હાઈવે ઉપર હજારોની સંખ્યામાં વાહનો મુસાફરી કરે છે અને એ દરમિયાન જમવાનો સમય થઈ જતા હાઈવે ઉપર ઘણા બધા રેસ્ટોરેન્ટ, હોટેલ અને ઢાબા બનાવેલા હોય છે. એક ભણેલ ગણેલ શિક્ષિત પરિવાર હાઇવે ઉપરથી પસાર થઈને એક પ્રસંગમાં હાજરી આપવા માટે જતા હતા. એ વખતે અડધે રસ્તે જ તેમની સાથે એવી ઘટના બની ગઈ છે કે, પરિવારના સભ્યોને ઉલટીઓ થવા લાગી હતી..
તેમજ તેમના બાળકોને પણ ઉબકા થઈ ગયા હતા. આ દ્રશ્ય જોઈને ત્યાં ઉભેલા લોકો પણ હચમચી ઉઠ્યા હતા. એક પરિવાર પાણીપત પાસેના હાઇવેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે બપોરનો સમય હોવાથી તેઓ એક ઢાબામાં ભોજન કરવા માટે રોકાયા હતા. એ વખતે તેઓએ આ ઢાબાની અંદર આખા રીંગણના શાકનો ઓર્ડર કર્યો હતો..
અને સાથે રોટલી પાપડ છાશ અને સલાડ પણ મંગાવ્યું હતું. જ્યારે તમામ ચીજ વસ્તુ એક ટેબલ ઉપર આવી ગઈ અને પરિવારજનોએ અડધુ રીંગણનું શાક ખાય પણ લીધું હતું. ત્યારે અચાનક જ અંદરથી એવી ચીજ વસ્તુઓ જોઈ લીધી હતી કે, પરિવારજનો આ દ્રશ્ય જોઈને ચોંકી ઉઠ્યા હતા..
એ તેમની પત્ની કામિનીબેન અને તેમના બંને દીકરા પણ તેમની સાથે જ ટેબલ ઉપર બેઠા હતા. જ્યારે આખા રીંગણના શાકનો તેના મોઢામાં મુકવા જઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ તેમને જોયું તો શાકની અંદર કોઈ જીવજંતુ હલબલી રહ્યું હોય તેવું લાગતું હતું. જ્યારે ચમચી વડે શાકની અંદર બરાબર નજર નાખીને જોયું તો તેમને દેખાયું કે કેટલીક જીવાંતોનો એક ગુચ્છો શાકની અંદર હલનચલન કરી રહ્યો હતો..
આ આખો ગુચ્છો એકસાથે જ હલન-ચલન કરતો હતો, એક ઉપર એક ઘણી બધી જીવાંતો એક સાથે શાકમાં પડેલી હતી. એટલી બધી જીવાંતોને એક શાકની અંદર જોતાની સાથે જ તેમને ઉલટીઓ થવા લાગી હતી..
આ દ્રશ્ય જોઈને તેમની પત્ની કામિનીબેન પણ ઉલટી કરી ગયા અને વિચારવા લાગ્યા કે, તેઓ ખૂબ જ ખરાબ ભોજન જમી ગયા છે. અને આ તમામ ખોરાક તેમના પેટમાં પણ ચાલ્યો ગયો છે. અભિનવભાઈ અને કામિનીબેનને જોઈને તેમના બાળકો પણ ઉબકા કરવા લાગ્યા હતા. જ્યારે ઢાબાની અંદર આ દ્રશ્ય સર્જાયું ત્યારે તેમના આસપાસ જમી રહેલા સૌ કોઈ લોકો પોતાનું ભોજન પડતું મૂકીને અહીં આવી પહોંચ્યા..
અને જોયું તો આ શાકની અંદર કેટલી બધી જીવાંત અને ઈયળ રખડી રહી હતી. ઢાબાના માલિકને ખખડાવી નાખ્યો હતો. કારણ કે અહીં સ્વચ્છતાનું કોઈ પણ પ્રકારનું ધ્યાન રાખવામાં આવ્યું નહીં અને શાકની અંદર એવી ચીજ વસ્તુઓ પડેલી દેખાઈ આવી હતી કે, જેને જોતાની સાથે સૌ કોઈ લોકોનો પિત્તો ફાટી જાય..
પાછળના સમયમાં આવી ઘણી બધી ઘટનાઓ નોંધાઈ ચૂકી છે કે, જેમાં સારા સારા નામચીન રેસ્ટોરન્ટની અંદર પણ ખોરાકની અંદર ભેળસેળ જોવા મળે છે. અને અહીંયા ઢાબાની અંદર આખા રીંગણના શાકમાં એવી જીવતો દેખાઈ આવી કે, જે લોકોના સ્વાસ્થ્ય સાથે ખૂબ જ ચેડા કરી નાખે..
કદાચ જો આ જીવાંતવાળું શાક પરિવારજનો પૂરેપૂરું સાફ કરી ગયા હોત તો તેમને ફૂડ પોઈઝનિંગ થવાની પણ શક્યતા રહેલી હતી. અને તેમનો જીવ પણ જતો રહેતો હોય, તાત્કાલિક ધોરણે નજીકના પોલીસ સ્ટેશનમાં પણ જાણકારી આપી અને ફૂડ વિભાગના અધિકારીઓને પણ તપાસ માટે કમ્પ્લેન પહોંચાડી દીધી હતી..
અધિકારીઓ તાત્કાલિક ધોરણે આ ઢાબા પાસે આવી પહોંચ્યા અને તમામ વસ્તુઓના સેમ્પલ પણ લીધા હતા. જેમાં મોટાભાગની વસ્તુઓમાં ભેળસેળ જોવા મળી હતી. તાત્કાલિક ધોરણે આ ઢાબાને બંધ કરવામાં આવ્યો હતો. અને ત્યાં મળેલી તમામ ચીજવસ્તુના જથ્થાને નાશ કરી દેવામાં આવ્યો હતો…
જો કોઈ વ્યક્તિ રૂપિયાની કે કોઈ ચીજ વસ્તુની છેતરપિંડી કરી જાય તો કદાચ તેને માફ કરી દેવામાં આવે છે. પરંતુ ખાવા પીવાની ચીજ વસ્તુ ની અંદર જો ગ્રાહકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં ન આવે તો તેને કોઈ વ્યક્તિ સહન કરી લેતા નથી. આ ઘટનાને લઈને તેઓએ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી છે…
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]