રાજ્યમાં અનેક સ્થાનો એ વિવિધ બનાવો બનવા પામતા હોય છે જેમાં કેટલાક બનાવો તો આપણને પણ હચ મચાવી દેનારા હોય છે જે માં મોટેભાગે જયારે કોઈ વ્યક્તિનું નિધન વગેરે સુધી વાત પોહચી જાય તે પ્રકારની ની તમામ ઘટનાઓ તમામ લોકો માટે એક ચર્ચાનો પણ વિષય બનાવ પામતો હોય છે આ ઉપરાંત વાત કરવામાં આવે તો,
જયારે જયારે પણ કોઈ નાનું બાળક કે યુવાન સાથે કોઈપણ નાની-મોટી ઘટના બનવા પામતી હોય તેની પર ખુબ ગંભીરતાથી પગલાં લેવાની સાથે ચોક્કસ માહિતી મેળવવાનો પ્રયત્ન પણ કરવામાં આવતો હોય છે જેથી અન્ય લોકો સુધી એક જાગૃતિરૂપી સંદેશો પણ પોહચાડી શકાય હાલમાં એવી જ એક ઘટના સામે આવી છે જેની,
સમગ્ર ઘટના રાજકોટમાં કુવાડવા રોડ પર આવેલા નવાગામમાં બનવા પામી છે જાણવા મળતી માહિતી મુજબ, રાજકોટમાં કુવાડવા રોડ પર આવેલા નવાગામમાં દિવેલીયાપરા વિસ્તારમાં મયુરભાઈના ઈટોના ભઠ્ઠામાં કામ કરતા મુળ મોરબીના પરિવારનો 15 વર્ષિય પૂત્ર કેયુર ગોરધનભાઈ ભલગામા ગઈકાલે રાત્રે ઈટોના ભઠ્ઠે હતો.
તે સમયે ત્યાં બહાર મેદાનમાં રહેલ ટ્રેકટર ઓચીંતું ચાલુ થઈ જતાં ને બંધ કરવા માટે તે દોડયો હતો. ત્યારે ચાલુ ટ્રેકટરનું તોતીંગ વ્હીલ તેની ઉપર ફરી વળતા ચગદાઈ ગયો હતો. જેથી ઈજાગ્રસ્ત હાલતમાં કેયુરને સારવારમાટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું.
ટ્રેકટરના તોતિંગ વ્હીલ ફરી વળતાં ધોરણ-10ના છાત્રનું ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું છે. ઈટોના ભઠ્ઠામાં કામ કરતા પરિવારનો એકનો એક પુત્ર ઘર પાસે હતો ત્યારે ટ્રેકટર ઓટોમેટીક ચાલુ થઈ જતાં તે બંધ કરવા દોડ્યો પરંતુ પડી જતાં ટ્રેકટર ફરી વળ્યું હતું એકના એક પુત્રના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું પુત્રના મોતથી પરિવારમાં ગમગીની પ્રાથમિક તપાસમાં મૃતક કેયુર એકની એક બહેનનો એકનો એક નાનો ભાઈ હતો અને તે ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. તેના પિતા કારખાનામાં મજૂરી કામ કરે છે તથા માતા ઈટોના ભઠ્ઠામાં મજૂરી કરે છે. એકના એક પુત્રના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ અંગે કુવાડવા પોલીસે પ્રાથમિક કાગળો કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. બોર્ડની પરીક્ષા પાસ કરે તે પહેલા જ જિંદગીની પરીક્ષામાં નાપાસ રાજકોટના નવાગામમાં ટે્રકટરના તોતિંગ વ્હીલ હેઠળ જીવ ગુમાવનાર કેયુર ભલગામા ધો.10માં અભ્યાસ કરતો હોય આગામી 15 દિવસમાં જ તેની બોર્ડની પરીક્ષા હોય,
ભણવામાં પણ તે હોશિયાર હોવાથી પરિવારજનોમાં ખૂબ જ ઉત્સાહ હતો પરંતુ કુદરતે જુદા જ લેખ લખ્યા હોય તેમ બોર્ડની પરીક્ષામાં પાસ થાય તે પહેલા જ જિંદગીની પરીક્ષા હારી જતાં પરિવારજનોમાં કાળો કલ્પાંત છવાયો છે. એકના એક પુત્રએ અકસ્માતમાં જીવ ગુમાવી દેતાં શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]