અમુક લોકો ક્યારેક એટલા નિર્દય બની જાય છે કે તેઓ જાણી શકતા નથી કે તેઓ શું કરી રહ્યા છે. લોકો પોતાનું જ વિચારીને બીજા લોકો સાથે ગંભીર ઘટનાઓ ઘડી રહ્યા હોય છે. તેઓ પોતાની લાગણીને એક બાજુ મૂકીને લોકો સાથે કરુણઘટના કરી રહ્યા છે, જેને કારણે બનતી ઘટનાઓ ખૂબ જ સામે આવી રહી છે.
આ ઘટના મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલા પરસાનિયા ગામની બાજુમાં આવેલા ગામમાં બની હતી. આ ગામમાં એક પરિવાર રહેતું હતું. પરિવારમાં સગીર ઉંમરનો એક દીકરો તેમના માતા-પિતા સાથે રહેતો હતો. દીકરાની ઉંમર 14 વર્ષની હતી. દીકરો ગામના લોકોની નાની મોટી મજૂરી કરીને તેમના પિતાને આર્થિક મદદ કરી રહ્યો હતો.
તે ગામમાં ઘણા બધા લોકોના ઘરે મજૂરી કામને કારણે જતો હતો. એક દિવસ તે પોતાની ગામની બાજુમાં આવેલા પરસાનિયા ગામમાં મજૂરી માટે ગયો હતો. તે સમયે એક પરિવારના લોકોએ તેમના પર ચોરીનો આરોપ લગાવ્યો હતો અને ગામના લોકોને આ ઘટનાની જાણ થતા ગામના લોકો પરિવારના ઘરે પહોંચી ગયા હતા.
અને આ દીકરાને થાંભલા સાથે બાંધી દીધો હતો. દીકરાએ ચોરી કરી છે અને તે ચોર છે તેમ માનીને ગામના લોકો એ તેમના પાસેથી સાચું બોલાવવા માટે ખૂબ જ માર મારી રહ્યા હતા પરંતુ દીકરાએ ચોરી કરી ન હતી જેના કારણે તે ના પાડી રહ્યો હતો છતાં પણ ગામના લોકો તેમને ખૂબ જ મારતા રહ્યા હતા.
ઢોર મારે મારવાને કારણે દીકરો દરેક લોકોને છોડી દેવાની આજીજી કરી રહ્યો હતો અને દયાની ભીખ માંગી રહ્યો હતો. છતાં પણ ગામના એકપણ વ્યક્તિઓમાં લાગણી રહી ન હતી અને તેઓ નિર્દયતાથી આ બાળકને મારી રહ્યા હતા. બાળકને ખૂબ જ મારવાને કારણે તેના નાક અને મોઢામાંથી લોહી નીકળી ગયું હતું.
બાળકને ખૂબ જ નિર્દયતાથી માર માર્યો હતો અને છતાં પણ ગામના લોકો તેમના પર ચોરીની આશંકા કરી રહ્યા હતા. ત્યારબાદ દીકરો બેભાન થઈ જતા ગામના લોકો તેને ત્યાને ત્યાં છોડીને પોતાના ઘરે આવતા રહ્યા હતા. દીકરાના પિતાને આ ઘટનાની જાણ થતા તેઓ દીકરાને બચાવવા માટે પરસાનીયા ગામમાં ગયા હતા.
તે સમયે તરત જ દીકરાના પિતા તેમને હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ દીકરો મૃત્યુ પામ્યો હતો. જેના કારણે દીકરાના પિતાએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. બે દિવસ પહેલાં તેમણે પોલીસના ઘટનાની જાણ કરી હતી પરંતુ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને દીકરાનો ન્યાય અપાવવા માટે માતા-પિતા અને પોલીસને ખૂબ જ આજીજી કરી રહ્યા હતા.
દીકરાનો વિડીયો બનાવવામાં આવ્યો હતો જે આજે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ ગયો હતો અને આ જોઈને ગામના લોકોને ખબર પડતા ગામના લોકોના હાથ પગ પેટમાં ગરી ગયા હતા તેઓનો જીવ તાળવે ચોટી ગયો હતો. દરેક ગામના લોકો વાકમાં હોવાને કારણે તેઓ ગામ છોડીને ભાગી ગયા હતા પરંતુ પોલીસ તેમની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]