Breaking News

આકરી તપસ્યા..! રામપ્રિય દાસ બાપુ 1323 કિમીની દંડવત યાત્રા કરીને પહોચશે દ્વારિકાધીશ ધામે, જય દ્વારિકાધીશ..

દ્વારકાધીશના દર્શન કરવા માટે લોકો હજારો કિલોમીટર દૂરથી આવતા હોય છે. કારણકે દ્વારકાધીશના દર્શન કરીને દરેક ભક્તોને મનમાં શાંતિ મળતી હોય છે. તેમજ તેઓની દરેક ઈચ્છાઓ પૂર્ણ થતી હોય છે. પોતાના અટકેલા કામો ને પુર્ણ કરવા માટે ઘણા લોકોમાં તો પણ રાખતા હોય છે…

આજે અમે તમને એક બાપુ ની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેણે પોતાના અડગ મન થી દ્વારકાધીશના દર્શન કરવા માટે એક અનોખી રીત અપનાવી છે. રામપ્રિયદાસ બાપુ દ્વારકાધીશના દર્શન કરવા માટે ખુબ ઉત્સાહિત હતા. તેઓએ ભગવાનને રીઝવવા માટે આકરી તપસ્યા કરી છે..

તેઓ ગ્વાલિયરથી દ્વારકા સુધી દંડવત કરતા કરતા આવી રહ્યા છે. તેઓની આ દંડવત યાત્રા 1323 કિ.મીની છે. જો સામાન્ય માણસને સો કિલોમીટર પણ ચાલવાનું કહી દેવામાં આવે તો તેઓ પગપાળા ચાલવાનું શરૂ કરે એ પહેલાં જ મનથી હારી જતા હોય છે. પરંતુ રામપ્રિય દાસ બાપુ ૧ ઓગસ્ટના રોજ દંડવત કરતાં કરતાં ગ્વાલિયર થી નીકળ્યા હતા…

ત્યારબાદ તેઓ દંડવત યાત્રા કરતા કરતા ગુજરાતમાં લીંબડી ખાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ ભફૈયા આશ્રમમાં રોકાયા છે.  રામ પ્રિય દાસ બાપુ ની ઉંમર ૬૦ વર્ષની છે. 60 વર્ષની ઉંમરે શરીર લગભગ ધીમે ધીમે સાથ મૂકી દેતું હોઈ છે છતાં પણ રામ પ્રિય દાસ બાપુ દંડવત યાત્રા કરી રહ્યા છે.

તેઓને દ્વારકાધીશ માં ખૂબ શ્રદ્ધા અને આસ્થા રહેલી છે. રામ પ્રિયદાસજી બાપુ એકલા જ આ યાત્રા કરી રહ્યા છે. તેમની સાથે કોઈપણ સંઘ અથવા સેવકો પણ નથી. તેઓ 1323 કિલોમીટરની દંડવત યાત્રા કરીને દ્વારકાધીશના દર્શન કરવા માટે પહોંચશે. તેઓને આ યાત્રા વિષે પૂછવામાં આવ્યું હતું કે તેઓને ખ્યાલ કેવી રીતે આવ્યો હતો…

તેઓએ જણાવ્યું હતું કે મને માત્ર મનમાં દ્વારકાધીશના દર્શન કરવા આવ્યો હતો એટલા માટે કરતા કરતા યાત્રા પૂર્ણ કરવાનો નિશ્ચય કરી લીધો છે. હકીકતમાં ભગવાન પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા માટે ભક્તો ખૂબ જ આકરી તપસ્યા કરતા હોય છે. જેમાં રામ પ્રિય દાસ બાપુ જમીન ઉપર દંડવત કરતા કરતા આ યાત્રા પૂર્ણ કરવાનું વિચાર્યું છે. અને અંતે તેઓ દ્વારકાધીશના દર્શન કરીને જ આ યાત્રાને પૂર્ણ કરશે હકીકતમાં દ્વારકાધીશની મહિમા નો કોઇ પાર નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *