જે બાબતોને આપણે સાવ મામૂલી સમજીને નકારી કાઢતા હોઈએ છીએ અને અવગણીએ છીએ તેવી જ ઘટનાઓ અમુક વખતમાં આપણા માટે એટલી બધી ભયંકર સાબિત થતી હોય છે કે, પાછળ સમય જતા આપણને અહેસાસ થતો હોય છે કે, આપણે ખૂબ જ મોટી નુકસાનીના ભોગ બની ગયા છીએ હાલ એક મહિલા સાથે કંઈક એવી જ ઘટના બની જવા પામી છે..
જેને લઇ સમગ્ર વિસ્તારમાં માહોલ સર્જાઈ ગયો હતો, આ ચોંકાવનારી ઘટના ધર્મજીવન કોલોનીમાંથી સામે આવી છે, આ કોલોનીની અંદર ઉર્મિલા નામની મહિલા તેમના પરિવાર સાથે રહે છે. પરિવારમાં તેના પતિ રાજેશભાઈ તેમજ તેના બે દીકરા અને તેના સાસુ-સસરાનો પણ સમાવેશ થતો હતો..
ઉર્મિલા ઘરકામ કરીને જીવન ગુજારતી હતી, જ્યારે ઉર્મિલાનો પતિ રાજેશ હોલસેલનો વ્યવસાય ધરાવતો હતો, સવારના સમયે ઉર્મિલા વહેલા ઊઠીને પરિવારના દરેક સભ્યોની જવાબદારીઓ સંભાળતી હતી, ઉર્મિલા છેલ્લા ત્રણ થી ચાર દિવસથી બીમાર પડી ગઈ હોવાને કારણે ઘરની તમામ જવાબદારીઓ તેની સાસુ ઉપર આવી પડી હતી..
ગઈ રાત્રે તો ઉર્મિલાને અચાનક જ ઉલટીઓ શરૂ થઈ ગઈ હતી, વારાફરતી વાળા ઉલટીઓ શરૂ થઈ જવાને કારણે તેને ખાધેલો તમામ ખોરાક શરીરની બહાર આવી ગયો હતો અને તેના શરીરમાં અણશક્તિ સર્જાઈ ચૂકી હતી, તેને ચાલવાનું પણ મન થતું નહીં અને ધીમે ધીમે તેને ચક્કર પણ આવવા લાગ્યા હતા..
ઉર્મિલાની તબિયત અચાનક જ બગડી જવાને કારણે રાજેશભાઈ તેને મિત્રની કાર બોલાવીને ઉર્મિલાને તરત જ દવાખાને લઈ ગયા હતા, પરિવાર અડધી રાત્રે દોડતો થઈ ગયો હતો. જ્યારે સવારના સમય સુધી ઉર્મિલા દવાખાને હાજર રહી હતી અને ત્યાં સારવાર લેતી રહી અને સવારના સમયે માત્ર 20 મિનિટની અંદર જેવું થઈ જવા પામ્યું હતું કે, ઉર્મિલાનો જીવ કાળનો કોળિયો બની ગયો હતો..
ડોક્ટર પણ આ મહિલાનો જીવ બચાવી શક્યા નહીં, હકીકતમાં ઉર્મિલાને એક પછી એક ઉલટી અસર થઈ જવાને કારણે તેના શરીરની અંદર એટલી બધી અણશક્તિ સર્જાઇ ચૂકી હતી કે, તેને ગ્લુકોઝની બોટલ ચડાવવી પડી હતી, ડોક્ટરે તેની સારવાર પણ શરૂ કરી દીધી પરંતુ ઉર્મિલાની તબિયતમાં કોઈ પણ પ્રકારનો સુધારો આવ્યો નહીં અને ધીમે ધીમે તેનો શ્વાસ પણ રૂંધાવા લાગ્યો હતો..
અને માત્ર 20 મિનિટની અંદર જ સવારના સમયે તેનું મૃત્યુ થઈ ગયું હતું, શ્વાસ લેવામાં તકલીફ પડવાને કારણે તેને અન્ય મોટી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવે એ પહેલાં તો ઉર્મિલાએ જીવ છોડી દીધો હતો, રાજેશભાઈની નજર સામે ઉર્મિલાનું મૃત્યુ થતાં રાજેશભાઈ દુઃખની આ ગાડીને સહન કરી શક્યા નહીં..
