અમુક વખત આપણે બિલકુલ સ્વસ્થ હોઈએ છીએ, પરંતુ ઓચિંતા જ જુદો-જુદો દુખાવો થવા લાગે એટલે તાબડતોબ હોસ્પિટલ ભેગું થવું પડે છે. જ્યાં તપાસ દરમિયાન ચોંકાવનારી માહિતીઓ પણ સામે આવતી હોય છે. આપણે પાછળના કેટલાક વર્ષોથી જોઈએ છીએ કે, ડોક્ટરએ ભગવાનનું રૂપ ગણાય છે..
કારણ કે કોરોનાના આટલા અઘરા સમયની અંદર ડોક્ટર પોતાના જીવને જોખમમાં નાખીને દેશના દરેક નાગરિકને બચાવવા માટે પોતાના થી થતી દરેક સેવાઓ પૂરી પાડી છે. અત્યારે પણ એક ડોક્ટર નવ વર્ષની દીકરી માટે ભગવાન સમાન સાબિત થઈ ગયા છે. આ ઘટના રાજસ્થાનના જોધપુરની છે.
અહીં એક પરિવાર છેલ્લા કેટલાક વર્ષોથી રહીને જીવન ગુજરાન ચલાવે છે. આ પરિવારની નવ વર્ષની દીકરી પરિવારની લાડકી દીકરી હતી. સમગ્ર પરિવાર ખૂબ જ રાજી ખુશીથી જીવન જીવતો હતો. છેલ્લા દોઢ મહિનાથી આ દીકરી અવારનવાર તેના માતા પિતાને કહેતી હતી કે, તેને છાતીના ભાગે ઝીણો ઝીણો દુખાવો થાય છે..
પરંતુ તેના મા-બાપને કહેતા કે, જમવામાં કોઈ એવી વસ્તુ ખાઈ લીધી હશે કે જેના કારણે તેને પેટમાં દુખાવો થઈ રહ્યો છે. આ ઉપરાંત ભૂખ્યા પેટે પણ આ પ્રકારનો દુખાવો થાય છે. પરંતુ પરિવાર સમજી શક્યો નહીં કે, આ દીકરીને છાતીના ભાગે દુખાવો થતો હતો. પરિવાર વિચારતો કે, આ દીકરીને છાતીમાં દુખાવો થાય છે..
તેવી ખબર આ ઉંમરે કદાચ નહીં પડતી હોય અને તેને પેટમાં દુખતું હશે, એટલા માટે તેઓ પેટમાં દુખાવાની દવાઓ આપતા હતા. પરંતુ આ ઝીણો-ઝીણો દુખાવો એક વખત એટલો બધો વધી ગયો હતો કે, બિચારી આ દીકરીથી દુખાવો સહન થયો નહીં અને પરિવારને જણાવ્યું કે, તેને આ દુખાવો ખૂબ જ વધી ગયો છે..
ત્યારે નવ વર્ષની દીકરીના પિતા તેને તરત જ જોધપુર જિલ્લામાં આવેલી એક નામચીન હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. અહીં પહોંચ્યા બાદ ડોક્ટરે સૌપ્રથમ તેના મા બાપને આ શ્વાસન પૂરું પાડ્યું હતું કે, તમારી દીકરીનો ચોક્કસ નિદાન કરવામાં આવશે અને તમે હવે બિલકુલ નિશ્ચિત થઈ જાઓ કારણકે હવે તમારે કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર નથી..
તાત્કાલિક ધોરણે દીકરીને એક્સરે અને સીટી સ્કેન કરવા માટે લઈ જવામાં આવી હતી. જેના રિપોર્ટ સામે આવ્યા ત્યારે ડોક્ટરના પણ ડોરા ફાટી ગયા હતા. તો બીજી બાજુ તેને પરસેવો છૂટી ગયો હતો. કારણકે આ રિપોર્ટની અંદર દીકરીના છાતીના ભાગેથી અંદર સોય પડેલી છે, તેવું જોવા મળ્યું હતું.
આ સોય અંદાજે પાંચ સેન્ટિમીટર જેટલી લાંબી હતી. ડોક્ટરે દીકરીના મા-બાપને જણાવ્યું કે, તેમના દીકરીના છાતીના ભાગે અંદરની બાજુએ 5 સેન્ટિમીટર જેટલી લાંબી સોય હોય છે. જેને ઓપરેશન કરીને બહાર કાઢવી પડશે વધારે સમય ન લેતા તાત્કાલિક ધોરણે ઓપરેશન રૂમમાં લઈ જઈને ઓપરેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું..
અને આ ઓપરેશન દરમિયાન દીકરીના છાતીના ભાગેથી ખૂંચી ગયેલી આ સોય બહાર કાઢવામાં આવી હતી. જેનો દુખાવો તેને છેલ્લા દોઢ મહિનાથી થતો હતો. આ ઓપરેશન પૂર્ણ થયા બાદ દીકરીના પરિવારજનોએ ડોક્ટરનો ખુબ ખુબ આભાર માન્યો હતો કે, તેમની આ સરાહનીય કામગીરીના કારણે આજે તેમની દીકરી બિલકુલ સ્વસ્થ થઈ ગઈ છે.
અને તેનો તમામ દુખાવો પણ ચાલ્યો ગયો છે. તો બીજી બાજુ ત્યાં રહેલા કેટલાક લોકોના મનમાં આવાજ હજુ પણ સમજમાં આવી નહીં કે તેના શરીરની અંદર કેવી રીતે પ્રવેશ કરી ગઈ હશે, ડોક્ટરનું કહેવું છે કે, આ મામલો ખૂબ જ ચોંકાવનારો છે. કારણ કે જો સોય એ મોઢાના માધ્યમથી શરીરની અંદર પ્રવેશ કરે તો તેની ધાર વાગવાનો ખૂબ જ ડર રહે છે..
એટલા માટે હવે આ મામલો કેવી રીતે સુલજાવો તે ડોક્ટરને પણ ખબર પડતી ન હતી. કદાચ એવું પણ બની શકે છે કે, જ્યારે આ દીકરી નાની હતી. ત્યારે આ સોઈ તેના મોઢામાં ચાલી ગઈ હોય અને ત્યારબાદ તેનો દુખાવો અંદાજે નવ વર્ષની થઈ ત્યારે થવા લાગ્યો હતો. ત્યાં ઉભેલા લોકો જુદી જુદી અટકળો લગાવવા લાગ્યા હતા. પરંતુ આ તમામ અટકળોમાંથી એક પણ અટકળ મગજમાં બેસે તેવી નથી. આ મામલાએ સૌ કોઈ લોકોના હોશ ઉડાવી દીધા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]