અત્યારે મધ્યપ્રદેશના ભોપાલ પાસે આવેલા ફતેહાબાદના એક નાનકડા ગામમાંથી ખૂબ જ મોટા અને માઠા સમાચાર સામે આવ્યા છે. જ્યાં માત્ર આઠ વર્ષની એક બાળકીનું મૃત્યુ થયા હોવાની ઘટના સામે આવતા સૌ કોઈ લોકોમાં ભારે ચકચાર મચી ગયો છે. ફતેહાબાદ ગામડામાં નવી વસ્તી વિસ્તારની અંદર અહીરવાર પરિવાર રહે છે..
આ પરિવારની 8 વર્ષની દીકરી રોજની જેમ ઘરના આંગણામાં રમતી હતી. તેના માતા ઘરમાં કામ કરી રહ્યા હતા. જ્યારે પિતા તેમજ ભાઈ કોઈ કામકાજ માટે તે ઘરની બહાર ગયા હતા. રમતી રમતી તેનો પગ અચાનક જ લપસી ગયો અને ઘરના આંગણામાં આવેલા કુવામાં તે પડી ગઈ હતી. જ્યારે તેનો પગ લપસ્યા ત્યારે તેના મોઢામાંથી ચીખ નીકળી ગઈ હતી..
જેને સાંભળતા બાદ તરત જ માતા ઘરના આંગણામાં દોડી ગઈ એને જોયું તો તેની લાડકવાઈ દીકરી ઘરના આંગણામાં રહેલા કૂવામાં પડી ગઈ હતી. આ કુવાની અંદર ખુબ જ વધારે પાણી પણ ભરેલું હતું. આ ગામડાની અંદર દરેક ઘરમાં એક એક કુવા હોય છે. લોકો પીવાનું તેમજ ઘર વપરાશ માટેનું તમામ પાણી આપવાની મદદથી બહાર કાઢે છે..
આ કુવાની અંદર તેની લાડકવાઈ દીકરી પડી જતા તેણે તાત્કાલિક જ હલ્લો મચાવ્યો અને આસપાસના પડોશીઓને પણ પોતાની મદદ આવવા માટે જણાવ્યું હતું. જોતજોતામાં જ ઘણા બધા લોકોથી એકઠા થઈ ગયા. પરંતુ આઠ વર્ષની આ દીકરીને કુવામાંથી બહાર કાઢે એ પહેલા જ ખૂબ જ મોડું થઈ ગયું હતું અને તે કુવામાંને કુવામાં જ પાણી પીવા લાગી અને તે ડૂબવા લાગી હતી..
હેમખેમ કરીને તેને કુવામાંથી બહાર કાઢવામાં આવી અને તાત્કાલિક તેને એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલે પણ લઈ ગયા. પરંતુ ત્યાં ફરજ પર રહેલા ડોક્ટર પંકજએ જણાવ્યું કે, આ બાળકીનું મૃત્યુ થઈ ગયું છે. તો આ બાળકીને બચાવવામાં થોડો ઘણી મહેનત વહેલા કરવામાં આવ્યો હતો આજે તેનો જીવ બચી ગયો હોત..
પરંતુ એકાએક કુવામાં પડી જતા આ બાળકીનું મૃત્યુ થયું છે. પરિવારના સભ્યોને જાણ થતા જ તેઓના મોતિયા મરી ગયા હતા. તો અન્ય પરિવારજનોને પણ પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી. કારણ કે તેમની હસ્તી ખેલતી દીકરી કે, જે માત્ર એક કલાક પહેલાં તેમની સામે સૌ કોઈ લોકો સાથે વહાલ પ્રેમથી બોલી રહી હતી..
હવે તેનું મૃત્યુ થઈ જતા પરિવારમાં શોકનું મોજુ છવાઈ ગયું હતું. આ ઘટનાની જાણ પોલીસને પણ કરવામાં આવી પોલીસે પણ ઘટનાસ્થણની તલાસી લીધી આ ઉપરાંત લાશનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેમના પરિવારજનોને સોંપી છે. આ અગાઉ પણ માત્ર બે વર્ષનો એક બાળક રમતા રમતા પાણી ભરેલી ડોલમાં પડ્યો અને આ ડોલમાંથી બહાર ન નીકળી શકતા મોઢું પાણીમાં ડૂબી જવાને કારણે તે મૃત્યુ પામ્યો હતો..
જ્યારે માતા રસોઈ બનાવતી બનાવતી ઘરની બહાર આવી અને જોયું તો પાણી ભરેલી ડોલમાં તેનો દીકરો ઊંધો પડ્યો હતો. ત્યારબાદ તો તેને હોસ્પિટલ પણ લઈ ગયા. પરંતુ ત્યાં તેને રોજ જાહેર કરી દીધો હતો. હકીકતમાં આજકાલ નાના બાળકોના જીવ જવાના મામલા ખૂબ જ સામે આવવા લાગ્યા છે..
માતા પિતાએ ત્યાં સુધી તેમનો બાળક સમજવાનો થાય ત્યાં સુધી તેને પોતાથી દૂર કરવા જોઈએ નહીં કારણ કે બાળક માતા પિતા થી સહેજ પણ દૂર જાય કે તે રમત રમતમાં ન કરવાની ચીજ વસ્તુઓ કરે છે જેના કારણે તેના જીવને પણ જોખમ રહે છે. આ બનાવને લઈને પરિવારજનો ઉપર આફતોનું આભ ફાટી નીકળ્યું છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]