એક તરફ દુનિયા ડિજિટલ રીતે આગળ વધી રહી છે. ત્યારે હજુ પણ કેટલાક લોકો જુદા જુદા વહેમમાં બંધાયેલા હોય છે. અને આ વહેમના અંતર્ગત તેઓ પોતાના જ પરિવારજનો માટે કાળ બનીને ત્રાટકી પડતા હોય છે. વાંચતાની સાથે જ હલબલાવી નાખે તેઓ એક બનાવો હાલ સામે આવ્યો છે.
જેમાં માતા-પિતાએ પોતાની વહાલસોયી અને લાડકી બંને દીકરીઓને મારી નાખી છે. તમે પણ વિચારમાં પડી જશો કે આખરે કોઈ મા બાપ પોતાના સંતાનો જીવ કેવી રીતે લઈ શકે, આ કામ કરતા પહેલા તેઓનો હાથ કાપ્યો નહીં હોય.? આ ઉપરાંત તેને પોતાની દીકરીએ વિશે કોઈ પણ વિચાર નહીં કર્યો હોય..? આ તમામ સવાલો સૌ કોઈ લોકોને સતાવી રહ્યા છે..
પરંતુ આ ઘટનાની માહિતી સાંભળીને તમે એકાએક આશ્ચર્યમાં મુકાઈ જશો. આ બનાવો આંધ્રપ્રદેશ રાજ્યના ચિતોર ગામમાંથી સામે આવ્યો છે. આ ગામમાં પુરુષોત્તમ નાયડુ તેમના પરિવારજનો સાથે રહે છે. પુરુષોત્તમ ભણેલ ગણેલ વ્યક્તિ છે. તે સરકારી મહિલા ડીગ્રી કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે, આ ઉપરાંત તે કોલેજના વાઈસ પ્રિન્સિપાલ પણ હતા..
જ્યારે તેની પત્ની એક ખાનગી શાળાની આચાર્ય છે. તેને સુવર્ણચંદ્રક પણ મળ્યો છે. માતા અને પિતા બંને ભણેલા ગણેલા હોવા છતાં પણ તેમના આ ભણતર માથે ખૂબ મોટો ધબ્બો લાગી ગયો છે. સંતાનમાં તેમને બે દીકરીઓ છે. જેમાં મોટી દીકરીનું નામ અલીખ્યા છે. જેની ઉંમર 27 વર્ષની છે. તે ભોપાલમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતી હતી..
જ્યારે નાની દીકરીનું નામ દિવ્યા છે. જેની ઉંમર 22 વર્ષની છે. અને તે એક મ્યુઝિક કંપનીમાં પ્રેક્ટિસ કરી રહી હતી. એક દિવસ જ્યારે બંને દીકરી ઘરે હાજર હતી. ત્યારે સૌથી પહેલાં નાની દીકરીને ધારદાર વસ્તુથી ઘા મારીને માતાએ પતાવી દીધી હતી. ત્યારબાદ મોટી દીકરીને ઘરમાં પડેલા કસરતના સાધન લઈને તેના પિતાએ પતાવી દીધી હતી..
બંને દીકરીઓને માતા પિતાએ પોતાની નજર સામે જ મોતને ઘાટ ઉતાર્યા બાદ માતા-પિતાએ પણ આપઘાત કરવાનો વિચાર કર્યો હતો. હકીકતમાં આ બંને દીકરીના પિતા પરસોતમ નાયડુ એ તેની કોલેજમાં રહેલા તેમના સાથી કર્મચારીને ફોન કરીને જણાવ્યું હતું કે, તેઓએ તેમની બંને દીકરીને મારી નાખી છે, તેમજ આવતીકાલે આ બંને દીકરી ફરી પાછી જીવતી થઈ જશે..
આ સાંભળતા જ સાથી કર્મચારી પણ થરથર કાપવા લાગ્યા હતા. તેઓએ તાત્કાલિક આ બનાવની જાણ પોલીસને કરી હતી. પોલીસ પરસોતમ નાયડુના ઘરે પહોંચી ગઈ ઘરનો દરવાજો ખોલતા જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારણ કે તેમની બંને દીકરી ત્યાં લોહી લુહાણ હાલતમાં હતી. જ્યારે અં.ધ.શ્ર.દ્ધા.માં. ડૂબી ગયેલા પરસોતમ નાયડુ તેમજ તેની પત્ની બંને ત્યાં બેઠેલા હતા.
આ બનાવ બનતા જ આસપાસના પાડોશીઓની સાથે સાથે તેમના અન્ય પરિવારજનો અને સ્નેહીજનો પણ ત્યાં આવી પહોંચ્યા હતા. આ તમામ લોકોની પૂછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું છે કે ,આ પરિવાર છેલ્લા કેટલાક સમયથી કા.ળા જા.દુની કેટલીક રહસ્યમય પ્રવૃત્તિઓમાં ખૂબ જ રસ દાખવતો હતો..
આ સાથે સાથે તે કેટલાક લોકોને મનગણિત કહાનીઓમાં પણ ખૂબ જ માનતો હતો. પરસોતમ નાયડુ અને તેની પત્નીએ તેની બંને દીકરીઓને બેસાડીને પહેલા મુંડન કરાવી નાખ્યું હતું. અને ત્યારબાદ વારાફરતી બંનેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જ્યારે આ બનાવ સામે આવ્યો ત્યારે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે..
પોલીસે તાત્કાલિક ફોરેન્સિકની ટીમોને પણ ઘટના સ્થળે બોલાવી હતી. આસપાસના વિસ્તારોના સીસીટીવી કેમેરાની પણ તપાસ ચલાવવામાં આવી છે. તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે પોલીસે આ માતા-પિતાને કસ્ટડીમાં લઈ બરાબર પૂછતા શરૂ કરી છે.
હજુ પણ આ માતા પિતાનું કહેવું છે કે, તેમની દીકરી આવતી કાલે જીવતી થઈ જશે. પરંતુ આ બંને દીકરી જીવ ગુમાવી બેઠી છે. તેના માતા પિતાએ કોઈ વહેમમાં ઘૂસીને તેમનો જીવ લઈ લીધો છે. તેમને આવી બધી પ્રવૃત્તિઓમાં રસ કેવી રીતે લાગવા લાગ્યો હતો..? આ સાથે સાથે પોતે ભણેલ ગણેલ હોવા છતાં પણ આવી વહેમની અને ખોટી બાબતોમાં કેવી રીતે માનવા લાગ્યા..? આ બાબત પણ તપાસ કરવા લાયક છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]