આ વર્ષે કુદરતી આફતોને કારણે ખેતરમાં દરેક પાકોનું ઉત્પાદન ખૂબ નબળા પ્રમાણમાં થયું છે. પરંતુ બીજી બાજુ સરકારી ટેકાના ભાવ તેમજ એપીએમસી માર્કેટ યાર્ડોમાં પણ દરેક પાકોના ભાવ ખૂબ ઊંચા બોલાઇ રહ્યા છે. જેના પગલે ખેડૂતો દરેક પાકોનો સંગ્રહ કર્યા વગર જ સીધા APMC માર્કેટ યાર્ડ વેચવા માટે પહોંચી જાય છે..
આજે વાત કરીએ સૌરાષ્ટ્રના ગોંડલ માર્કેટયાર્ડની તો ગોંડલ માર્કેટ યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટ યાર્ડ છે. તેમજ આ માર્કેટમાં દરેક પાકોના ભાવ પણ ખૂબ સારા આપવામાં આવે છે. આજે ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક થઇ છે. આટલી મોટી આવક આજદિન સુધી ક્યારે પણ નોંધાઈ નથી..
તમે જાણીને હચમચી જશો કે આજે ગોંડલ માર્કેટયાર્ડમાં કુલ બે લાખ કટ્ટા ડુંગળીની આવક થઇ છે. આટલા મોટા પ્રમાણમાં આવક નોંધાતા ગોંડલ માર્કેટીંગ યાર્ડના મેનેજમેન્ટ કરનાર લોકોને માર્કેટયાર્ડની આસપાસના ખેતરોને ભાડે રાખવા પડ્યા હતા. કારણકે ગોંડલ માર્કેટ યાર્ડ માં આટલી બધી ડુંગળીનું સમાવેશ કરવો શક્ય નથી..
એટલા માટે તેઓ અને ભાડે જગ્યા રાખવાની ફરજ પડી હતી. ગોંડલના આસપાસના જિલ્લાઓમાં મોટાભાગના ખેડૂતો ડુંગળીનો પાક ખૂબ મોટા પ્રમાણમાં લે છે. તેમજ ડુંગળીના પાક ના સારામાં સારા ભાવ ગોંડલ માર્કેટ યાર્ડ માં મળી આવતા દૂર-દૂરના ખેડૂતો પણ આ માર્કેટ યાર્ડ ડુંગળીનો પાક વહેંચવા માટે આવે છે…
આજે ગોંડલ માર્કેટયાર્ડમાં ૧૫૦૦ કરતાં વધારે ખેડૂતો ડુંગળી વેચવા માટે આવ્યા હતા. જેના પગલે માર્કેટયાર્ડની બંને બાજુ આશરે છ કિલોમીટર જેટલી લાંબી લાઈનો લાગી હતી. ટ્રેક્ટર, આઈસર, ટ્રક, મીની ટેમ્પો લઈને કિલોમીટર સુધીની લાંબી લાઈનો ડુંગળી ભરેલા વાહનો ની લાગી છે.
ગોંડલ માર્કેટ યાર્ડના ડુંગળીના ભાવોનો વાત કરીએ તો ઓછામાં ઓછા 80 રૂ એક મણના ભાવ નોંધાયા છે. તો વધારેમાં વધારે 500 રૂપિયા એક મણના ભાવ નોંધાયા છે. આ વર્ષે વરસાદનું પ્રમાણ સારુ હોવાને કારણે ડુંગળીના પાકમાં ઉત્પાદન ખૂબ મોટા પ્રમાણમાં થયું છે. તેમજ ખેડૂતોને ભાવ પણ સારી માત્રામાં મળી રહે છે. એટલા માટે સૌ કોઈ ખેડૂતો પોતાનો પાક વેચવા માટે પડાપડી બોલાવી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]