છેલ્લા કેટલાક સમયથી બોગસ ડોક્ટર પકડવાનો સિલસિલો ચાલી રહ્યો છે. જેમાં વધુ એક ડોક્ટરની ધરપકડ ધાંગધ્રા તાલુકાના નરાળી ગામમાંથી કરવામાં આવી છે. આ ડોક્ટર પર પ્રાંતિય છે. તે મૂળ યુપીમાં આવેલા ઓઝા ગામનો વતની છે. અને તેનું નામ રવીન્દ્રનાથ છે. તે પોતે ધોરણ 12 સુધી ભરેલો છે..
છતાં પણ નરાલી ગામમાં રહીને છેલ્લા દસ વર્ષથી ડોક્ટરની કામગીરી કરી રહ્યો છે. અને પોતાનું ક્લિનિક પણ ચલાવી રહ્યો છે. તમે વિચારવા પર મજબૂર બની જશો કે, છેલ્લા દસ વર્ષથી શું કોઈને પણ આ ડોક્ટરની હકીકત વિશે ખબર પડી નહીં હોય.. પરંતુ તમને જણાવી દઈએ કે આ ડોક્ટર સામાન્ય તાવ શરદી ઉધરસ જેવા રોગોનું સારવાર કરી રહ્યો હતો..
આવા રોગો માટે તે મામૂલી દવા આપતો અને લોકોને સારું થઈ જતું હતું. એટલા માટે કોઈ વ્યક્તિએ ક્યારેય પણ આ ડોક્ટરની ડિગ્રી તપાસવાની કામગીરી કરી હતી નહીં. પરંતુ જ્યારે પોલીસના વડાએ આદેશ આપ્યા કે, લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર લોકોને જ તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવે..
ત્યારે સૂચના અનુસાર અન્ય જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી. અને તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન જાણ થઈ કે નરોલી ગામમાં દવાખાનું ચલાવનાર રવીન્દ્રનાથ નામનો ડોક્ટર પાસે કોઈ ડીગ્રી નથી. છતાં પણ તે છેલ્લા દસ વર્ષથી દવાખાનું ચલાવી રહ્યો છે.
કોઈક દિવસ એવો આવે કે, જ્યારે ભૂલથી કદાચ ડોક્ટરે ઊંધી દવા આપી દીધી હોય અને તેની અસર દર્દીને થતા મૃત્યુ થવાની પણ સંભાવના રહે છે. છેલ્લા દસ વર્ષથી કોઈ આવો બનાવ બન્યો નથી. પરંતુ 100 વખતમાંથી કોઈ એક વખત પણ કદાચ આવો બનાવ બની ગયો હોય તો લોકોને ભારે મુશ્કેલી સહન કરવાનો વારો આવે છે..
એટલા માટે જુઓ જે વ્યક્તિ પાસે ડિગ્રી હોય તે લોકો જ લોકોની સારવાર કરી શકે છે. આ અગાઉ પણ ભરૂચ, ગાંધીનગર, રાજકોટ, જામનગર અને અમરેલી માંથી બોગસ ડોક્ટરના બનાવો સામે આવી ગયા હતા. રાજકોટમાં રહેલ બોગસ ડોક્ટર તો લોકોના ઓપરેશન સુધીની કામગીરી પણ કરવા લાગ્યો હતો..
આ ઉપરાંત ભરૂચમાં રહેલો બોગસ ડોક્ટર લોકોને ખૂબ જ ખરાબ દવા આપતો હતો. જેના કારણે લોકોને ખરાબ વિચાર આવતા અને ત્યારબાદ તેઓ ખૂબ જ ખરાબ પ્રવૃત્તિઓ પણ આચરવા લાગતા હતા. આવા ડૉક્ટરોથી દરેક લોકોએ ચેતીને રહેવું જોઈએ. તેમજ ડિગ્રી વાળા અને સચોટ નિદાન કરનાર ડોક્ટર પાસે સારવાર કરાવી જોઈએ..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]