વડીલ વ્યક્તિના મોતનો દુઃખ વધારે માત્રામાં જોવા મળતું નથી. કારણ કે જો નાની ઉંમરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હોય તો તેનું દુઃખ પરિવારના સૌ કોઈ લોભી ને ખૂબ જ વધારે માત્રામાં લાગી આવતું હોય છે. પરંતુ ઘરડા વ્યક્તિ કે જેઓ ખૂબ મોટી બીમારીથી પીડાતા હોય તેમનું જ્યારે મૃત્યુ થાય ત્યારે પરિવારના સભ્યોને દુઃખ તો હોય જ છે..
પરંતુ તેઓ વિચારે છે કે, તેઓ આ પીડામાંથી મુક્તિ પામી ગયા છે. અને હવે ભગવાન તેમની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરતા હોય છે. અત્યારે 96 વર્ષના રામજીકાકા નામના એક વડીલનું મૃત્યુ થયા બાદ ખૂબ જ હચમચાવી દેતો મામલો સામે આવી ગયો છે. આ ઘટના ચંદલા રોડ ઉપર આવેલી લવકુશ નગર સોસાયટીનો છે..
આ સોસાયટીમાં રામજીકાકા તેના પરિવાર સાથે રહેતા હતા. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી તેમની તબિયત ખૂબ જ લથડતી હાલતમાં રહેતી હતી. વધતી જતી ઉંમરના કારણે તેઓ પથરી વર્ષ થઈ ગયા. અને ઘણી બધી દવાઓ પણ ચાલતી હતી. એક દિવસ અચાનક જ સવારના સમયે તેઓ પથારીમાંથી બેઠા થયા નહીં અને પરિવારના સભ્યો તેમને જગાડવાની કોશિશ કરી તો તેઓ કોઇ પણ પ્રકારનો હોંકારો આપ્યો નહીં..
રામજીકાકાના બંને દીકરા સુરધનભાઈ અને આશુતોષભાઈ બંનેએ વિચાર્યું કે, તેમના પિતાનું મૃત્યુ થયું છે. એટલા માટે તેઓએ સગા વાલાઓને ફોન કરીને જાણકારી આપી દીધી કે, ૯૬ વર્ષની ઉંમરે તેમના પિતાનો સ્વર્ગવાસ થયો છે. અને ત્યારબાદ સૌ કોઈ લોકો ભેગા મળી તેમના અંતિમ સંસ્કારની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી..
જ્યારે રામજીકાકાના દિકરા તેમને મુખાગની આપવા માટે નજીક આવ્યા ત્યારે અચાનક જ મડદુ બેઠું થયું હોય એવી રીતે રામજીકાકા માં જીવ પરત આવી ગયો અને તેઓ બેઠા થઈ ગયા અને આંખ ખોલી નાખી હતી. આ દ્રશ્ય જોઈને ત્યાં ઉભેલા અન્ય સગા સંબંધીઓ તો માથું પકડીને ભાગવા લાગ્યા હતા..
કારણ કે, આ દ્રશ્ય તેમને ખૂબ જ ચોંકાવનારુ લાગ્યું હતું. આવું દ્રશ્ય અવારનવાર જોવા મળતું નથી, એટલા માટે તેઓ ખૂબ જ હચમચી ગયા અને ત્યાં ઉભેલા અન્ય વ્યક્તિના પણ હોશ છૂટી ગયા હતા. પરિવારજનોને પણ સમજ ન પડ્યું કે, આખરે આ શું થઈ ગયું છે. કારણ કે 96 વર્ષના દાદા બેઠા થઈ ગયા અને બોલ્યા કે હું હજી પણ જીવું છું..
અને તમે શા માટે મારા અંતિમ સંસ્કાર કરવા જઈ રહ્યા છો. હજુ પણ મારે ઘણું જીવવાનું છે. બસ રામજીકાકાના મોઢેથી આ શબ્દો સાંભળી તેમના દીકરા ના પણ હોશ ઉડી ગયા હતા. જ્યારે આ ઘટનાની જાણકારી પરિવારના બીજા વડીલ વ્યક્તિઓને થઈ ત્યારે તેઓએ રામજી કાકાના બંને દીકરાને ઠપકો આપીને જણાવ્યું કે, શું તેઓએ તેમના પિતાને હોસ્પિટલ લઈ ગયા વગર જ તેમને મોત જાહેર કરી દીધા…?
હકીકતમાં આ બાબત બિલકુલ ખોટી છે. પરંતુ જવાબમાં રામજીકાકા ના બંને દીકરાએ જણાવ્યું કે તેમના પિતા સવારમાં જવાબ આપવાનું બંધ કરી દીધું હતું. આ ઉપરાંત તેઓએ જ્યારે રામજી કાકાનો શ્વાસ ચેક કર્યો ત્યારે તેમના શ્વાસ પણ રોકાઈ ગયા હતા. એટલા માટે તેઓને લાગ્યું કે રામજી કાકાએ જીવ ગુમાવી દીધો છે.
જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે. ત્યારે આજકાલની નવી પેઢીના લોકોને ખૂબ જ રહસ્યમય લાગે છે. પરંતુ વડીલોનું કહેવું છે કે, જ્યારે પણ કોઈ વ્યક્તિમાંથી જીવ ચાલ્યો ગયો હોય ત્યારે તેના અંતિમ સંસ્કારની કામગીરી કરતી વખતે તેના શરીરમાંથી જ્યારે જીવ પ્રાણ મૂકે છે ત્યારે થોડી હલચલ જોવા મળે છે..
અને કોઈક વખત તો મડદુ બેઠું પણ થઈ જતું હોય છે. આ દ્રશ્ય એક સામાન્ય દ્રશ્ય છે. પરંતુ આજકાલની નવી પેઢીઓએ ક્યારેય પણ આ પ્રકારના દ્રશ્ય જોયા નથી એટલા માટે તેમને ખૂબ જ નવાઈ લાગતી હોય છે. આ ઘટનાના સમાચાર ગામના સૌ કોઈ લોકો સુધી પહોંચી ગયા અને ભારે ફફળાટનો માહોલ પણ સર્જાઈ ગયો હતો.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]