તેવો ત્યાં અને ત્યાં જ જોર જોરથી રડવા લાગ્યા હતા. કારણ કે, તેમની સુખ દુઃખની જીવનસાથી એ તેમનો સાથ છોડી દીધો હતો. ઘટનાના સમાચાર ઘરે રહેલા રાજેશભાઈના મા-બાપને મળ્યા ત્યારે તેઓ પણ તાબડતોબ હોસ્પિટલે જવા માટે નીકળી ગયા હતા, ઉર્મિલાબેનના બંને દીકરાઓ પણ વારંવાર તેની માતા ક્યારેય ઘરે આવશે તેમજ તેના પિતા ક્યાં ગયા છે..
તેઓ પૂછપરછ કરીને રડવા લાગ્યા હતા, આસપાસના પડોશીઓએ ઉર્મિલાબેનના બંને દીકરાની સાચવણી કરી હતી, જ્યારે કોલોનીના વિસ્તારમાં પણ ચકચાર મચી જવા પામ્યો હતો, જે ઉર્મિલાબેન માત્ર ત્રણ દિવસ પહેલા સૌ કોઈ લોકોની સાથે હસી મજાક કરીને વાતચીતો કરતા હતા, એ જ ઉર્મિલાબેનનુ મૃત્યુ બે દિવસ બાદ થઈ જવાને કારણે દરેક લોકોમાં શોક છવાઈ ગયો હતો..
જ્યારે વધુ તપાસ ચલાવી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો ત્યારે ખબર પડી કે, ઉર્મિલા બહેનને છેલ્લા એક મહિનાથી ખાવાની અંદર થોડું થોડું જાહેર ભેળવીને આપવામાં આવતું હતું, જેની અસર 30 દિવસ બાદ થઈ છે અને તેમનું મૃત્યુ થઈ ગયું હતું, તેમના શરીરના અંદરના અવયવો કામ કરતાં ધીમે ધીમે બંધ થવા લાગ્યા હતા..
આ ઝેર તેને કોણે આપ્યું હશે અને કોણે મોતને ઘાટ ઉતારી હશે, તે વિચારવામાં સૌ કોઈ લોકો મજબૂર થઈ ગયા હતા. છેલ્લા 30 દિવસથી આપવામાં આવતું આ ધીમું ઝેર નક્કી તેના જ પરિવારના કોઈ સભ્યએ આપ્યું હોવું જોઈએ, જ્યારે પરિવારના દરેક સભ્યોની પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે, ઉર્મિલાની સાસુ ઉર્મિલાને બિલકુલ પસંદ કરતી હતી નહીં..
અને તેની સાથે તે લડાઈ ઝઘડો પણ કરવા લાગી હતી અને એક દિવસ કંટાળી જઈને તેને ઉર્મિલાને મોતને ઘાટ ઉતારવાનું નક્કી કર્યું હતું, તેણે ઝેરી દવાના ટીકડાઓ મિલાવીને એક ઝેર બનાવ્યું હતું, જે રોજબરોજ ઊર્મિલાના ખોરાકની અંદર તે થોડું થોડું ભેળવી દેતી હતી. જેની અસર 30 દિવસ બાદ કરાવી અને ઉર્મિલાને અચાનક જ ઉલટીઓ શરૂ થવા લાગી હતી..
અને તેનું મૃત્યુ થઈ ગયું છે, આ ઘટનાને લઈને ખૂબ જ નવો વળાંક આવી જવાને કારણે રાજેશભાઈ ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા હતા, હાલ પોલીસે ઉર્મિલાબેનની સાસુની સામે ફરિયાદ નોંધાવી હતી કારણ કે, તેણે નાના અમથા ઘરેલુ મામલાની અંદર તેમના જ દીકરાના વહુને મોતને ઘાટ ઉતારીને તેનું જીવન ઉજ્જડ બનાવી દીધું હતું..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]