હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે, ઘણા દિવસોથી ઠંડી પડી રહી છે. જેમાં લોકો પોતાના ઘરની બહાર ઓછા નીકળી રહ્યા છે પરંતુ અમુક લોકો આવી ઠંડીની મજા માણવા માટે ફરી રહ્યા હોય છે. હાલમાં ઠંડીમાં વધ-ઘટ થઈ રહી છે. પરંતુ છેલ્લા દિવસથી ગુજરાત રાજ્યમાં ફરી ઠંડી વધારે દેખાશે તેમ હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી કરતા જાણવા મળ્યું છે કે, બે થી ત્રણ ડિગ્રી સુધી પારો વધી શકે તેવી શક્યતા છે. રાજ્યમાં ગયા 2 દિવસથી ઠંડીનો ચમકારો ઓછો દેખાઈ રહ્યો હતો પરંતુ વર્ષના નવા દિવસથી ફરી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે, જેના કારણે રાતના તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે.
ગુજરાતના અમદાવાદમાં 14.4 ડિગ્રી સાથે ઓછા તાપમાનમાં સામાન્ય કરતાં 2 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. રાજકોટમાં ચાર દિવસમાં સાત ડિગ્રીથી વધીને 17 ડિગ્રી જેટલું તાપમાન થયું છે. ગુજરાતના મોટાભાગના શહેરમાં 14 ડિગ્રીથી વધારે તાપમાન હતું. જે હાલમાં ઘટવાની શક્યતા છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં ઘટાડો થતો જોવા મળ્યો હતો.
અને તાપમાનમાં વધારો દેખાઈ રહ્યો હતો પરંતુ હવે ઠંડીનો ચમકારો વધતાની સાથે જ લોકોને કડકડતી ઠંડી સહન કરવી પડશે અને આગાહી દિવસમાં હજુ પણ આ ઠંડી વધવાની શક્યતા છે. રાજ્યમાં બે દિવસ ઠંડીમાં ઘટાડો થતાં દરેક લોકોને ઠંડીમાં રાહત મળી હતી પરંતુ રાજ્યમાં મોટાભાગના શહેરોમાં ઠંડી જોવા મળી નહીં.
પરંતુ હવે આગામી દિવસોમાં કડકડતી ઠંડી માટે લોકોને તૈયાર રહેવું પડશે. લોકો પોતાના ઘરેથી ધાબળો, સ્વેટર પહેરીને ઘરેથી બહાર નીકળતા દેખાઈ રહ્યા છે. હજુ આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. નવા વર્ષની શરૂઆતમાં જ લોકોને આવી કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે.
જો કે ઘણા બધા વ્યક્તિઓ ઠંડી વધતા આ ઠંડીની મજા લઇ રહ્યા હોય છે. લોકો ઠંડીમાં ગરમ ગરમ વાનગીઓ બનાવીને ખાઈ રહ્યા છે અને તેઓ ઠંડા વાતાવરણનો આનંદ લઇ રહ્યા છે. આગામી દિવસોમાં દરેક જિલ્લાઓમાં ઠંડીમાં વધઘટ જોવા મળશે પરંતુ ઠંડીનો પારો વધવાની શક્યતા હવામાન વિભાગે આપી છે. સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. શિયાળાની ઋતુ ખૂબ જ કડકડતી ઠંડી સાથે ચાલી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]