ચોમાસાની સિઝન પૂરી થયા બાદ શિયાળો બેસતાં જ અવારનવાર માવઠાઓ વરસતા હોય છે. પરંતુ આ વર્ષે જેવો શિયાળાની શીતળ ઠંડીની શરૂઆત થઈ કે માવઠાઓએ જોર પકડી લીધું હતું. ત્યારબાદ થોડા દિવસ માવઠાઓએ શાંતિ લીધી હતી, પરંતુ હવે ફરી પાછા કહેર મચાવવા માટે રી-એન્ટ્રી કરી રહ્યા છે.
રાજ્યમાં માવઠાઓ ખેતીના પાકને મોટા પ્રમાણમાં નુકશાની પહોંચી ચૂક્યા છે છતાં પણ હવામાન ખાતાએ 30 તારીખથી લઇને બે તારીખ સુધી અતિશય ભયંકર માવઠાની આગાહી કરી છે. જેમાં 1 ડિસેમ્બર અને 2 ડિસેમ્બર એ તો ભારેથી અતિભારે વરસાદ વરસશે તેમજ પવન પણ ખૂબ ઝડપથી ફૂંકાશે. આ માવઠાઓ નજીક આવતા જ તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી સુધી ગગડ્યો છે..
ત્યાર પછીના બે દિવસ પછી તાપમાન ફરી વખત ઉચકાશે. ઠંડીનો ચમકારો ઘટશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી મુજબ ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં તેમજ તેની આસપાસના વિસ્તારોમાં 30 નવેમ્બર ની રાત્રે થી આ માવઠાઓ વરસવાના શરૂ થઈ જશે.
તેમજ વાતાવરણના ઉપર અને નીચલા સ્તરની ભેજની પ્રતિક્રિયાઓ ખૂબ સરળ હોવાના કારણે વરસાદી સિસ્ટમ જલ્દી સક્રીય થશે અને મુશળધાર વરસાદ જોવા મળશે. અમદાવાદમાં આજે ઠંડીનો પારો 16 ડિગ્રીએ અનુભવાયો હતો. તો રાજ્યના ઠંડુગાર શહેર નલિયામાં ૧૫ ડિગ્રી નોંધાયો હતો.
આ બંને જિલ્લાઓ સિવાય બીજા જિલ્લાઓમાં તાપમાનમાં કોઈ ખાસ વધારો ઘટાડો નોંધાયો નથી. અત્યારે શહેરમાં સવારમાં શીતળ ઠંડી તો બપોરે સહન ન કરી શકાય તેવા બફારાનો અનુભવ લોકો કરી રહ્યા છે. તેથી કહી શકાય કે અત્યારે બેવડી સિઝન નો દોર ચાલી રહ્યો છે.
30 તારીખની રાત્રે દક્ષિણ ગુજરાતના સુરત, દાદરા નગર હવેલી, નવસારી, ડાંગ, ભરૂચ, નર્મદા, દમણ તેમજ તાપી જિલ્લામાં ૪૦ થી ૬૦ કિલોમીટરની ઝડપે પવન ની સાથે સાથે વરસાદની શરૂઆત થશે. તો મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, દાહોદ, સુરેન્દ્રનગર, પંચમહાલ, ખેડા અને સૌરાષ્ટ્રના પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, જુનાગઢ, રાજકોટ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેલી છે.
1 તારીખ ના રોજ મધ્ય ગુજરાત પર વરસાદનું મોટું સંકટ છે એટલે કે આનંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર તેમજ અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તેમજ 2 તારીખ ના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા અને દક્ષિણ ગુજરાતના ડાંગ અને તાપીમાં તોફાની પવનો ની સાથે સાથે બર્ફીલા તોફાનની વરસાદ પડશે.
હવામાન વિભાગે ત્રણ દિવસ માટે કમોસમી વરસાદની આગાહી તો કરી દીધી છે. તેમજ તે અંગે જણાવતા કહ્યું છે કે આ માવઠું દરિયા પર ઉત્પન્ન થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સર્જાયું છે. જેના પગલે વાતાવરણમાં અચાનક પલટો આવી જશે. અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસવાની શક્યતાઓ સેવાઇ રહી છે.
આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મેઘરાજાએ ઓફિશિયલ રીતે વિદાય લઈ લીધી છે. છતાં પણ તેઓ ધમાકેદાર બેટિંગ કરવા માટે પરત ફરશે. તો બીજી બાજુ ખેડૂતો પર પડ્યા પર પાટું જેવો સ્થિતિ સર્જાઈ છે. કારણ કે અગાઉ પણ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં અતિભારે વરસાદ વરસવાના કારણે ખેડૂત મિત્રોને મોટા પ્રમાણમાં નુકશાનનો સામનો કરવો પડયો હતો. અને ચોમાસાની સિઝન પૂરી થયા બાદ હવે માવઠાઓ તેમને નુકસાન પહોંચાડવા પહોંચી ગયા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]