આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે અત્યારે નાના બાળકો માટે બહાર રમવા જવાનું મિત્રો સાથે રહેવાનું આ બધી વસ્તુ સાવ બંધ થઇ ગઇ છે અને ઘરે બેસીને માત્ર અને માત્ર ફોનમાં ગેમ રમી અવનવા વીડિયો જોવા અને આખો દિવસ ફોન માં જ રહે છે આના કારણે પણ ઘણી બધી વખત મોટા મોટા હા થઈ શકે છે અને ભાષામાંથી મોત ક્યારે થાય તેની પણ જાણ રહેતી નથી..
આવી જ એક ઘટના પિતરાઈભાઈઓ વચ્ચે બની છે. બાળકોને ગેમ રમવા આપતા માતા-પિતા માટે ખૂબ જ ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે, આ ઘટના ખેડા જિલ્લામાં ગોબલજ ગામએ બે પિતરાઇભાઇ વચ્ચે ફોનને લઈને ઝઘડો થયો હતો. આ ઝઘડો ખૂબ જ વધી ગયો હતો. ઝઘડો એક હદ કરતા વધુ વધી જતા મામલો ગરમાયો હતો. ગોબલેજ ગામે એક પરિવારમાં બે ભાઈઓ ભેગા રહેતા હતા.
અને આ બંને ભાઈઓના પુત્રો સરખી ઉંમરના જ હતાં. તે માટે બંને સાથે રમવા માટે જતા હતા. અને એક દિવસ બંનેને પિતરાઈ ભાઈઓ મોબાઈલ ખીચામાં નાખીને ઘરે પકોડી ખાવા જાય છે એમ બહાનું કાઢીને નીકળ્યા હતા. તેઓ ગામની બહાર એક ખેતરમાં જઈને ફ્રી ફાયર ગેમ રમી રહ્યા હતા. અને બંનેએ ગેમ રમવાના એકબીજાના વારા રાખ્યા હતા.
પહેલો વારો એક ભાઈ રમે એ પછી બીજા ભાઈએ રમવાનું હતું. પરંતુ એક ભાઈ ગેમ રમ્યા બાદ ગેમ રમવાનો વારો બીજા ભાઈનો આવતા તેણે ફોન આપવાની ના પાડી દીધી હતી. તેને કારણે પિતરાઈ ભાઈ ખૂબ જ ગુસ્સે થઈ ગયો હતો. અને ત્યારબાદ બંને ભાઈઓએ ઝઘડો ચાલુ કરી દીધો હતો. બંને એકબીજાને મારી રહ્યા હતા. મોટા ભાઈએ તો ગુસ્સા માં ને ગુસ્સામાં જ નાનાભાઇના માથામાં પથ્થર મારી દીધો હતો.
અને તેને કારણે પથ્થર વાગતા કિશોર બેભાન થઈ ગયો હતો. હત્યા કરી નાખી હતી બાદમાં હાથ-પગ બાંધી નજીકમાં આવેલ કૂવામાં ફેંકી દીધો હતો.. અને આ હુમલો કરનાર પિતરાઈભાઈ એ એવું માની લીધું હતું કે તેનું મૃત્યુ થઈ ગયું છે. અને તેને કારણે ઘરના લોકો તેને ખૂબ જ ખીજાશે અને તેને સજા થશે. તેમ માનીને બેભાન થયેલા કિશોરને હાથ-પગ તારથી બાંધીને કૂવામાં ફેંકી દીધો હતો.
પછી તે ત્યાંથી ભાગી ગયો. અને તેને કારણે પરિવારના લોકો આ બંને ભાઈઓને શોધી રહ્યા હતા. અને તેઓ ક્યાંયથી મળ્યા નહીં. જોકે બાદમાં બાળકની પરિવારજનોએ ખુબ જ શોધખોળ કરી હતી અને આ મામલે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ આપી હતી
આ બંને ભાઈઓ ઘરેથી પકોડી ખાવા જાય છે એમ કહીને નીકળ્યા હતા. તેને કારણે ઘરના લોકોને એમ હતું કે હમણાં તેઓ પાછા આવી જશે. પરંતુ આ બંને ભાઈમાંથી એક ભાઈને મૃત્યુ થઈ ગયું હતું. અને બીજો ભાઈ ભાગી ગયો હતો. ત્યારબાદ પોલીસ તપાસ બાદ પોલીસને એક કૂવામાંથી લાશ મળી હતી. ઘરના લોકોને આ લાશ જોવા માટે બોલાવ્યા.
તો તેમનો દીકરો નીકળ્યો હતો. આ જોઈને ઘરના બધા લોકો ના જીવ અધ્ધર થઇ ગયા હતા. અને મારી નાખેલા પિતરાઈ ભાઈ હજુ સુધી કોઈ ને પણ મળ્યો નહોતો. તેને કારણે હજુ તેની તો તપાસ કરી રહી હતી. અને પરિવારના લોકોને એમ હતું તેનું પણ મૃતું ન થયું હોય તો સારું એમ પ્રાર્થના પણ કરી રહ્યા હતા. આવી માત્ર ને માત્ર એક મોબાઈલ ગેમ રમવાને કારણે બનતી ઘટનાઓ ખુબ બનતી જોવા મળી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]