Breaking News

આ પરણીત ભેજાબાજ મહિલા 5-5 જગ્યાએ પરણીને કરતી એવા કામ કે સાસરીયાઓને દોડતા થવું પડ્યું, ચેતવણીરૂપ કિસ્સો આવ્યો સામે..!

જે વ્યક્તિના લગ્ન ન થયા હોય તેમના પરિવારજનો ખૂબ જ ચિંતિત હોય છે. અને વિચારતા હોય છે કે, આખરે તેમના દીકરા કે દીકરીને લગ્ન થઈ જાય તો તેમનું પણ ઘર વસી જાય અને પરિવારજનો માટેથી મોટી ઉપાધિ મટી જાય.. પરંતુ લગ્નની ઉતાવળ મા ને ઉતાવળમાં કોઈક વખત ફસાઈ જવાનો પણ વારો આવતો હોય છે..

લગ્નના નામે છેતરપિંડી કરનારી એક ટોળકી પોલીસના હાથે ચડી ગઈ છે. લગ્ન કરવા માટે ઈચ્છુક વ્યક્તિઓને બાટલીમાં ઉતારીને નીચોવી નીચોવીને નાણા ખંખેરીને બે થી ત્રણ દિવસની અંદર જ રફ્ફું ચક્કર થઈ જતા હતા. આ ટોળકીમાં બે મહિલાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લગ્ન માટે વચ્ચે દલાલ પણ રાખવામાં આવતો હતો..

દલાલ પણ લગ્ન માટે પૈસા વસૂલતો અને લગ્ન બાદ આ ટોળકીની મહિલાઓ જે તે સાસરીયાઓ પાસેથી પૈસા પડાવતી હતી. આ મહિલાઓએ અમરેલી પંથકમાં અંદાજે પાંચેક જેટલા યુવાનોને પોતાના નિશાને બનાવ્યા છે. છેતરપિંડી કરનારી આ ટોળકી રાજકોટના કોઠારીયા રોડ ઉપર આવેલી રણુજા ચોકડી વિસ્તારની અંદર રહે છે..

તેઓએ પ્રવીણભાઈ રવજીભાઈ રાઠોડ 30 વર્ષના યુવક સાથે ખૂબ જ મોટી છેતરપિંડી કરી છે. માધવી મકવાણા તેમજ માધવીની માસી દેવું બેન મકવાણા અને તેના માસા શામજીભાઈ મકવાણા આ ત્રણેય વ્યક્તિ આ લૂંટમાં સામેલ હોવાનું સામે આવ્યું છે. જ્યારે દલાલ મારફતે લગ્ન નક્કી થાય ત્યારે દલાલને 60 હજાર રૂપિયા રોકડા આપ્યા હતા..

અને ત્યારબાદ ફૂલહાર ની વિધિથી લગ્ન કરાવ્યા હતા આ ઉપરાંત બાકીના રૂપિયા 1.40 લાખ લગ્ન થતાં જ ચૂકવી દેવામાં આવ્યા હતા. આ લુટેરી મહિલાઓ જે તે વ્યક્તિ સાથે પૈસાની વાતચીત નક્કી કરીને લગ્ન કરે છે. ત્યાં પાંચ દિવસ રોકાયા બાદ છઠ્ઠા દિવસે ત્યાંથી રફુચક્કર થઈ જતા હોય છે..

આ ટોળકી છેલ્લા કેટલાક દિવસથી ખૂબ જ ત્રાસ પહોંચાડી રહી હતી કેટ કેટલાય લોકો અંદરખાને આ ટોળકીના શિકાર બની ગયા હતા પરંતુ તેઓ સમાજમાં બદનામીને કારણે કોઈ વ્યક્તિને કહેતા હતા નહીં. પરંતુ હવે આ તમામ માહિતીઓ અને પોલ ખુલ્લી પડતા લોકો ભારે રોષ દાખવી રહ્યા છે..

આ ટોળકી સૌરાષ્ટ્રમાં ચારે બાજુ ફેલાયેલી હતી. માત્ર વડીયા પંથકની અંદર જ ત્રણ યુવકોને આ મહિલાએ ભોગ બનાવ્યા છે. આ ઉપરાંત બાબરા પંથકમાં પણ બે વ્યક્તિઓ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન માટે જોયા જાણ્યા વગર લગ્ન માટે હા કહી દેતા વ્યક્તિઓ માટે ખૂબ જ ચોંકાવનારો બનાવો સામે આવી ગયો છે. આ બનાવને લઈને ભારે ચર્ચા વિચારણાઓ થઈ રહી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *