Breaking News

ઉત્તરાયણ પહેલા પતંગ ચગાવતી વખતે છ વર્ષનું બાળક પાંચમા માળેથી નીચે પડતા, કરૂણ મોત

ભારતમાં તમામ ઉત્સવો ની ઉજવણી ખુબ ધામ-ધૂમ દરેક લોકો કરતા જ હોય છે પરંપરાંતગત આવતા તમામ ઉત્સવોનું આગવું મહત્વ છે પરંતુ આ ઉત્સવો આપણા જીવનમાં નવી દિશા અને આનંદ આપવા માટે હોય છે પણ કયારેક આ ચિતાર અનેક પરિવારો માટે મુશ્કેલી રૂપ બની જતો હોય છે આજે અહીં કંઈક એવો જ એક બનાવની વાત રજૂ કરેલ છે સંપૂર્ણ માહિતી માટે છેલ્લે સુધી સમાચારને વાંચવા જરૂરી છે.

ઉત્તરાયણને હજુ પંદર દિવસ બાકી છે પરંતુ લોકોમાં અને ખાસ કરીને બાળકોમાં અત્યારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર વર્ષે ડિસેમ્બર મહિનામાંથી જ પતંગો ચગવાના શરૂ થઇ જાય છે. જેના કારણે ઘણા લોકો સાથે અકસ્માત બનવાના કિસ્સાઓ પણ સામે આવતા જ રહે છે. સુરતમાં એક બાળક પતંગ ચગાવતી વેળા નીચે પડી ગયાનો કિસ્સો બન્યો છે.

ગુરુવારે સાંજે મૃતક બાળકે પતંગ ચગાવવાની જીદ કરતા માતાએ તેને પતંગ લાવી આપ્યા હતા. ત્યારબાદ આજે સવારે બાળક તેની બહેન અને બિલ્ડીંગના અન્ય બાળકો સાથે પતંગ ચગાવવા માટે ઉપર ચડ્યો હતો. પાંચ માળ ઉપરથી નીચે પટકાતા બાળકનું કરૂણ મૃત્યુ થયું હતું. નીચે પટકાતા સોસાયટીમાં બૂમાબૂમ મચી ગઈ હતી,

ત્યારબાદ સ્થાનિકો ભેગા થઇ ગયા હતા અને બાળકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડું થઇ ચુક્યું હતું. સુરતના અડાજણ-પાલ રોડ ઉપર રહેતો એક છ વર્ષીય બાળક તનય તેના મિત્રો સાથે પતંગ ચગાવી રહ્યો હતો તે દરમિયાન તેનો પગ લપસી જતા તે નીચે પટકાયો હતો. તે પહેલા ધોરણમાં અભ્યાસ કરતો હતો.

દુર્ઘટનાએ અન્ય માતા-પિતા માટે અગમચેતીનો સંદેશ આપ્યો ગુજરાતામાં પતંગરસિકો માટે લાલબત્તી સમાન બનાવ બન્યો છે. જેમાં ખાસ તો નાના બાળકોના માતા-પિતાને ધ્યાનમાં લેવા જેવી ઘટના બની છે. સુરતના અડાજણ-પાલ રોડ પર એક બાળક પાંચમા માળની અગાસી ઉપરથી પતંગ ચગાવતાં બહેન અને મિત્રોની નજર સામે નીચે પટકાયો છે.

તનયના પિતા એગ્રીકલ્ચર કોલેજમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે નોકરી કરે છે. તેમણે કહ્યું કે, પત્નીએ દોડીને જોયું કે અગાસી પર્થ લગભગ 60 થી 70 ફૂટ ઉપરથી નીચે પટકાયો હતો. તેને માથા અને છાતીમાં ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. સુરતના અડાજણ-પાલ રોડ ઉપર બાળકો અગાસી પર પતંગ ચગાવવા ચડ્યા હતા.

જેમાં બહેન અને બાળ મિત્રોની નજર સામે બાળક નીચે પટકાયો હતો. તેમાં અડાજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉત્તરાયણ પેહલા આવા પ્રકારની ઘટના બનવી એ ખરેખર માતા-પિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો જ ઘણી શકાય ખાસ વિનંતી કરવી જોઈએ કે તહેવારની ઉજવણી એ ખુબ ધ્યાનપૂર્વક કરવામાં જ ભલાઈ સમાયેલી છે.

ક્યારેક આપણી ઉજવણી કોઈ બીજા માટે ખુબ મોટી મુશ્કેલી બનતા કોઈ સમય લાગતો હોતો નથી અને જીવનભરનું સંભારણું એક નાની અમથી ભૂલ કરાવી દેતી હોય છે એટલે આવી પરિસ્થિઓ માં વાલીઓએ ખાસ જાગૃત થઈ પોતાના સંતાનોની ખરા અર્થમાં કાળજી લેવી જ જોઈએ કારણકે કોઈ પણ ઘટના કયારેક આમંત્રણ આપી ને નથી આવતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *