બધા ખેડૂતો પોતાની વાવણી સારી કરી રહ્યા છે. અને હવામાન વિભાગના આગાહીના પગલે ઘણા બધા રાજ્યોમાં ખૂબ જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અને હજુ થોડા દિવસ વરસાદ સારો એવો રહેશેની આશંકા કરવામાં આવી છે. આવા ભારે વરસાદને કારણે ઘણા રાજ્યોમાં ઘણી બધી હોનારતો પણ સર્જાવા લાગી છે.
દેશમાં ધીમે ધીમે બધા જ રાજ્યોમાં ચોમાસાનું આગમન થઈ ચૂકયું છે. અને દરેક રાજ્યના લોકોને ઉનાળાની ગરમી અને તડકાથી છુટકારો મળી ગયો હતો. હાલમાં રાજ્યોમાં વરસાદી માહોલ ખૂબ જ સારો એવો જોવા મળી રહ્યો છે. દરેક રાજ્યોમાં વરસાદના આગમનને કારણે બધા જ લોકો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે.
અને દેશમાં અમુક રાજ્યોમાં ખૂબ જ સારો એવો સતત વરસાદ વરસી રહ્યો છે તેને કારણે નદી-તળાવો છલકાઈ ગયા છે. અને નદીઓમાં પુર આવી ગયા છે નદી બંને કાંઠે વહેતી થઇ ગઈ છે. તેથી લોકોના ઘરોમાં સુધી પાણી પહોચી ગયા છે.અને લોકોના ઘરોમાં પાણી ઘુસવા લાગ્યા છે. તેને કારણે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે.
જો દેશના ઉત્તર ભાગના રાજ્યની વાત કરવામાં આવે તો આસામ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, મેઘાલય જેવા રાજ્યમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. અને આ રાજ્યમાં દર વર્ષે આવા ભારે વરસાદ પડવાને કારણે પુર જોવા મળે છે. અને હાલમાં પણ આસામ રાજ્યમાં સતત સારો વરસાદ વરસવાને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ છે.
આસામમાં પૂરની ભયાનક સ્થિતિ સર્જાઈ ગઈ છે. લાખો લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. અને ઘણા બધા ગામડામાં અતિ ભારે વરસાદને કારણે નદીઓમા પાણી છલકાવાને લીધે ઘણી નદીઓ બે કાંઠે વહેવા લાગી હતી. તેને કારણે નદીઓનાં પાણી ગામડાઓમાં ઘુસી ગયા છે. અને તેને કારણે આસામમાં સારું એવ પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ છે.
આસામમાં આવેલા ઘોડાપૂરના કારણે 28 જિલ્લાના 18.94 લાખ લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. અને રાજ્યના 96 મંડળમાં આવતા 2930 ગામડામાં હાલમાં પાણી ભરાઈ ગયા છે. આ સંપૂર્ણ ભયાનક સ્થિતિ અતિભારે વરસાદને કારણે સર્જાઈ ગઈ છે. આસામના પૂરને કારણે વધુ 9 લોકોના મોત થઈ ગયા છે. અને અત્યાર સુધીમાં તો 54 લોકો મૃત્યુ પામ્યા છે.
આસામમાં હોજઈ, નલબાડી, બઝલી, ધુબરી, કામરૂપ, કોકરાઝાર અને સોનિતપુર જિલ્લામાં પૂર આવવાને કારણે ઘણા બધા લોકોના મૃત્યુ થઈ ગયા છે. રાજ્યમાં ઘોડાપૂરને કારણે ઘણા બધા મકાનો પડી ગયા હતા તેને કારણે આ બધા લોકોના જીવ ગયાનું અનુમાન કરવામાં આવ્યું છે. અને ઘણા લોકો પાણીમાં તણાઈ જવાના કારણે પણ મૃત્યુ પામ્યા છે.
આસામ પૂરને કારણે છે 96 મંડળમાં આવતા ગામડાંઓમાં હાલમાં પાણી ભરાઈ ગયા છે તેને માટે લોકો આજુ બાજુમાંથી સહાય કરી રહ્યા છે. અને ઘણા લોકોને પૂરમાં ફસાયા હોય ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા છે. અને કહેવામાં આવે તો આસામમાં મુશ્કેલીમાં મુકાયેલા જિલ્લાઓમાં 43338.39 હેકર જમીન પાણીથી ભરાઈ ચુકી જોવા મળી રહી છે.
તેના પરથી અંદાજ આવી શકે છે કે ઘણા બધા ગામોમાં પાણી ભરાઇ ગયા છે. અને આસામના બઝલી જિલ્લામાં 3.55 લાખ લોકો, દરાંગ જિલ્લામાં 2.90 લાખ, ગોલપાડામાં 1.84 લાખ, બારપેટામાં 1.69 લાખ, નલબાડીમાં 1.23 લાખ, કામરૂપમાં 1.199 લાખ અને હોજઈમાં 1.05 લાખ લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.
આ બધા ગામડાઓમાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અને અતિ ભારે વરસાદને કારણે આવી નદીઓ બે કાંઠે થવાને કારણે તેમજ વરસાદનું પાણી સતત વધી રહ્યું છે તેને કારણે જળસ્તર વધી રહ્યું હતું. ગામડાઓમાં પાણી ઘૂસી ગયા હતા. અને લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. એક ચોમાસાના આગમનથી અત્યાર સુધી સતત વરસાદને કારણે આવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી.
અને ગાજવીજ સાથે વરસાદ થવાને કારણે લોકોને ઘરની બહાર પણ નીકળવું ઘણું મુશ્કેલ બની ગયું છે. આસામમાં હજુ પરિસ્થિતિ ખૂબ જ ખરાબ સર્જાઇ રહી છે. અને લોકો પોતાના ઘરમાં પાણી ઘસવાની કારણે બીજા જગ્યાએ સ્થાનાંતરિત પોતાનો નામ સામાન લઈને કરી રહ્યા છે. સરકાર પણ આ જિલ્લાઓમાં લોકોની સહાય કરી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]