કોઈપણ ચીજ વસ્તુઓ ખાતા પહેલા લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. દરેક ચીજ વસ્તુઓમાં આજકાલ ભેળસેળ થઈ રહી છે, છતાં પણ લોકોને બહારની ચીજ વસ્તુઓ ખાવાનો ખૂબ જ મોજ શોખ રહ્યો છે. અવારનવાર અખાદ્ય ચીજ વસ્તુઓને લઈને થતી છેતરપિંડીના બનાવો સામે આવતા હોય છે.
પરંતુ હાલમાં એવો જ એક બનાવો સામે આવ્યો હતો. આપણને ફિરોજાબાદમાં ફુડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની ટીમે સમગ્ર જિલ્લામાં દરોડા પાડ્યા હતા. તે સમયે એવો ખુલાસો થયો હતો. જે જાણીને દરેક લોકો આ વસ્તુ ખાતા પહેલા સો વાર વિચાર કરશે. શિકોહાબાદમાં આવેલી દુકાનમાં શોસના અને ચટણીના પેકેટ ફૂડ સેફટીના અધિકારીઓએ તપાસ્યા હતા.
તે સમયે પેકેટમાંથી હલકી ગુણવત્તાની વસ્તુઓ વાપરી હોવાની જાણ થઈ હતી અને આ ચટણી ખૂબ હલકી ગુણવત્તામાં બનાવામાં આવતી હતી. સોસના પેકેટમાં પણ ખૂબ જ લાલ કલર મિક્સ કરવામાં આવ્યો હતો. દરેક જાણકારી થતા ફૂડ સેફટીના અધિકારીઓએ બોક્સમાં રહેલા 150 ટિકિટ અને પેકેટનો નાશ કર્યો હતો.
અને તે દુકાનમાંથી ઠંડા પાણીની બોટલોને ચેક કરવામાં આવી હતી. તે સમયે બોટલના પેકિંગ પર વાંચતા જ અધિકારીઓ ચોકી ગયા હતા. 288 ઠંડા પાણીની બોટલ ફ્રીજમાં મુકવામાં આવી હતી. આ બોટલોની એક્સપાયરી પણ નાશ પામી હોવા છતાં તેને સાચવવામાં આવી હતી. અને ગ્રાહકોને આ બોટલો વેચવામાં આવતી હતી.
જેના કારણે અધિકારીઓએ ચટણીના આઠ બોક્સમાં રહેલા 150 જેટલા પેકેટનો નાશ કર્યો અને ઠંડા પાણીની બોટલોને પણ નાશ કર્યો હતો. સાથે-સાથે આ બજારમાં આવીને ઘણી બધી દુકાનોમાં ફૂડ સેફ્ટી અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. તે સમયે એક દુકાનમાંથી મળી આવેલો 20 કિલો આજીનોમોટોનો પણ નાશ કર્યો હતો.
આ આજીનોમોટો દુકાનદાર પોતાની દરેક ચીજવસ્તુ બનાવવામાં વાપરતો હતો જેના કારણે ચીજ વસ્તુઓમાં સ્વાદ બેસે પરંતુ આજીનોમોટો લોકોના સ્વાસ્થ્ય માટે કેટલો નુકસાનકારક છે તે દરેક લોકો જાણી શકે છે. જેના કારણે નોટિસ આપીને આગળની કાર્યવાહી કરવાની પણ તૈયારીઓ કરવામાં આવી હતી.
ફિરોઝાબાદમાં પણ અનેક દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ફુડ સેફટી અધિકારીઓએ સાથે સાથે દૂધ, ચીઝ અને ઘીના સેમ્પલ પણ લઈ લીધા હતા. જેના કારણે દૂધ અને ઘીમાં કેટલી ગુણવત્તામાં બનાવવામાં આવી રહ્યું છે તે જાણી શકાય છે અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડીને અટકાવી શકાય છે. દરેક લોકોએ પોતાની વસ્તુઓ ખરીદતા પહેલા તેમની એક્સપાયરી તપાસવી જોઈએ.
અને ચેક કરીને જ વસ્તુઓ ખરીદવી જોઈએ. અવારનવાર ફૂડ અધિકારીઓ દરેક દુકાનમાં દરોડા પાડતા હોય છે જેના કારણે દુકાનદારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. પરંતુ સોસ અને ચટણીના પેકેટમાં ખૂબ જ હલકી ગુણવત્તા જોવા મળી હતી. જેના કારણે ઘણા બધા ગ્રાહકોના સ્વાસ્થ્યને બચાવી લેવામાં આવ્યું હતું. અવારનવાર આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]