મોઢામાંથી ચીખો ફાટી નીકળી હતી અને આ ચીખો સાંભળતાની સાથે જ માલાભાઈ તેમજ રેણુકાબેન પોતાની પથારીમાંથી બેઠા થયા અને પોતાના ખેતર તરફ તાબડતો દોડવા લાગ્યા હતા..
કારણકે તેઓએ તેમની દીકરીની અંતિમ ચિખોનો અવાજ સાંભળી લીધો હોય તેવું તેમને મહેસુસ થયું હતું, દીકરી પેશાબ કરવા માટે તેના ખેતરમાં આગળ આગળ ચાલતી હતી, ત્યારે એક જંગલી દીપડાએ તેના ઉપર હુમલો કરી દીધો હતો. મોટાભાગે રાત્રિના સમયે તેમની સીમ વિસ્તારમાં ઘણી બધી વાર પગ પેશારો કરતા હોય છે..
એટલા માટે મોડી રાત્રે કોઈ ઘરની બહાર નીકળવાનું પણ ટાળે છે, પરંતુ પ્રેમીલા તેના ખેતરમાં પેશાબ કરવા માટે આગળ જઈ રહી હતી, એ વખતે અચાનક જ આ જંગલી દીપડાએ તેના ઉપર હુમલો કરી દેતા તેના મોઢામાંથી ચીખો ફાટી ગઈ હતી. આ દીપડાએ પ્રેમીલાને બચકા ભરી લીધા હોવાને કારણે તેના શરીરમાંથી લોહી નીકળવા લાગ્યું હતું..
આ દીપડાએ પ્રેમિલાના શરીરને ફાડી ખાવાનું પણ શરૂ કરી નાખ્યું હતું, પોતાની દીકરીની આ ચીખો સાંભળીને માલાભાઈ તેમજ રેણુકાબેન દોડતા દોડતા તેની પાસે પહોંચ્યા અને જોયું તો દીપડો તેમની દીકરીને ફાડી ખાઈ રહ્યો હતો. આ દ્રશ્ય જોતાની સાથે જ માલાભાઈ હાથમાં લોખંડનો પાઇપ લીધો અને તે દીપડાની સામે તેમની દીકરીને બચાવવા માટે આગળ વધી ચૂક્યા હતા..
માનવ ભક્ષી દીપડો પ્રેમિલાને સતત બચકા ભરી રહ્યો હતો, જેમતેમ કરીને માલાભાઈ આ દીપડાનું ધ્યાન અન્ય કોઈ જગ્યા પર ભટકાવ્યું હતું અને તેમની દીકરીનો જીવ બચાવ્યો હતો, પરંતુ પ્રેમીલાના શરીરમાંથી લગભગ 50% જેટલું લોહી તો ઘટના સ્થળે જ નીકળી ચૂક્યું હતું, આ ઘટના વિશે જ્યારે ગામના લોકોને જાણ થાય ત્યારે તેમના પણ મોતિયા મરી ગયા હતા..
કે ગામની અંદર એક માનવ ભક્ષી જંગલી જાનવર દીપડો ઘૂસી આવ્યો છે, જે અન્ય કોઈ વ્યક્તિ ઉપર પણ હુમલો કરી શકે છે. એટલા માટે કોઈ પણ વ્યક્તિએ ગામની બહાર નીકળવું નહીં. માલાભાઈ તેમની દીકરીને બચાવવા માટે હોસ્પિટલ લઈ જવાય ઈચ્છતા હતા, અડધી રાત્રે તેઓ ઘણા બધા વ્યક્તિઓ પાસે મદદ માગવા માટે પહોંચ્યા કારણ કે..
તેમની દીકરીને સારવાર માટે લઈ જવાની ફરજ આવી પડી હતી. કેટલાક લોકોએ માલાભાઈની મદદ કરવાની ચોખ્ખી મનાઈ ફરમાવી દીધી હતી, તો અંતે એક વ્યક્તિએ માલાભાઈની દીકરીને હોસ્પિટલે લઈ જવા માટે પોતાની કારની મદદ કરીને તેને સારવાર માટે તાબડતો શહેરની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી હતી..
જ્યાં ડોક્ટરે તો શરૂઆતની સારવાર શરૂ કરી દીધી હતી, ઘણી બધી સર્જરી પણ કરવી પડી હોય તેવી નોબત આવી પડતા માલાભાઈ ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા હતા. જે લોકો ખેતર તેમાં જંગલ જાડીવાળા વિસ્તારની અંદર વસવાટ કરતા હોય છે, તેવા લોકોને ઘણી બધી વાર જંગલી જાનવરનો ખુબ જ ડર રહે છે..
ત્યારે જંગલી જાનવર તેમના રહેણાંક વિસ્તારની અંદર પ્રવેશીને હુમલો કરી બેસે તેનું નક્કી હોતું નથી, આવા લોકોને ડગલેને પગલે સાવચેત થઈને રહેવું પડતું હોય છે, ઘણા બધા ગામડાઓ જંગલના તળેટી વિસ્તારમાં આવેલા હોય છે. જ્યાં સૌથી વધારે જાનવરોનો ડર રહે છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]