ક્યારેય કોઈ વ્યક્તિ વિચારી ન હોય એ પ્રકારની ઘટના અત્યારે ઘટી જવા પામી છે. આમલો સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ફફળાટ મચી ગયો હતો. આ ઘટના હાથડાપુર ગામમાં રહેતા જીતેન્દ્રભાઈના પરિવારજનો સાથે બનવા પામી છે. જીતેન્દ્રભાઈના 55 વર્ષના પિતા નાગજીભાઈ ઘરનો તમામ પ્રકારનો વહીવટ અને વ્યવહાર સંભાળે છે..
જીતેન્દ્રભાઈ પોતાની નોકરીએથી જે કંઈ પણ રૂપિયા કમાઈને લાવતા તે તમામ રૂપિયા તેઓ પોતાના પિતાને જમા કરાવી દેતા અને ત્યારબાદ પરિવારના સૌ કોઈ સભ્યો જરૂરિયાત મુજબ નાગજીભાઈ પાસેથી પૈસાની માંગણી કરીને પોતાના મનગમતા કામો પૂરા કરતા અને રાજી ખુશીથી જીવન જીવતા હતા..
પરંતુ ધીમે ધીમે જીતેન્દ્રભાઈનો પગાર વધવા લાગ્યો ત્યારે જીતેન્દ્રભાઈને તેમની પત્ની આશાએ કીધું કે, તમે શા માટે તમારા કમાયેલા તમામ રૂપિયા અને તમારા પિતાને જમા કરાવી દો છો..? આવનારા સમયની અંદર મારા ઘણા બધા સ્વપ્ન પૂરા કરવા છે. એના માટે ઘણા બધા રૂપિયાની જરૂર પડશે, તમે અત્યારે તમારા પિતાને પૈસા જમાવી કરાવી દેવો છો…
એ ભવિષ્યમાં ક્યારેય પણ પાછા મળવાના નથી. આ બાબતને લઈને અવારનવાર પતિ અને પત્ની બંને વચ્ચે ઝઘડો ઉત્પન્ન થતો હતો. જીતેન્દ્રભાઈ તેની પત્નીને જણાવતા કે, આપણા ઘરમાં પહેલેથી આ વારસો ચાલ્યો આવ્યો છે અને હજુ પણ ચાલ્યો આવશે, આ મામલાની અંદર તારે બોલવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી..
પરંતુ જીતેન્દ્રની પત્ની આશા એક દિવસ તેના સસરાને કહેવા લાગી કે આવનારા મહિનાથી જીતેન્દ્ર તમને એક પણ રૂપિયો આપશે નહીં, કારણ કે તેણે અત્યાર સુધી તમને ઘણું બધું કમાઈને આપ્યું છે. એ કમાણીથી તમે જીવન જીવજો અને અમે અમારી રીતે જીવન જીવી લઈશું આ ઘટનાને લઈને પરિવારમાં અંદરો અંદર ખૂબ જ મોટો ઝઘડો ઉત્પન્ન થઈ ગયો હતો..
ત્યારે નાગજીભાઈ તેના દીકરા જીતેન્દ્રને જણાવી દીધું કે, તું તારી પત્નીને સમજાવી દેજે કે તેને ઘરની વ્યવહારો બાબતની અંદર બોલવાનો કોઈ પણ અધિકાર નથી. તો બીજી બાજુ જીતેન્દ્રની પત્ની આશાએ પણ તેના સસરાને મોઢે મોઢ કહી દીધું હતું કે, જો મારી વાતને માનવામાં નહીં આવે તો હું એક દિવસ તમારો જીવ ખાઈ જઈશ અને થોડા દિવસ પછી હકીકતમાં એવું બન્યું છે કે જે જાણીને સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા હતા..
એક દિવસ સાંજના સમયે જીતેન્દ્રની પત્ની આશાએ ભોજનમાં અડદની દાળ રાંધી હતી. આ અડદની દાળ સૌ કોઈ સભ્યોએ મન ભરીને ખાધી હતી. પરંતુ આ દાળ ખાધા બાદ અચાનક જ નાગજીભાઈના મોઢામાંથી સફેદ કલરના ફીણ નીકળવા લાગ્યા હતા અને તેઓ થર થર ધ્રુજવા લાગ્યા અને ત્યારબાદ તેઓ જમીન પર નીચે ઢળી પડ્યા અને તેઓએ આંખો પણ મીંચી દીધી હતી..
તાત્કાલિક ધોરણે તેમને હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા, પરંતુ હોસ્પિટલ પહોંચે એ પહેલાં તો તેમનો જીવ જતો રહ્યો હતો. જ્યાં ડોક્ટરે તપાસ કરતા જણાવ્યું કે, નાગજીભાઈનું મૃત્યુ કોઈ પદાર્થની અંદર ઝેર ભેળવીને ખવડાવી દેવામાં આવ્યું હશે, તેના કારણે થયું છે. ત્યારે પરિવારના અન્ય સભ્યોએ જણાવ્યું કે, જ્યારે નાગજીભાઈએ ઘરે બનાવેલી અડદની દાળ ખાધી હતી..
ત્યારબાદ તેમની તબિયત બગડવા લાગી હતી. નક્કી એ દાળ ની અંદર કોઈ મિલાવટ હોવી જોઈએ. એ દાળને રાંધનાર જીતેન્દ્રની પત્ની આશાએ ને જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે શરૂઆતમાં તો તેણે ગોળ ગોળ જવાબ આપ્યા હતા. પરંતુ અંતે તે ભાંગી પડી અને જણાવી દીધું કે તેના સસરા હંમેશા પરિવારના દરેક રૂપિયાને પોતાની પાસે દબાવીને રાખતા હતા..
એ બાબત તેને બિલકુલ ગમતી હતી નહીં, એટલા માટે તેણે તેના સસરાની અડદની દાળના વાટકાની અંદર ઝેર ભેળવી દીધું હતું અને આ અડદની દાળ ખાતાની સાથે જ નાગજીભાઈ મૃત્યુ પામ્યા છે. આ એવી ઘટના બની ગઈ છે કે, ત્યારબાદ અડદની દાળનો કોળિયો મોઢામાં મુકનાર વ્યક્તિ પણ હવે સો વખત વિચારવા લાગ્યા છે કે આજકાલનો જમાનો ક્યાં જઈને ઉભો રહેશે..
દિન પ્રતિદિન એવી ચોંકાવનારી ઘટનાઓ આપણી નજર સામેથી પસાર થઈ રહી છે કે, જેને સહન કરવી મુશ્કેલી જ નહીં પરંતુ નામુમકીન સમાન છે. આવી ઘટનાઓ સાંભળ્યા બાદ એવું લાગે છે કે પરિવારના સભ્યોમાં જ જો એકતા નહી હોઈ તો આવનારો સમય જીવવો ખુબ જ મુશ્કેલ છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]