Breaking News

આ છે હીરામાંથી બનેલી ગણેશજીની 600 કરોડની મૂર્તિ, જાણો શું છે તેનો ઈતિહાસ…

તમે આજ સુધી ગણેશજીની અલગ અલગ ઘણી બધી મૂર્તિઓ જોઈ હશે. પાંદડામાંથી બનેલી , માટી માંથી બનેલી, કોઈકતો વળી ફળ અને ડાયફ્રુટમાંથી પણ બનાવે છે. પરતું હીરાના પથ્થરમાંથી બનેલી પેહલી વાર જોશો. જી હા મિત્રો આજે અમે તમને જણાવીશું ખુબ જ કીમતી મૂર્તિ વિષે જે હીરામાંથી બનેલી છે.

તમે જાણતા હશો કે સુરત એ હીરાનગરી તરીકે ઓળખાય છે. સુરતના હીરા વેપારી કનુભાઈ આસોદરિયા પાસે 600 કરોડની રકમની હીરાની એક મૂર્તિ છે જે ગણેશજીનો આકાર ધરાવે છે. ગણેશજીના ભક્તો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો દિવસ છે. આજથી ગણેશ મહાપર્વનો પ્રારંભ થયો છે. પરંતુ શું તમે જાણો છો વિશ્વભરમાં સૌથી અમૂલ્ય ગણેશજીની સ્થાપના ક્યાં થાય છે. તો આ મૂર્તિ એક ગુજરાતી પાસે જ છે.

કાચા હીરાની 182.3 કેરેટની ગણેશજીની મૂર્તિ છે. આ મૂર્તિનું વજન 36.5 ગ્રામ છે. માર્કેટમાં તેની કિંમત 600 કરોડ રૂપિયા છે. હીરાના આ ગણેશજીની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે કુદરતી છે. તેને ઘડવામાં આવી નથી. કનુભાઈએ પોતાના ઘરે જ આ ગણપતિની સ્થાપના કરી છે. તે એક રફ ડાયમંડ છે.

કનુભાઈ છેલ્લા 30 વર્ષથી વિદેશમાંથી કાચા ડાયમંડની આયાત કરે છે. કનુભાઈના પિતા પણ આ રફ ડાયમંડના ધંધા સાથે સંકળાયેલા હતા. તેઓએ 12 વર્ષ પહેલા બેલ્જીયમથી રફ હીરા મંગાવ્યા હતા. તે હીરા સુરત પહોચ્યા બાદ તેને ખોલીને જોયા તો તેમાંથી એક હીરાનો આકાર ગણેશજીની મૂર્તિ જેવો જ હતો. આ જોઈને કનુભાઈનો પરિવાર ચકિત થઈ ગયો.

અને આ ડાયમંડને ગણેશજીનું સ્વરુપ માનીને ઘરે જ તેની સેવા કરવાનો નિર્ણય લીધો હતો. આ ડાયમંડની મૂળ કિંમત 600 કરોડ રૂપિયા છે. આ હીરાને તેઓએ સર્ટિફાઈડ કરાવયો છે. તેને કિંમતમાં ગણીએ તો તે દુનિયાની દુર્લભ વસ્તુ છે. કનુભાઈનો પરિવાર રોજ તેની પૂજા કરીએ છીએ.

ગણેશોત્સવમાં મૂર્તિની ખાસ પૂજા થાય છે. આ ગણેશજીની પૂજા અન્ય લોકો પણ કરી શકે છે. વિદેશથી પણ અનેક લોકો આ ગણપતિના દર્શને આવે છે. આ પરિવારને અત્યાર સુધી 600 કરોડ રૂપિયાની ઓફર આવી ચૂકી છે. પરંતુ અસોદરિયા પરિવાર તેને વેચવા નથી માંગતું. આ મૂર્તિનું મૂલ્ય 600 કરોડ અંકાયું છે. તેથી તે કોહિનુર કરતા પણ વધુ કિંમતી છે તેવુ કહી શકાય. કેમ કે, કોહિનૂરનું વજન 105 કેરેટ છે, જ્યારે કે આ મૂર્તિનું વજન 182 કેરેટ 53 સેન્ટ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે ચા બનાવતી મહિલા સાથે બની એવી ઘટના કે શરીર ચૂંથાઈને કચ્ચરઘાણ બોલી ગયું, આવી ઘટના ક્યારેય નહી જોઈ હોઈ..!

ઘરની મહિલાઓ સવાર પડતાની સાથે જ વહેલા ઊઠીને ઘરનું કામકાજ કરવામાં લાગી પડતી હોય છે, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *