Breaking News

આ મંદિરમાં આજે પણ મહાબલિ હનુમાનજી કરે છે વિશ્રામ, આ છે તેના પુરાવાઓ.

હિન્દુ ધર્મની અંદર મહાબલી હનુમાન ને ખૂબ જ ખાસ માનવામાં આવ્યા છે. કહેવાય છે કે મહાબલી હનુમાન બ્રહ્મચારી હોવાની સાથે સાથે અજર-અમર હતા, અને આજે પણ પૃથ્વી ઉપર ભગવાન હનુમાનજીની હયાતી જોવા મળે છે. ભગવાન હનુમાન ભગવાન શ્રીરામના પરમ ભક્ત હતા અને તે મહા તપસ્વી અને મહાશક્તિશાળી હતા. ભારત દેશની અંદર ભગવાન હનુમાનના અનેક મંદિરો આવેલા છે, અને આ દરેક મંદિરોની પોતાની માન્યતા અને વિશિષ્ટતા જોવા મળતી હોય છે.

ભારત દેશની અંદર આવેલા મહા બલી હનુમાન ના અનેક મંદિરો ની અંદર ભગવાન હનુમાનજીની કૃપા દ્રષ્ટિ બની રહે છે, અને આથી જ કોઈપણ વ્યક્તિ ગમે તેવી પરેશાની અંદર હોય તેને પોતાની પરેશાનીમાંથી છુટકારો મળતો હોય છે. ભગવાન હનુમાનને સંકટમોચન દેવ કહેવામાં આવે છે, અને આથી જ ભગવાન હનુમાનજીની જો સાચા દિલથી પ્રાર્થના કરવામાં આવે તો વ્યક્તિને ગમે તેવા સંકટ દૂર થઈ જાય છે, અને સાથે સાથે ગમે તેવી ખરાબ શક્તિઓ નો સાચો હોય તો તે પણ દૂર થઈ જતો હોય છે.

આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એક એવા મંદિર વિશે કે જેની અંદર લોકોનું કહેવું છે કે આજે પણ ભગવાન હનુમાન ત્યાં આવી અને આરામ કરે છે. અમે જે મંદિર વિશે વાત કરી રહ્યા છીએ તે મંદિર જયપુર ની અંદર આવેલા અલવર જિલ્લામાં આવેલું છે. ભગવાન હનુમાનના આ મંદિરનું નામ પાંડુપોલ હનુમાન મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરની અંદર ભગવાન હનુમાન શયન મુદ્રા ની અંદર રહેલા છે.

અહીંયા એક પ્રાચીન માન્યતા છે જેના અનુસાર ભગવાન હનુમાન આ જગ્યાએ એક વખત આરામ કરવા માટે રોકાયા હતા, અને ત્યારે જ પાંડવો પોતાની માતાની સાથે વનની અંદર ફરી રહ્યા હતા. ત્યારે પાંડવોને વનમાં થી બહાર જવાનો રસ્તો ન મળતા ભગવાન હનુમાનને પોતાના ગદાના એક પ્રહારથી એક વિશાળ ચટ્ટાન જેવડી શીલા ને તોડી નાખી હતી, અને પાંડવોએ જ્યારે હનુમાનના આ રીતે વખાણ કર્યા ત્યારે ભીમને હનુમાન પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થયો, અને તે હનુમાનજીની સામે પોતાનું બળ પ્રદર્શન કરવા ગયા. પરંતુ ભગવાન હનુમાન ની શક્તિઓ ની સામે ભીમની એક ન ચાલી.

અને ત્યારથી જ આ જગ્યાએ પાંડવોએ ભગવાન હનુમાનજી ના મંદિરની સ્થાપના કરી હતી અને આથી જ આ મંદિરનું નામ પાંડુપોલ મંદિર રાખવામાં આવ્યું હતું. અહિયાં આ લોકોની એવી માન્યતા છે કે આજે પણ ભગવાન હનુમાન આ જગ્યાએ આવી અને વિશ્રામ કરે છે. આ મંદિરની અંદર હજારો હનુમાન ભક્ત પોતાની મુરાદ પૂરી કરવા માટે આવે છે, અને પોતાના દરેક પ્રકારના કષ્ટો અને દુઃખમાંથી છુટકારો મેળવી અને સુખ શાંતિથી પોતાના ઘરે પાછા ફરે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

આજથી આવતા 21 વર્ષ સુધી આ 5 રાશી પર બનેલી રહેશે શનિદેવની અપાર કૃપા, આંખ સામે થઈ જશે પૈસાનો ઢગલો..

આપણા હિંદુ ધર્મમાં શનિદેવને સૌથી વધુ પાપ ઘર માનવામાં આવે છે અને શનિદેવને સૌથી વધુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *