જ્યારે એક બાપ પોતાની દીકરી માટે સારો મુરતિયો શોધતો હોય ત્યારે તે સૌ પ્રથમ તેમની દીકરી તેના સાસરીયે જઈને ખુશ ખુશાલ રહેશે કે નહીં તેના વિશે માહિતી મેળવે છે, જો તેમની દીકરી સાસરીયે ખુશ ખુશાલ રહેતી હોય તો એક બાપ પોતાની દીકરીને પરણવામાં ક્યારેય પણ પાછી પાની કરતો નથી..
પરંતુ અમુક વખત સમય જતાની સાથે સાસરિયામાં તેમની દીકરીને કેવા અનુભવ થાય છે, તેની પણ માહિતી તેમને મળતી હોય છે. અત્યારે મોનિકા નામની એક ખૂબ જ સમજુ અને સરળ સ્વભાવની યુવતીને તેના સાસરીયા ખૂબ જ માઠુ સહન કરવાનો વારો આવ્યો હતો. મોનિકાનો કોલેજનો અભ્યાસ પૂર્ણ થયા બાદ તે નોકરી કરીને તેના પરિવારને મદદરૂપ બનતી હતી..
જ્યારે તેના લગ્નની ઉંમર થઈ ત્યારે મોનિકાના પિતા જીવનદીપ ભાઈએ તેમની દીકરી માટે સારો મુરતિયો શોધવાનું શરૂ કર્યું હતું અને તેમના જ ઓળખાણમાંથી કોઈ વ્યક્તિએ સારો મુરતિયો ગોતી આપ્યો હતો, ઘણી બધી ચીજ વસ્તુઓ જાણ્યા બાદ જીવનદીપ ભાઈ તેમની દીકરી મોનિકાના લગ્ન તેમના ગામથી 15 કિલોમીટર દૂર આવેલા ગામમાં રહેતા હરદીપ નામના યુવક સાથે કર્યા હતા..
હાર્દિક અને મોનિકાના લગ્ન બાદ સાસરિયાવાળા લોકોના સુર બદલાઈ ચૂક્યા હતા, શરૂઆતમાં તેઓ એકદમ મીઠી-મીઠી વાતો કરીને લગ્ન માટે મંજૂર થઈ ગયા હતા, પરંતુ લગ્ન બાદથી સાસરીયા ના દરેક લોકો મોનિકાને હેરાન પરેશાન કરવા લાગ્યા હતા. તું તારા પિયરથી કશું લાવી નથી તેમજ તું અમારા માટે બોજ છો વગેરે જેવા કડવા વેણ વચનો મોનિકાને તેની સાસુ કહેતી હતી..
આ સાથે સાથે મોનિકાને તેનો પતિ પણ રોજબરોજ હેરાન કરતી પહોંચાડવા લાગ્યો હતો. મોનિકાના સાસરિયાની પરિસ્થિતિ ખૂબ જ નબળી હોવાને કારણે તે નોકરી કરીને તેના પરિવારને મદદરૂપ બનવા માંગતી હતી, તો બીજી બાજુ હરદીપ કોઈપણ પ્રકારનું કામ ધંધો કરતો નહીં અને આખો દિવસ રખડપટ્ટી ચલાવતો હતો..
હવે તો તે દારૂના નશાની અંદર પણ સપડાઈ ચૂક્યો હતો અને મોડી રાત્રે આવ્યા બાદ તે તેની શોધી અને સરળ સ્વભાવની પત્નીને ધમકીઓ આપવા લાગ્યો હતો કે, જો તું આ ઘરની અંદર પગ મૂકીશ તો તને જાનથી મારી નાખીશ, તું મહેરબાની કરીને તારે સાસરીયે થી તારા પિયરે રહેવા માટે જતી રહેજે..
તારું આ ઘરની અંદર કોઈ પણ કામ નથી તેમ કહીને ઢોર મારવા લાગતો હતો. મોનિકા તેના પતિ અને તેના સાસુ સસરાથી ખૂબ જ કંટાળી ગઈ હતી. શું કરવું તેને કશું સમજાયું નહીં કારણ કે, જો તે આ વાતની જાણકારી તેના પિયરમાં રહેલા મા બાપને કરે તો તેના માતા-પિતા પણ ચિંતામાં ચાલ્યા જશે તેમ વિચારીને તે મનોમન બધી બાબત સહન કરતી રહી..
પરંતુ કહેવાય છે કે જે માણસ હંમેશા પોતાનું દિલ સાફ રાખે છે અને અન્ય વ્યક્તિઓની મદદ કરવાની ભાવના ધરાવતા હોય છે, ભગવાન તેમની સાથે રહેલા હોય છે. તેમનું કોઈ પણ કામ અટકતું નથી એવી જ રીતે મોનિકાને ભગવાને ખૂબ જ સાથ અને સહકાર આપ્યો અને એવો ચમત્કાર કરી નાખ્યો હતો કે, મોનિકાના પતિ તેમજ તેની સાસુ સસરાની પણ અક્કલ ઠેકાણે આવી ગઈ હતી..
મોનિકાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી હતી કે, તેનો પતિ દારૂનો નશો કરીને ઘરે આવ્યા બાદ તેને મારપીટ કરી રહ્યો છે. સવારના સમયે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને હરદીપને દારૂના નશામાં જોતાની સાથે જ તેની ધરપકડ કરી લીધી હતી, હરદીપ ને તેની માતા ખૂબ જ પ્રેમ કરતી હોવાને કારણે હરદીપની ધરપકડ તે સહન કરી શકે નહીં..
અને તેને પોતાના બોલેલા શબ્દો અને પોતાને કરી લઈ પ્રવૃત્તિઓ ઉપર પસ્તાવો થવા લાગ્યો હતો કે, તે મોનિકાને ખૂબ જ ખરાબ રીતે હેરાન પરેશાન કરતી હતી. હકીકતમાં હરદીપ જ આ સમસ્યાનું મૂળ હતો, જે દારૂનો નશો કરીને મોનિકાને ઢોર મારતો હતો. પોલીસે આગળની કાર્યવાહી ચલાવી હતી અને હરદીપની સામે નોંધીને તપાસ પણ બેસાડી દીધી હતી..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]