ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ચુકી છે ત્યારે હજુ પણ અમુક અમુક જગ્યાએ વરસાદી ઝાપટા રોડ પર કાદવ કરવા આવી આવી જાય છે. વરસાદી ઝાપટા અને સવારમાં ઝાકળ પડવાના કારણે ખેડૂતોને પાકમાં નુકસાન થઈ રહ્યું છે. જોકે અતિશય વરસાદને કારણે હવે પાકમાં કાઈ જ બાકી બચ્યું નથી..
અંબાલાળ પટેલે ફરી એકવાર શિયાળામાં માવઠા અંગે આગાહી આપતા જણાવ્યું છે કે ગુજરાતમાં શિયાળાનો વા લાગવા માંડ્યો છે. તેમજ હવામાન હજુ પણ ભેજ વાળું છે તેમજ દરિયા કિનારા વિસ્તારોમાં ભેજવાળી ચીકણી હવા જોવા મળે છે એટલે ગુજરાતના અમુક વિસ્તારોમાં શિયાળો હશે છતાં પણ માવઠાની અસરો દેખાશે.
અંબાલાલે વધુમાં જણાવ્યું હતુ કે આ અઠવાડિયાના અંતમાં તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળશે. છેલ્લા 3 દિવસથી રાત્રીના તાપમાનમાં તેમજ વહેલી સવારના તાપમાન ભારે ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાત માં 27 ઓક્ટોબર પછી ભારે ઠંડી નો અહેસાસ થશે.
હાડ થીજાવે તેવી ઠંડીની શરૂઆત દિવાળી પછીના દિવસોમાં થશે પરતું દીવાળી અને બેસતા વર્ષ પહેલા દરિયા કિનારાના વિસ્તારમાં તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતના જીલ્લાઓમાં માવઠાઓ આવી શકે છે.
આ સમયમાં હિમાલયની પહાડી અને ઉતરાખંડના વિસ્તારોમાં બરફ વર્ષાની શરૂઆત થઈ જાય છે તેથી ગુજરાત તરફ ઠંડા પવનનો વા લાગવાનું શરુ થાય છે. આસો મહિનો બેસતા જ લોકોને ભારે ઠંડીનો ભોગ બનવું પડશે તેમજ મફલર ટોપી અને સ્વેટર , જેકેટ હાથવગા રાખવા પડશે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે.
અંબાલાલ પટેલે એ જણાવ્યું કે ગુજરાતમાં શિયાળની અસલ શરૂઆત ધીમે ધીમેં થશે પરંતુ હિમાલય , જમ્મુ તેમજ લેહ અને ઉતરાખંડમાં 27 તારીખ થી લઈને 30 તારીખ સુધીમાં બરફ પડવા લાગશે જેના લીધે દિલ્હી, હરિયાણા , પંજાબ , રાજસ્થાન અને ગુજરાતમાં પણ ઠંડીનો વા ફૂંકાશે.
અત્યારે તો ગુજરાતમાં ત્રી પંખી ઋતુ નજરે પડે છે. સવારે કાતિલ ઠંડી તેમજ બપોરે બળતો તાપ ત્યાર બાદ અમુક જીલ્લામાં ઝાપટું પણ આવી જાય છે અને સાંજે પાછી ઠંડીનો કહેર.. આ ઋતુમાં સ્વાસ્થ્યનું ખુબ જ ધ્યાન રાખવું પડે છે. કારણકે બદલાતી ઋતુમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ રોગોની સામે પુરતું રક્ષણ નથી આપી શકતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]