પરિવારમાં મોટાભાગના નિર્ણયો લેવાનો અધિકાર ઘરના વડીલોના હાથમાં હોય છે. વડીલો જેમ કહે તેમ પરિવારના દરેક સભ્યો અનુસરે છે અને વર્ષોથી કહેવાતું આવ્યું છે કે, જો વડીલોનું કહ્યું માનવામાં આવતું નથી. તો આગળ જઈને પછતાવાનો વારો આવે છે. એટલા માટે દરેક વ્યક્તિએ વડીલોની સલાહ શિખામણ લેવી જોઈએ અત્યારે 99 વર્ષની ઉંમરમાં..
એક દાદાએ તેમના પરિવારના ભાગ્ય ખોલી નાખ્યા હતા. અત્યારે આ પરિવારજનો એટલા બધા ખુશ ખુશાલ થયા છે કે, તેમની ખુશી સાતમા આસમાને પહોંચી ગઈ છે. આ ઘટના પ્રિતમગઢ ગામની છે. આ ગામમાં 99 વર્ષના કમલનાથ દાદા તેમના સંયુક્ત પરિવાર સાથે રહે છે. એમ છેલ્લા 11 વર્ષથી તેઓ ખાટલા વશ જીવન જીવી રહ્યા હતા..
એક દિવસ સવારના સમયે તેઓએ તેમના મોટા દીકરા નરસિંહને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું કે, તેને ગઈ રાત્રે એક ખૂબ જ મોટું સપના આવ્યું છે અને આ સપનાની અંદર તેમને ખબર મળી છે કે, માત્ર બે દિવસની અંદર જ તેમની અર્થી નીકળવાની છે. હવે તેઓ લાંબો જીવન જીવી શકશે નહીં અને અંત સમયે તેઓ સમગ્ર પરિવારને એક સાથે જોવા માંગે છે..
તેઓએ જણાવ્યું કે તેમની તમામ બહેનો દીકરી અને સગા સંબંધીઓને તેમને મળવા માટે બોલાવી લો, નરસિંહભાઈ તરત જ પરિવારના અન્ય સભ્યોને પણ જણાવ્યું કે દાદા કહે છે કે, હવે તેઓ લાંબો સમય સુધી જીવવાના નથી અને માત્ર બે દિવસમાં જ તેમનું મૃત્યુ થવાનું છે શરૂઆતમાં તો કોઈ પણ વ્યક્તિએ એમ દાદાની આ વાત ઉપર વિશ્વાસ કર્યો નહીં..
કમલનાથ દાદાનો નાનો દીકરો તો કહેવા લાગ્યો કે, દાદાની ઉંમર જેમ જેમ વધતી જાય છે તેમ-તેમ દાદાની યાદ શક્તિ પણ નબળી પડતી જાય છે. હવે દાદા ધીમે ધીમે કોઈ વ્યક્તિને ઓળખવાનું પણ બંધ કરી દેશે, એટલા માટે આપણે આ વાત ઉપર વિશ્વાસ મૂકવો જોઈએ નહીં. પરંતુ સૌ કોઈ લોકોએ આ વાતને નકારી કાઢવાને બદલે દાદાની વાત ઉપર વિશ્વાસ મૂક્યો અને સૌ કોઈ લોકોને મળવા માટે પણ બોલાવી લીધા હતા..
અને એ સમયે સમગ્ર પરિવારજનોની વચ્ચે દાદા એવી વાત કહી દીધી છે કે, આ વાતને લઈ પરિવાર રાતોરાત કરોડપતિ થઈ ગયો હતો. દાદાએ તેના મોટા દીકરા નરસિંહને જણાવ્યું કે, તેમના જુના રસોડાની પાછળના ભાગે એક કોઠાર બનાવવામાં આવેલો હતો. આ કોઠારની અંદર પાંચ ફૂટનું ખોદકામ કરશો તો ત્યાંથી તમને એક ઘડો મળી આવશે અને આ ઘડો ખોલતાની સાથે જ..
તમારી આવનારી ત્રણ પેઢી બેઠા બેઠા ખાઈ શકે તેટલી ધન સંપત્તિ તમને મળી જશે. દાદાના મોઢેથી આ શબ્દો સાંભળીને પરિવારજનો ના હોશ ઉડી ગયા હતા, તો ત્યાં ઉભેલા ઘણા બધા લોકોના તો પરસેવા છૂટવા લાગ્યા અને વિચારમાં મુકાઈ ગયા કે, દાદા શા માટે આવી વાતો કરી રહ્યા છે..
કમલનાથ દાદાના નાના દીકરાને હજુ પણ આ બધી બાબતો ઉપર વિશ્વાસ આવતો હતો નહીં, પરંતુ મોટા દીકરા નરસિંહભાઇએ તરત જ જુના રસોડાની પાછળના ભાગે આવેલા કોઠારની નીચે ખોદકામ કરાવવાનું શરૂ કરી દીધું હતું. અંદાજે પાંચ ફૂટ જેટલું ખોદકામ કરતાની સાથે જ ત્યાંથી એક પિત્તળનો ઘડો મળી આવ્યો હતો..
અને આ ઘડાની અંદર સોના ચાંદીના સિક્કા તેમજ જુના પુરાણા મોતીના હાર પણ મળી આવ્યા હતા. આ ઘડાની અંદર એટલો બધો ખજાનો મળી આવ્યો કે, જેનાથી તેમની બે ત્રણ પેઢીઓ બેઠા બેઠા ખાઈ શકે, બસ આ વાત કહેતાની સાથે જ દાદાએ જીવ ગુમાવી દીધો હતો. પરિવારના દરેક સભ્યોને દાદાના મોતના માતમ કરતા ખજાનો મળવાની ખુશી વધારે આવી હતી..
દાદાએ અંતિમ સમયે જણાવ્યું કે, તમે અત્યાર સુધી જેવી રીતે સાથે રહ્યા છો, તેમજ આવનારા સમયમાં રહેશો તો તમે હંમેશા સફળ થશો આ ખજાનો હું મારા અંતિમ સમયમાં તમને સોંપવા માંગતો હતો. એટલા માટે મેં અત્યાર સુધી આ ઘટનાની જાણકારી કોઈ વ્યક્તિને આપી નથી..
પરંતુ આ ખજાનાને લઈને હવે જો તમે કોઈ લડાઈ ઝઘડો ઉત્પન્ન કરી નાખશો તો મારી આત્માને ક્યારેય પણ શાંતિ મળશે નહીં. મહેરબાની કરીને તમે એક સાથે રહેજો. કમલનાથ દાદા નુ મૃત્યુ તો થઈ ગયું પરંતુ તેમણે અંતિમ સમયે એક સાથે રહેવાનો જે સંદેશ આપ્યો હતો એ સંદેશથી પરિવારજનો પણ જોતા ને જોતા જ રહી ગયા હતા..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]